________________
સરસ્વતી.
૩૩૫ કોઈ વીર માનવ રત્નને શોધી કાઢે. રાજા આ પ્રમાણે મંત્રીને કહેતો હતો, ત્યાં એક વાચક નીચે પ્રમાણે બોલી ઉઠયો–
કુશસ્થળપુરને રાજકુમાર શ્રીચંદ્ર છે, તે દાતા, ભક્તા, સાહસી અને ગુણરૂપ મણિરત્નનો ભંડાર છે, તે મહાવીર કોઈ કારણથી રીસાઇને બહાર ચાલ્યો ગયો છે.”
યાચકના આ શબ્દો કવિતારૂપે સાંભળી, રાજા આશ્ચર્ય પામી ગયો, પિતાને એ વાત અનુકુળ હતી, તથાપિ તે મૌન ધરીને બેસી રહ્યા.
આજ દિવસે રાજકન્યાને સ્વમામાં આવી યક્ષે કહ્યું કે, રાજકુમારી ! ચિંતા કરશો નહીં, આજથી પાંચમે દિવસે હું તને મનોવાંછિત વરની સાથે ભેટાડીશ. યક્ષનાં આવાં વચનથી રાજકન્યા ઘણી ખુશી થઈ. તે વાત તેણીએ અમો, કે જે તેમની સખીઓ છીએ, તેમને જણાવી. આ અરસામાં એવું બન્યું કે, નગરમાં શ્રી દત્ત નામે મંત્રીને પુત્ર હત, તે રાજકુમારીના સંદર્યથી તેણીની ઉપર રાગી થયો હતો, તેણે રાજકન્યા મેળવવાને અનેક ઉપાય કરવા માંડયા. મંત્રીના કહેવાથી અરિમર્દન રાજાના મનમાં પણ એમ થયું કે, આ રાજકન્યા મંત્રીપુત્ર શ્રીદત્તને જ આપવી. આ ખબર જાણી દઢ હૃદયની રાજબાળાએ અને તે વાત જણાવી, અને યક્ષના કહેવા પ્રમાણે આજે વિવાહની સામગ્રી લઈને અમે અહીં છુપી રીતે આવેલાં છીએ, અને એ મહાશયાના મહા ભાગ્યથી આજે તમારાં દર્શન થયાં છે. રાજપુત્ર ! હવે સત્વર તૈયારી કરે, આ બાળાના મનોરથ પૂરા કરો. જે આ ખબર અમારા મહારાજાને કાને આવશે તે, વિપરીત થશે.
આ બધે વૃત્તાંત સાંભળી, શ્રીચંદ્ર નિશ્ચય કર્યો કે, “ આશા ધરી આવેલી આ રાજકન્યાને નિરાશ કરવી નહીં; વળી તેણીની સાથે મારો સંબંધ કર્ભજનિત છે.” આવા નિશ્ચયથી ચંદ્ર તે રાજકન્યાનું પાણિગ્રહણ કર્યું. સદ્ભાગ્યના પ્રભાવથી અને પુણ્યના પ્રતાપથી શ્રીચંદ્ર સરસ્વતીને પતિ થયા. એક સદ્ગુણરૂપ સરસ્વતીથી તે પ્રથમ તે સુભિત હતો, તે આ સગુણ સરસ્વતીથી વિશેષ સુશોભિત થયે. શ્રીચંદ્ર જેવા સદગુણી પતિને સંપાદન કરી, સરસ્વતીએ પિતાના સૌભાગ્યને સાર્થક કર્યું. જેવી રીતે આ મહાન લાભથી રાજકુમારી સરસ્વતીના હૃદયમાં આનંદ થયો હતો, તેવી જ રીતે તેને આનંદની સાથે ચિંતા પણ થઈ હતી. તે રાજબાળાએ વિચાર્યું કે, “ આ વિવાહ વિધિ ગુણરીતે કરવામાં આવ્યું છે, તેથી પિતાને અતિશય કોપ થશે. કેપે પ્રેરાયેલા પિતા ને ચડાઈ કરીને આવશે તે, આ સહાય વગરના રાજકુમારને નિગ્રહ થઈ જશે. મારા નિમિત્તે રાજકુમાર
અતિશય કષ્ટ પામશે, તેથી હવે અહીંથી સહીસલામત ચાલ્યાં જવું જોઈએ. આવું વિચારી રાજકન્યા બોલી “ પ્રાણનાથ ! સત્વર તૈયારી કરો, હવે અહીં રહેવું સલામત નથી. આપણે માટે યક્ષ મંદિરની બહાર સાંઢડી ઉભી રાખી છે, એ પવનવેગા સાંઢડી આપણને ક્ષણમાં ઘણે દૂર લઈ જશે. ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org