________________
૩૩૦
આનદ મંદિર.
છે. પુત્રનું માંસ ખાવું સારું, પણ મૂળીયાંનું ભક્ષણ કરવું સારૂં નહીં. તે ભક્ષણ કરવાથી માસ નરકે જાય છે, અને તેને વજવાથી સ્વર્ગે જાય છે.
તેને માટે જૈન સિદ્ધાંતમાં પણ લખે છે—
" मज्जमिय मसंमिय णवनीयंमि चउध्थए । उपज्जंति असंख्या तवन्ना तत्थ जंतुओ ॥ १ ॥ "
મદિરામાં, માંસમાં, માખણમાં અને મધમાં તેના જેવા રંગવાળા અસંખ્ય જીવા ઉત્પન્ન થાય છે.
કિરાત મિત્રા ! આ વાત ધ્યાનમાં રાખો. તે શિવાય અન્ય મતના માર્કડેય પુરાણમાં એવા પણ લેખ છે કે, જે પુરૂષ શ્રાદ્ધમાં ધર્મ મેળવવાની ઇચ્છાથી મધ આપે છે, તે તે ભોજન કરનારા લપટ પુરૂષોની સાથે ઘેર નરકમાં જાય છે. .કંદ મૂળને ખા નારા મિથ્યાત્વીએના શાસ્ત્રમાં પણ તે વાતને નિષેધ છે. ઇતિહાસ પુરાણમાં લખ્યું છે કે, જે નૃતાક, કાલિંગાં અને મૂળાનું ભક્ષણ કરે છે, તે મૂઢ પુરૂષ અંતકાળે દુઃખ પામશે. જેના ધરમાં સારૂં અન્ન છતાં મૂળા રંધાય, તે તેનું ઘર સ્મશાન જેવું છે, અને તેના ધરમાં પિત્રિ રહેતાં નથી. પદ્મ પુરાણમાં લખે છે કે, અડદ અથવા મગ વિગેરે +ગારસની સાથે ભક્ષણ કરે, તો તે માંસ તુક્ષ્ય છે. સૂર્ય અસ્ત થયા પછી જળ, રૂધિર સમાન અને અન્ન, માંસ સમાન ગણાય છે, એમ માર્કંડેય મુનિએ કહેલું છે. વળી તે લખે છે કે, રાત્રિ ભોજન, પરસ્ત્રી ગમન, સંધાન ( મેળ અથાણું ) અને અનંત કાયનું ભક્ષણ, એ ચાર નરકનાં દ્વાર છે,
હૈ કિરાતલાકે ! કેટલાએક અભક્ષ્ય પાયા છે, તે તમારે જાણવા જોઇએ. જેમાં સક્ષેપથી મદ્ય, માંસ, માખણ, મધ, બહુબીજી, કદ, મૂળ વિગેરેને સર્વથા ત્યાગ કરવાં; તેની અંદર સૂક્ષ્મ જીવ ઉત્પન્ન થાય છે. તે અન્ય મતમાં પણ એટલે સુધી
લખે છે કેઃ—
पृथिव्यामप्यहं पार्थ वायावनौ जलेऽप्यहम् । वनस्पतिगतश्चाहं सर्वमात्ममयं जगत् ॥ १ ॥ तन्मां सर्वगतं ज्ञात्वा न हिंस्येत कदाचन ।
अहं सर्वस्य तुल्यत्वं भजामि कल्पोझितः ॥ २ ॥
હે અર્જુન ! પૃથ્વીમાં, વાયુમાં, અગ્નિમાં, જળમાં અને વનસ્પતિમાં હું પોતે જીવ રૂપે રહેલા છું, એથી આ બધું જગત્ આત્મમય છે. મને સર્વવ્યાપક જાણીને કાઇની હિંસા કરવી નહીં. હું કલ્પ રહિત છને સર્વની તુલ્યતાને ભજી' છું. ૧-૨
+ કાચું-ઉષ્ણુ નહીં કરેલુ દુધ, દહીં કે છાશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org