________________
३२८
આનંદ મંદિર. વિષ્ણુપુરાણમાં લખે છે કે – " ग्रामाणां सप्तके दग्धे यत्पापं जायते किल । . तत्पापं जायते पार्थ जलस्यागलिते सति ॥ १ ॥ संवत्सरेण यत्पापं कैवर्त्तस्यैव जायते । एकाहेन तदामोति अपूतजलसंग्रही ॥ २ ॥ यः कुर्यात्सर्वकर्माणि वस्त्रपूतेन वारिणा ।
स मुनिः स महासाधुः स योगी स महाव्रतः ३ ॥" હે અર્જુન ! સાત ગામ બાળવાથી જે પાપ થાય, તે પાપ ગળ્યા વિના જળ પીનારને લાગે છે. ઢીમરને એક વર્ષમાં જેટલું પાપ લાગે, તેટલું પાપ ગળ્યા વિના જળ પીનારને લાગે છે, ગળેલા જળથીજ બધાં કાર્યો કરે છે, તે જ ખરો મુનિ, ખરો સાધુ, ખરો યોગી અને ખર મહાવ્રતધારી છે.
ઇતિહાસ પુરાણમાં અહિંસાને માટે નીચે પ્રમાણે લખે છે – " अहिंसा परमं ध्यानं अहिंसा परमं तपः । अहिंसा परमं ज्ञानं अहिंसा परमं सुखम् ॥ १ ॥ अहिंसा परमं दानं अहिंसा परमो दमः । अहिंसा परमो यज्ञो अहिंसा परमं शुभम् ॥ २ ॥ तमेव ह्युत्तमं धर्म अहिंसा धर्मलक्षणम् ।
ये चरति महात्मानो विष्णुलोकं व्रजति ते ॥ ३ ॥ અહિંસા એ પરમ ધ્યાન છે, અહિંસા પરમ તપ છે, અહિંસા પરમ જ્ઞાન છે, અહિંસા પરમ સુખ છે, અહિંસા પરમ દાન છે, અહિંસા પરમ દમ છે, અહિંસા પરમ યા છે, અને અહિંસા પરમ શુભ છે. જે મહાત્માઓ તે અહિંસા લક્ષણ ઉત્તમ ધર્મને આચરે છે, તે મહાત્માઓ વિષ્ણલેકમાં જાય છે.
કૂર્મ પુરાણમાં નગપલ ગ્રંથમાં લખે છે – " अभक्ष्याणि ह्यभक्ष्याणि कंदमूले विशेषतः ।
नूतनोदयपत्राणि वर्जनीयानि सर्वतः ॥ १ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org