SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ આનદ મદિર. પરિચિત નથી, તેમનાં ચરિત્રનું, કે તેમની ઉત્પત્તિ તથા આ પ્રવૃત્તિનું તમને ખીલકુલ જ્ઞાન નથી, ચાલા હવે તમને એ બધાં પાત્રા ઓળખાવીએ. આ યક્ષ મંદિરમાં સૂતેલે પુરૂષ તે આંપણા ધાર્મિક નાયક શ્રીચંદ્ર છે, તે આ યક્ષ મદિરમાં આવી મૂતા છે. આ યજ્ઞ મદિર કુંડલપુરના ઉદ્યાનમાં આવેલું છે. રાજકુમાર શ્રીચંદ્ર સુત્રેય રથ તથા કુજર્ સારથિને સાથે લઇ કુંડલપુર આવ્યા હતા. પોતાના કાલેા ખીજે સ્થળે રાખી, તે કુંડલપુર જોવાને ગયા હતા. સ ંધ્યાકાળ થયા, એટલે ત્યાંથી પાછા ફરી તે આ યક્ષ મદિરમાં આવી સૂતે હતો. આ વખતે કુંડલપુરની રાજકુમારી સરસ્વતી પેતાની એ સખીઓની સાથે અહીં આવી છે. તે બંને સખીઓનાં નામ સુનામિકા અને સુરૂપિણ છે. આ વીર પુરૂષને સુતા જોઇ, તેઓ આશ્ચર્ય પામી જાય છે, અને જે જાગ્રત કરવાના પ્રયત્ન કરે છે. કર્મની ગતિ કેવી વિચિત્ર છે ? સુકૃતની પ્રબળતા કેવી ઋદ્ભુત છે ? પુરૂષ ગમે ત્યાં ગયા હોય, અને ગમે ત્યાં છુપી રીતે રહ્યા હોય, પણ સમૃતની શ્રેણી નૃત્ય કરતી કરતી શુભ મૂળ લઈને તેની પાસે આવે છે. સાહિત્યકાર તેને માટે નીચેનું પદ લખે છે:— यद्यपि कृतसुकृतलवः प्रयाति गिरिकंदरांतरेषु नरः । करकलितदीपकलिका विलोक्य लक्ष्मीस्तमनु याति ॥ १ ॥ ભાવાર્થ—એક ચેાડુ' સુકૃત કરી પુરૂષ પર્વતની ગુફ઼ામાં ચાલ્યે! જાય, તર્થાપ લક્ષ્મી હાથમાં દીવી લઈને તેને જોતી જોતી તેની પાછળ જાય છે. ૧ તે વિષે જ્ઞાનવિમળસૂરિ પણ પેાતાના રાસમાં તેને મળતુંજ નીચે પ્રમાણે લખે છેઃ— જેહને સાથે સુકૃત છે, તે જાણા તિહાં જાય, કરતલ દિપકની પરે, લક્ષ્મી હેાય સહાય, ક્ષણુવાર પછી રાજકુમાર સાનદાયૅ થઇ લ્યે, સુંદરીએ ! તમે કાણુ છે ? આવા એકાંત સ્થળમાં રાત્રે ક્યાંથી આવે છે? તમારી સાહસ શક્તિ બળવાન લાગે છે, આવા સ્થળમાં અબળા તિ આવે, તે જોઇ ને આશ્ચર્ય ન થાય ? આ વખતે તમે અહીં આવ્યાં, તેનું શું પ્રયેાજન છે ? વળી મારી ગાઢ નિદ્રાને ભંગ કરવાનું કારણ શું એ ? મ ંદિરની બહાર કાઇ તમારી સાથે આવેલ છે કે નહીં ? રાજકુમાર શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી, તેઓમાંથી એક સ્ત્રી ખેાલી— મહાવીર ! આ સુંદરી અરિમર્દન રાજાની પુત્રી સરસ્વતી છે, તે હંમેશાં યક્ષની પૂજા કરે છે, પેતાના સાલગ્યની વૃદ્ધિને માટે તેણીની આસ્તા યક્ષની ઉપર વધારે છે, યક્ષના પ્રભાવથી તેના ભાગ્યને મહિમા વધ્યા છે. એક વખતે રાજકુમારી પોતાના પિતાના ઉત્સંગમાં એડી હતી, પુત્રીનું સર્ય અતે યોગ્યપણું જોઇ, રાજાએ મંત્રીને જશુાવ્યું કે, આ પુત્રીના વરને માટે તપાસ કરે!. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy