________________
૩૨૬
આનંદ મંદિર, જોઈએ. તે કલ્યાણક પાંચ પર્વના સ્થાનરૂપ છે. તે પર્વને માટે એકલું જિન શાસ્ત્રમાં કહ્યું છે તેમ નથી; પણ બીજા અન્ય મતમાં પણ ઘણે સ્થળે કહેલું છે. વિષ્ણુપુરાણમાં લખે છે કે, ચૌદશ, આઠમ, અમાવાસ્યા, પૂર્ણિમા અને સૂર્યસંક્રમણ, એ પાંચ પર્વ કહેવાય છે, તે પર્વના દિવસોમાં તેલ, માંસ અને સ્ત્રીને ભોગ કરનારા પુરૂષ મર્યા પછી વિમૂત્ર મગન નામના નરકમાં જાય છે. મહાભારતમાં લખે છે કે, “હિંસા કરનાર, હિંસાની અનુમોદના કરનાર, માંસભક્ષક માંસ વેચનાર. અને ખરીદ કરનાર, એ પાંચે પ્રાણિના ઘાતક ગણાય છે. હે રાજા ! જેટલાં પશુની ઉપર રૂવાટાં હોય, તેટલાં હજાર વર્ષ સુધી પશુઘાતક મનુષ્ય પીડાય છે.
મહાભારતના શાંતિ પર્વમાં નીચે પ્રમાણે લખે છે-- यूपंछित्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् ।। यद्येवं गम्यते स्वर्गे नरके केन गम्यते ? ॥ १ ॥
ચા તંભને છેદી, પશુઓને હણી, અને રૂધિરને કાદવ કરી, જો વર્ગ જાતું હોય, તે પછી નરકમાં કેને જવાનું ? ૧
માર્કડેય પુરાણમાં પણ લખે છે –
जीवानां लक्षणं श्रेष्टं जीवा जीवितकांक्षिणः तस्मात्समस्तदानेभ्योऽभयदानं प्रशस्यते ॥ २ ॥
“ જીવ જીવવાની ઇચ્છા રાખે, એ જીવનું શ્રેષ્ટ લક્ષણ છે; માટે સર્વ દાનમાં જીવને અભયદાન આપવું, તે પ્રશંસનીય છે.” ૧ માર્કડેય પુરાણમાં આઠ પુષ્પો કહેલાં છે. તે નીચે પ્રમાણે
" अहिंसा प्रथमं पुष्पं पुष्पमिंद्रियनिग्रहः ।
सर्वभूतदया पुष्पं क्षमा पुष्पं विशेषतः ॥ १ ॥ ध्यानपुष्पं तपः पुष्पं ज्ञानपुष्पं तु सप्तमम् ।
सत्यं चैवाष्टमं पुष्पं तेन तुष्यन्ति देवताः ॥२॥
પહેલું પુષ્પ અહિંસા, બીજું પુષ્પ ઈદ્રિયોને નિગ્રહ, ત્રીજું પુષ્પ સર્વ પ્રાણિ ઉપર દયા, ચોથું પુષ્પ ક્ષમા, પાંચમું ધ્યાન, છઠું પુષ્પ તપ, સાતમું પુષ્પ જ્ઞાન, અને આઠમું પુષ્પ સત્ય, એ આઠ પુવડે દેવતા સંતુષ્ટ થાય છે. ૧-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org