SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ કાષ્ટ ભક્ષણ. ૩૪૧ વાંચનારને પણ આ સ્થળે જાણવાની પૃચ્છા થઇ હશે કે, શ્રીચંદ્ર અહીં ક્યાંથી આવ્યા ? તેની સાથે રથમાં બેઠેલી આ ક્રાણુ છે ? અને આ સ્થળ શું છે ? આ સર્વ બાબતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. કુંડલપુરના રાજા અરિમર્દનની પુત્રી સસ્વતીને વાનરી કર્યા પછી શ્રીચંદ્ર યક્ષ મંદિરમાંથી નીકળી, રણભૂમિમાં થઈને પ્રસાર થઇ ગયા હતા. જ્યાં કુંજર સારથિ સહિત સુવેગ રથ હતા ત્યાં આવી, તે સુવેમ રથમાં બેસી આગળ ચાલ્યેા હતા. માર્ગમાં જતાં જ્યાં રાત્રિ પડે, ત્યાં વિશ્રામ કરતાં હતાં. શ્રીચંદ્ર અને કુ ંજર સારથિ પરસ્પર રાત્રે શયનમાં એક બીજાની રક્ષા કરતા હતા. એક વખતે જંગલમાં રાત્રિએ શ્રીચંદ્ર અને કુ ંજર વિશ્રાંત થયા હતા, ત્યાં મૃદંગના ધ્વનિ તેમના સાંભળવામાં આવ્યા. મૃદ ંગની સાથે સારંગીના સુંદર સ્વર થતા હતા, વચમાં આંતરે આંતરે તાક્ષમ પણ લેવામાં આવતી હતી. આ ધ્વનિ સાંભળતાંજ શ્રીચંદ્રના હૃદયમાં તે જાણવાનું કૈાતુક ઉત્પન્ન થયું, તરતજ તે ધ્વનિને ઉદ્દેશીને આગળ ચાલ્યે, થડે દૂર જતાં એક યક્ષનું મદિર જોવામાં આવ્યું, મ ંદિરનું દ્વાર બંધ હતું; ચતુર રાજકુમાર દ્વારની આગળ ઉભા રડ્યા, તેણે કમાડના છિદ્રમાંથી જોયું, ત્યાં મદનસુંદરી જોવામાં આવી. તેણીની સાથે આડે કન્યા હતી, તે એને મદના તાલ, મૂના, સ્વર, અને લયની તાલમ આપતી હતી, વળી સંગીતના જ્ઞા નની સાથે નૃત્ય કરવાના હાવભાવ તથા નિયમા શીખવતી હતી. મદનાને જોતાંજ શ્રીચંદ્ર ખુશી થઈ ગયા, પેાતાની પ્રિયા મદનાને જોઇ તેના હ્રદયમાં અતિશય આનંદ ઉત્પન્ન થયે.. અહા ! તેજ મારી પ્રિયા મદના ! પૂર્વની પ્રેમ મુદ્રાથી મુદ્રિત થયેલી મદના ! હવે આ મદના અને બીજી કન્યાએ ક્યાં જાય છે ? તે અવશ્ય જાવુ જોઇએ. આવે વિચાર કરી શ્રીચંદ્ર અદ્રશ્ય ગુટિકા લઇ તેમની પાછળ જવા તૈયાર થયા. પ્રાતઃકાળે તે કન્યા સ હિત મદના ત્યાંથી નીકળી, એક પાસેના પર્વતની ગુડ્ડામાં ગઇ. શ્રીચંદ્ર પણ તેમની પાછળ ગયા. ગુામાં મિદીપકની ન્યાત ઝળકી રહી હતી, તેની અંદર આવેલા એક મહેલમાં પ્રવેશ કરતાં મદનાનું વામ અંગ કયું, એટલે તે વખતે મદના ખેલી—પ્રિય સખીએ ! આજે શુભ શુકન થાય છે, મારાં વામ અંગ ક્રૂકે છે, જરૂર પ્રિય પાતના મેળા થવા જોઇએ, તે વખતે તેની રત્નચૂલા નામની સખીએ કહ્યું, પ્રિય બહેન ! મારાં પણ વામ અંગ ક્રૂકે છે, મને પણ શુભ ફળ મળવું જોઇએ, જે દિવસથી તમે અહીં આવ્યાં, ત્યારથી હું આંખેલનું તપ કરૂં છું, આંખેલનું તપ કદિ પણ નિષ્ફળ થતું નથી. આ વખતે કાઇ બીજી સખી આવી, તેણે કહ્યું, પ્રિય બહેન ! તમને અને ખીજી બહેનને માતા રત્નવેગા જમવાને ખેલાવે છે. તે સાંભળી મદના ખેલીબહેનેા ! તમે બધી જમવાને જાએ, મને ભાજન કરવાની ઇચ્છા નથી. આ ખબર માતા રત્નવેગાને આપ્યા, એટલે તે પાતાની જાતે આવી, અને ખેલી-પુત્રી ! જમવા ચાલ, થા માટે નથી આવતી ? તારા વિના હું જમીશ નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy