SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ આનંદ મંદિર. થઈ ગયા. તેમના જંગલી વિચારોમાં ઘણો ફેરફાર થઈ ગયે, તેમના મલિન સંસ્કારોમાં ઉત્તમ પ્રકારનો સુધારો થઈ આવ્યા, તેઓના હદયમાં માનવ જીવન કાંઈક ઉત્તમ પદાર્થ છે, એવું ભાન આવ્યું. તેઓ બધાએ વિનયથી નમન કરી, શ્રીચંદ્રને ઉપકાર માન્યો, અને તેને મના વિયોગને માટે હૃદયને શક પ્રદર્શિત કર્યો. તેમનામાંથી જયકુંજર નામના એક ઉત્તમ જતના ક્ષત્રિયને પિતાના સુવેગ રથને સારથિ નિમી અને ભિલકન્યા તથા બીજા પરિવારને કુશસ્થલીપુરીમાં જઈ અંગીકાર કરવાની પ્રતિજ્ઞાનાં વચન આપી, શ્રીચંદ્ર માર્ગે રવાને થયો. પ્રેમી કિરાત વર્ગ અને કિરાત કાંતાઓ તેને વલેટાવાને કેટલેક દૂર આવ્યાં. શ્રી ચંદ્રને રથ જ્યાં સુધી દેખાય, ત્યાં સુધી તેઓ એક દ્રષ્ટિએ તેની સામે જોઈ રહ્યાં, અને જ્યારે અદર્શન થયું, ત્યારે નયનમાંથી અશ્રુધારા ચાલવા લાગી. મેહિની અને તેનો પરિવાર બીજે માર્ગે ગયો હતો. શ્રીચંદ્ર અને હિનીના માર્ગ અત્યારે જુદા હતા, પણ તેમના પ્રેમનો માર્ગ એકજ હતો. તે પ્રેમયજ્ઞની સમાપ્તિ આખરે કુશસ્થળી નગરીની રાજધાનીમાં થવાની છે. સુગરથને દિવ્ય પ્રભાવ પોતાના મૂળ નાયકને મળવાથી વિશેષ પ્રદીપ્ત થયો. હવે તે રથ અને તેના નાયકનો ચરિતાનુયોગ ક્યાં થશે, અને તેમાં બીજો શો ચમત્કાર આવશે ? તે વાચકને આગળ જણાશે. પ્રકરણ ૬૧ મું. - સરસ્વતી. ' ન એ ક સુંદર યક્ષ મંદિર આવેલું છે. મંદિરની શોભા વિમાનના જેવી છે, તેના કાકી મનોહર સ્તંભ ઉપર અભુત કારીગરી રચેલી છે, પ્રત્યેક સ્તંભ ઉપર નમુનાદાર પુતળીઓ ગોઠવેલી છે, મંદિરના મધ્ય ભાગે ઉંચે અને મોટા ફી ઘેરાવવાળો ઘુમટ આવેલું છે, ઘુમટની ચારે બાજુ જુદાં જુદાં ચમત્કારી ચિત્રો ચિતરેલાં છે, કોઈ દેવતાનાં, કોઈ દેવીઓનાં, કોઈ રાજાઓનાં, કોઈ શૂરવીરનાં, અને કઈ શાસન દેવતાઓનાં છે, પ્રત્યેક ચિત્ર જાણે પ્રત્યક્ષ રૂપે હોય, તેવાં દેખાય છે. આવા સુંદર મંદિરમાં એક રાજકન્યા બે સખીઓની સાથે ફરે છે. રાત્રિને સમય છે, મંદિરમાં જડેલાં રત્નોના પ્રકાશથી અંધકાર દૂર થઈ ગયું છે, તેમાં વળી આ રાજકન્યાના તેજથી અને તેનાં રત્નમય આભૂષણોથી એ પ્રકાશમાં વધારો થાય છે તે ત્રણે બાળાઓ ફરતી ફરતી મંદિરના એક ભાગમાં આવી, ત્યાં એક તરૂણ પુરૂષ સતે જોવામાં આવ્યું. તેની આકૃતિ મેહક હતી, તથાપિ રાત્રિના ઝાંખા પ્રકાશથી તે જોઈએ તેવી દેખાતી નહતી. નિદ્રાએ તેને મનોબળને મૂઢ બનાવી દીધું હતું. તેની બધી શારીરિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy