________________
३२७
મોહિનીને મેળાપ. મહાભારતમાં વળી લખે છે –
यूकामत्कुणदंशादीन् ये सदा ज्ञानिनस्तथा । पुत्रवत्परिरक्षति ते नराः स्वर्गगामिनः ॥ १ ॥ आतपादौ च येघ्नन्ति ते वै नरकगामिनः ।
जीवानां सर्वथा कार्या रक्षा चैवापराधिनाम् ॥ २ ॥
જે જ્ઞાની પુરુષ છું, માકડ, અને ડાંસ વિગેરેની પુત્રની જેમ રક્ષા કરે, તે પુર છે સ્વર્ગે જાય છે. જેઓ જું, માકડને તડકા વિગેરેમાં મારે છે, તેઓ પણ અવશ્ય નરકે જાય છે. અપરાધી જીવેની પણ સર્વદા રક્ષા કરવી.
જેની રક્ષાને માટે પાણી ગળવાની યતના રાખવી જોઈએ, અને તેને માટે પુરાણોમાં નીચે પ્રમાણે કહેલું છે –
विंशत्यंगुलमानं तु त्रिंशदंगुलमायतौ ।। तद्वस्त्रंद्विगुणी कृत्य गालयित्वा पिबेज्जलम् ॥ १ ॥ तस्मिन् वस्त्रस्थितान् जीवान् स्थापये जलमध्यतः एवं कृत्वा पिबेत्तोयं स याति परमांगतिम् ॥ २ ॥ दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं पिबेजलम् । सत्यपूतं वदेद्वाक्यं मनःपूतं समाचरेत् ॥ ३ ॥ सप्तग्रामेण यत्पापं अग्निना भस्मसात्कृतम् ।
तत्पापं जायते तस्य मधुबिंदुमभक्षणात् ॥ ४ ॥ વીશ આગળ પહોળું, અને ત્રીશ આગળ લાંબું વસ્ત્ર લઈ, તેને બેવડું કરી, તેવડે ગાળીને પાણી પીવું. તે ગરણામાં રહેલા જીવને જળની અંદર પાઠવવા. આ પ્રમાણે કરીને જે જળપાન કરે, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિથી પવિત્ર કરી પગ મુક, વસ્ત્રથી પવિત્ર [ ગળેલું ] પાણી પીવું, સત્યથી પવિત્ર વાણી એલવી, અને મનની પવિત્રતાથી પ્રવર્તતું. સાત ગામને અગ્નિ લગાડી બાળવાથી જે પાપ થાય, તેટલું પાપ મધનું मे 1 मा .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org