________________
સરસ્વતી.
૩૩૭.
તમારૂં તે વચન કાંઈક હેતુ સહિત લાગે છે. સરસ્વતીએ પુનઃ જણાવ્યું, પ્રાણાધીશ ! આપ જેવા ચતુર પુરૂષથી તે અજ્ઞાત રહે, એ અસંભવિત છે; તથાપિ આપની ઈચ્છા મારે મુખે સાંભળવાન છે, એમ જણાય છે. સ્વામી! એ પ્રકાશમાં અંધકાર તે મારા હૃદયની ચિંતા છે. હવે ક્ષણવારમાં મારા પિતા આવી તમારે નિમહ કરશે, અને તમે સહાય વગરના એલા શું કરી શકશે? આ ચિંતાના અંધકારે મારા આનંદના પ્રકાશને ઝાંખ કરી દીધો છે. સ્વામીનાથ! તમારા પુણ્યના પ્રકાશથી એ ચિંતારૂ૫ અંધકાર દૂર થઈ જાઓ. શ્રીચંદ્ર ઉત્સાહથી કહ્યું, “પ્રિયા ! હિમ્મત રાખે, તમારા પિતાથી શું અનર્થ થઈ શકે તેમ છે ? તે માનવરૂપે છે, અને હું પણ માનવરૂ૫ છું; તેમાં શે ભય રાખવાને છે ? જે ભાવી હશે તે બનશે, કર્મની પ્રબળ સત્તા આગળ હું અને તે બંને રાંક છીએ. ક્ષાત્રતેજમાં ભયને અંધકાર પેસી શકતા નથી. જગતમાં ક્ષાત્રબળ અપ્રતિહત છે, સાહસની સીમા ક્ષાત્રતેજમાંજ સમાપ્ત થાય છે. ” આવાં શ્રીચંદ્રનાં વચન સાંભળી સરસ્વતીના હૃદયમાંથી ચિંતાંધકાર દૂર થઈ ગયે, હૃદયના સર્વ પ્રદેશમાં આનંદનો પ્રકાશ પડી રહ્યા. પતિના ક્ષાત્રતેજની છાયા તેણીના ઉપર આરૂઢ થઈ ગઈ.
જ્યારે પ્રાતઃકાળ થયો, એટલે યક્ષના પૂજારીએ આ સર્વ બનાવ જોઈ લીધું. કોઈ અજાણ્યા પુરૂષની સાથે રાજકન્યા પરણી, એ વાત તેના જાણવામાં આવી. તરતજ તે કુંડલપુરના દરબારમાં દોડી આવ્ય; તેણે આ વાત રાજા અરિમર્દનને જણાવી. તે સાંભળતાંજ કુંડળપુરના પતિને અતિશય ક્રોધ ચડી આવ્યો. યક્ષમંદિરમાં બનેલા આ ગુપ્ત બનાવથી પિતાની પ્રતિષ્ઠાની હાની થવાનો વિચાર આવ્યો. તરતજ તેણે પિતાના મંત્રીને બોલાવ્યો, અને પોતે જાતે યક્ષમંદિરમાં જવાને તૈયાર થયા. ચતુર મંત્રીએ રાજાને ત્યાં જતાં અટકાવ્યો, અને ચતુરંગ સૈન્યને લઈ સેનાપતિને મોકલવાનો ઠરાવ કર્યો. રાજાની આજ્ઞાથી સેનાપતિ ચતુરંગ સેના લઈ યક્ષમંદિર ઉપર ચડી આવ્યો. ઉછળતા સમુદ્ર જેવા સૈન્યને આવતું જોઇ, રાજકન્યા કંપી ચાલી. તેણે સ્વામીને કહ્યું કે, પ્રાણનાથ ! હવે કેનું શરણ લેવું ? શ્રીચંદ્ર વીરતા દર્શાવી કહ્યું, પ્રિયા ! નાહીંમત થાઓ નહીં, આપણે ધર્મનું શરણ છે, તમે જરાપણ ગભરાશો નહીં. આ મેટા સૈન્યના શા ભાર છે? હું તેને ક્ષણમાત્રમાં વિખેરી નાખીશ. આ પ્રમાણે પ્રિયાને શાંત કરી શ્રીચંદ્ર ગર્જના કરી સૈન્યની ઉપર તુટી પડશે. ક્ષણમાત્રમાં તો તેણે બધા સૈન્યને સર કરી દીધું. તેના ઉત્કૃષ્ટ પુણ્યથી મોટી બળવાન સેના વિખાઈ ગઈ. સૈન્યને પરાભવ જોઈ મંત્રી પિતે ત્યાં આવ્યો; તેણે હાક મારીને શ્રીચંદ્રને પૂછ્યું, અરે ચેર ! તું કેણ છે ? રાજકન્યાનું હરણ કરી ક્યાં જદશ ? તારું નામ, કુળ અને વાસસ્થાન જણાવ. શ્રીચંદ્ર સામી હાક મારી જણાવ્યું, અરે ગષ્ટ ! તારા જેવા અધમની આગળ મારે નામ ઠામ જણાવવાની કાંઈ જરૂર નથી. મેં મારા પરાક્રમથીજ રાજકન્યાનું હરણ કર્યું છે, તારે યુદ્ધ કરવાની ઈચ્છા હોય તે, સામે આવ. આ પ્રમાણે કહી શ્રીચંદ્ર મંત્રીની સામે થયો, અને તેણે પિતાના અતુલ બળથી મંત્રીને સૈન્ય સહીત પાછો હઠાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org