SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતી. ૩૩૩ ચેષ્ટા શાંત પડી ગઇ હતી, નિદ્રાની મહા શક્તિએ તેને નિશ્ચેષ્ટ અને સૂટ કરી દીધા હવે, રાત્રિના સમય અને મંદિર એકાંત હતું, તથાપિ તે નિર્ભયપણે નિદ્રાનો. સ્વાદ લેતેા હતા. ત્યાં પુતી તે ત્રણ બાળાઓમાં એક મુખ્ય હતી, અને બીજી એ તેની આશ્રિત સખીઓ હતી, બીજી એ તેની આશ્રિત છતાં તે મુખ્ય નાયિકાની સમાનતાને ધારણ કરતી હતી. મુખ્ય નાયિકા તેનું માન સાચવતી, અને ક્ષણે ક્ષણે તેની તરફ પ્રેમદષ્ટિએ જોતી હતી. તે સૂતેલા પુરૂષને જોતાંજ મુખ્ય નાયિકાને સ ંભ્રમ થઇ ગયા. પાતાની મને‰. ત્તિની ધારણા સફળ થવાથી તેણી અત્યંત આનંદ પામી ગઇ. તત્કાળ તેણીએ પોતાની બંને સખીએને કહ્યું, સખી ! યક્ષની વાણી સળ થઇ. જેને માટે યક્ષ દેવે પ્રેરણા કરી આપણને અહીં મેાકલ્યાં, તેજ આ વીર પુરૂષ છે. સખીએ ! આ સૂતેલા વીર પુરૂપને જગાડવા જોઇએ; જરૂર તેજ પુરૂષ છે. સખીઓ મેલી, પ્રિય સખી ! તમારૂં કહેવું યથાર્થ છે, તમારા મનની ઇચ્છા પૂર્ણ કરનાર અને તમારા મનેારથને સમૂળ કરનાર, આ વીર નરજ છે. સખી ! હવે તેને જગાડા, અને તમારૂં સુંદર દર્શન કરાવે. હજુ તે ગાઢ નિદ્રામાં તલ્લીન છે. આ મહાશયનાં સત્કર્મને પડદો જ્યાં સુધી પડયા નથી, ત્યાં સુધી તે અજ્ઞાન દશારૂપ નિદ્રા સુખને અનુભવે છે. તેને ખબર નથી કે, મારે માટે એક સુંદર રાજકુમારી વરવાને તૈયાર થઇ ઉભી છે. ભાગ્યના ઉંચા શિખર ઉપર મારે હમણાંજ ચડવાનું છે, મારે પૂર્વ કર્મનાં મહા ળ અનુભવવાના સમય નજીક આવ્યા છે, અને મારી આાલતા નવપલ્લવ થઇ મધુર ફળ આપવાને ઉન્મુખ થઇ રહી છે. સખીએનાં આવાં વચન સાંભળી રાજબાળા ખેલી, પ્રાણનાથ ! જાગ્રત થાઓ. આ રાજપુત્રી પેાતાની ભાગ્યદેવીની પૂજા કરી, આપની પૂજા કરવાને તૈયાર થઇ ઉભી છે. આપ મહાશયને મળવાના મહા માર્ગ એ ભાગ્યદેવીએ મને દર્શાવ્યા છે. તે માર્ગને અનુસારેજ હું આપની સન્મુખ આવી ઉભી છું. પ્રાણેશ ! જાગ્રત થાઓ, આપની પહેલાં મારાં અને તમારાં સદ્ભાગ્ય જાગ્રત થઇ ગયાં છે. આવા રાજબાળાના શબ્દો તે રાજકુમારના પુર્ણ માર્ગમાં થઇ અંતરમાં પેઠા. તરતજ નિદ્રાના મહા મેાહ પવનથી વાદળની જેમ વીંખાઇ જવા લાગ્યા, મૂર્છા અને જાતિ વચ્ચે યુદ્ધ ચાલ્યું; જાગ્રતિએ જોર કરી મલિન મૂôાને દબાવી દીધી. તે પુરૂષ તરતજ જાગ્રત થઇ ખેડો થયા; આગળ અવલોકન કરતાં રાજબાળા અને તેની એ સખી ષ્ટિએ પડી. વાંચનાર ! ચાલતા પ્રસંગને લછં તમે આ જાગેલા પુરૂષને ઓળખી લીધેા હશે. એ પુરૂષ તમારે ધણા પરિચિત છે, તેનાં ઉન્નતિ ભરેલાં ચરિત્રા તમે પ્રથમથીજ વાંચતા આવા છે; એટલે તે પુરૂષના જ્ઞાનનું પ્રતિબિંબ તમારા હૃદય દર્પણમાં પડી ગયું હશે. શ્રીજી જે ત્રણ સુંદરીએ છે, તેને તમે ઓળખી શકશે। નડ્ડીં કારણ કે, તેઓ તમારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy