________________
૩૩૬
આનંદ મંદિર, પ્રિયાનાં આવાં વચન સાંભળી શૂરવીર શ્રીચંદ્ર બેલ્યો–પ્રાણેશ્વરી ! તમારું કહેવું યથાર્થ છે. હું સારી રીતે સમજું છું કે, હવે અહીં રહેવું સહીસલામત નથી; પણ આવા અંધકારમાં શી રીતે જવું ? વળી સાંઢડીને હાંકવાનું કામ પણ હું જાણતો નથી. સાંઢણને હંકારવી અને ઝોકાવવી, એજ ખરેખર જાણવાનું છે; તેથી હવે પ્રભાતકાળ થાય, ત્યાં સુધી અહીં જ રહેવું પડશે, જે થવાનું હોય તે થાય. પ્રાણીને શુભાશુભ કર્મ, કુળ આપ્યા વિના રહેતાં નથી. પ્રિયા ! કઈ જાતની ચિંતા કરશો નહીં, પુણ્યને પ્રભાવ મેટે છે. જે પુણ્ય પ્રબળ હોય, તે ચક્રવર્તી રાજા પણ પરાભવ પામી જાય છે, અને અસહાય અને એકાકિ માણસ વિજય મેળવે છે. અત્યારે આપણને પુણ્યની સહાય છે. પંચપરમેષ્ટીનું સ્મરણ કરો, નવકાર મંત્રની નિર્મળતાને પ્રકાશ કરનાર અહંત પ્રભુનું શરણ લ્યો. પ્રિયનાં આવાં વીરત્વ ભરેલાં અને પુણ્યની પ્રગટ શ્રદ્ધાનાં વચન સાંભળી રાજકુમારીને ધીરજ આવી; પછી તે મહાનુભાવાએ રત્નદીપક લઈ પોતાના પતિના મુખને બરાબર અવેલેકયું. મુખના નિરીક્ષણથી તેના હૃદયમાં વિશેષ સતેજ થયો. ચંદ્રના જેવું લલાટ, કમળનાં જેવા નેત્ર અને મુખાકૃતિનું લાલિત્ય જેઈ, સરસ્વતી સાનંદા થઈ ગઈ. પિતાના સંદર્યને અને સૌભાગ્યને તે સાર્થક થયેલું સમજવા લાગી. ક્ષણવાર પછી સરસ્વતીએ કહ્યું, પ્રાણેશ ! યક્ષનાં વચનથી આપના સ્વરૂપને મેં જાણેલું તો છે, તથાપિ પુનઃ વિશેષ સ તોષ પ્રાપ્ત કરવાને પુછવાની ઇચ્છા થાય છે. પ્રાણેશ ! કહો, આપ કોણ છો ? અને કયાંથી આવો છે ? શ્રીચંદ્ર હાસ્ય કરી બોલ્યો–પ્રિયા ! વિવાહથી હદયને અર્પણ કરી, પછી પૂછવું, તે અનુચિત છે. ચતુર માણસ પૂછ પછીજ હદય અર્પે છે, અને સંબંધ જોડે છે. સરસ્વતીએ ઇંતેજારીથી જણાવ્યું, પ્રાણપતિ ! મેં આનંદની ખાતરજ પૂછયું છે, તમારે માટે મારું મન નિઃશંક છે, તમારા હૃદયથી મેં તમારી સર્વ જાતની પરીક્ષા કરી છે. નિર્મળતા જોઇનેજ મેં તમને મારા મનમંદિરમાં સ્થાયા છે. હવે ઈરછામાં આવે તે જણાવો, નહીં તો મારે કાંઈ જાણવાની જરૂર નથી.
સરસ્વતીનાં આવાં સાપેક્ષ વચન સાંભળી શ્રીચંદ્ર હસતો હસતે બેથો-સરલે ! શાંત થાઓ. તમારા પવિત્ર પ્રેમની પરીક્ષા સારી રીતે થઈ છે, હૃદય ઉપરનું અંધકાર દૂર થઈ ગયું છે, મારા હૃદય પર તમારા પ્રેમને પ્રકારે સારું અજવાળું પાડયું છે. મારા વૃત્તાંત સાંભળો. હું જાતે ક્ષત્રિય છું, મારું નામ શ્રીચંદ્ર છે, કુશસ્થળી નગરીમાંથી મુસાફર થઈ અહીં આવ્યો છું. વિદેશનાં અનેક કૅતક જેવાનો લાભ સંપાદન કરવાની ઈચ્છાએ હમેશાં હું વિચરું છું. આ સાંભળી સરસ્વતીના આનંદમાં વધારો થઈ ગયો. પિતાને મનોવાંછિત પતિ મળવાથી સ્ત્રી જીવનને કૃતાર્થ માનવા લાગી, તેમજ હૃદયમાં ઉંડી રીતે પિતાના આ ગુપ્ત વિવાહના વિજયની આશા રાખવા લાગી. પછી સરસ્વતીએ અંજલી જોડી કહ્યું, પ્રાણેશ ! મારા આનંદમાં મોટો વધારો થયો છે. આનંદનાં તેજસ્વી કીરણો મારા હૃદયાંધકારને દૂર કરે છે, તથાપિ તે અંધકારનો સમૂળગે નાશ થતો નથી. હૃદયના એક પ્રદેશમાં અંધકારની મલિન છાયા રહે છે. શ્રીચંદ્ર ઇંતેજારીથી પુછયું, પ્રાણેશ્વરી : તે શું ? મને ફુટ કરી સમજ પ્રકાશની અંદર થોડો પણ અંધકાર ન રહે તે જોઇએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org