SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતી. ૩૩૯ ગુણુ કહેવાથી રસના [ જીભ ] પવિત્ર થાય છે, ખાલ પુત્રના વિરહથી દુઃખી અને પેાતાના પતિથી રતિ એવી સ્ત્રીને જેણે ચારના ધરમાંથી મુક્ત કરી હતી, એવા શ્રીચ'દ્રકુમાર જય પામો. જેણે કુંડલપુરનું રાજ્ય તથા ચંદ્રમુખી રાજકન્યાનું પાણિગ્રહણુ કર્યું, અને યક્ષનાં વચનથી ચંદ્રપુર નગર વસાવ્યુ, તે કુંડલપુરના અવિપતિ અને પ્રતાપસિંહુ રાજાના પુત્ર શ્રીચંદ્ર જય પામેા. યક્ષ પણ ભક્તિથી જેનાં ચરણ તળનેા સ્પર્શ કરે છે, તે શ્રીચક્ર જય પામે. ચારણની આ કવિતા સાંભળી, રાજા અરિમર્દનને શ્રીચંદ્રનું સ્મરણ થઇ આવ્યું, પોતાના સર્વ સૈન્યને પરાભવ કરનાર, અને પેાતાનેા બંધ કરી ગર્વ ઉતારનાર, તે કુશસ્થળીના રાજપુત્ર શ્રીચંદ્ર હતા, આ વાત જાણી તેના હૃદયમાં હર્ષને ઉભરા આવી ગયા. તત્કાળ તેણે પોતાના યેદ્દાઓને આજ્ઞા કરી કે, મને બાંધનાર અને આપણા પરાભવ કરનાર તે વીરકુમાર કયાં છે ? તેને અહીં લાવો. મેં અજ્ઞાનતાથી મોટી ભુલ કરી કે, જેની સામે હુ યુદ્ધ કરવાને ચડી આવ્યો. જો એ વીરનરે રાજપુત્રીનું હરણ કર્યું હાય, તે મારૂં જીવન કૃતાર્થ થયું છે. મારી રાજકન્યાના ભાગ્યનેા મહાન ઉદય થયા છે. શ્રીચંદ્ર જેવા દિવ્ય પુરૂષને સ ંપાદન કરનારી સુંદરીઓના જીવનની સાર્થકતા સંપૂર્ણ રીતે થાય છે. વીર યેદ્દા ! સત્વર જઇ એ મહાવીરને અહીં લાવા. એ મહાશયનાં પવિત્ર દર્શન મને કરાવેા. રાજાનાં આવાં વચન સાંભળી, સર્વ યોદ્ધામા તેને શેાધવાને ચારે તરફ દોડાદોડ કરવા લાગ્યા, પણ કાઇ ઠેકાણે શ્રીચદ્ર જોવામાં આવ્યા નહીં. ઘણીવારે તેઓએ પાછા વળી રાત્નને જણાવ્યુ કે, સ્વામી ! રાજકુમાર કાઇ સ્થળે નથી. ક્ષણ માત્રમાં તે ક્યાં ચાલ્યા ગયા ? તે જાણવામાં આવતું નથી. આ સાંભળી જેના મુખ ઉપર ગ્લાનિ થયેલી છે, એવા અરિમર્દન રાજા યક્ષમ દિરમાં પેાતાની પુત્રીને મળવા આવ્યા. ત્યાં રાજ કુમારી જોવામાં આવી નહીં, પણ એક વાનરી જોવામાં આવી. પેાતાના ચપળ સ્વભાવને દૂર કરી, વાનરી રાજાની પાસે ઉભી રહી, અને નયમાંથી અશ્રુધારા વહાવવા લાગી. રાજા હૃદયમાં આશ્ચર્ય પામી ગયે. તેણે સુનામિકાને પુછ્યુ, આ વાનરી ક્યાંથી ? અને રાજ કુમારી ક્યાં છે ? સુનામિકાએ બધા વૃત્તાંત કહી સભળાવ્યા, તે સાંભળી રાજા શાક ધરા મેલ્યા—વસે ! ચિંતા કરીશ નહીં, તારા ગુમ થયેલા પતિને શોધી લાવીશ, અને તને સુખી કરીશ. પછી રાજા વાનરીરૂપ સરસ્વતીને પોતાના નગરમાં લાવ્યે, અને કુશસ્થળી નગરી તરફ શ્રીદ્રા શોધ કરવા માટે અનેક સુભટને તૈયાર કરવા લાગ્યા. આ વાત્તાના પ્રચાર કુંડળપુરમાં થઇ રહ્યા, ઘેર ઘેર રાજકુમારી સરસ્વતી સબધી વાત્તાનીજ ચર્ચા થવા લાગી. રાજકુમારીને વાનરીરૂપે રાજમહેલમાં રાખવામાં આવી. રાજા અરિમર્દન રાજકુમારીની જેમ તેની ઉપર વાત્સલ્ય ભાવ દર્શાવતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy