________________
મેહિનીને મેળાપ. પડે. ક્ષણ વાર વિચાર કરી, અને પિતાની પુત્રીને દઢ નિશ્ચય જાણી, તે રાજકુમારની પાસે મહિનને લઈને આવ્યા. કિરાતપતિએ આવી કુમારના ચરણમાં પ્રણામ કર્યો, અને વિનયથી તે બે –રાજકુમાર ! તમે મોટા રાજા છે, અમે એક વનવાસી છીએ, અજ્ઞાનતાને લઇને અમોએ જે સાહસથી અપરાધ કર્યો, તેને માટે ક્ષમા કરશે. અમે વનવાસી જંગલી કહેવાઈએ, અમારી મનોવૃત્તિ ઉપર અજ્ઞાનતાનું આચ્છાદન સર્વદા રહ્યા કરે છે, તેથી અમો દીર્ધ વિચાર કર્યા વગર જ આપની સામે થયા હતા. રાજેંદ્ર ! આપ દયાળુ અને ક્ષમાધારી છે, તેથી હું એક વિનતિ કરવા આવ્યો છું. મેહિની નામે મારે એક પુત્રી છે, તે આપના સુશીલ અને સિદર્યમાં રાગિણી થઈ છે, તેને આપ અંગીકાર કરે. મહાન પુરૂષો કોઇની પ્રાર્થનાને ભંગ કરતા નથી. ભીલનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્ર કહ્યું, ભીલરાજ ! તમે કરેલા અપરાધને માટે મારા મનમાં કાંઈ નથી, બીજાની ઉત્તમ વસ્તુ ભોગવવાની ઈચ્છા થવી, એ રાજસી પ્રકૃતિ છે; તેવી પ્રકૃતિને લઈ યુદ્ધ થાય, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, અને તેને માટે કોઇને ક્ષોભ કરવાનું નથી. બીજું તમે તમારી પુત્રીને માટે જે કહ્યું, તે વાત અનુચિત છે. અમે શુદ્ધ ક્ષત્રિય છીએ, અને તમે ભીલ જાતિ છે, કયાં મણિ ! અને કયાં કાચ ! રાજકન્યાને મુકી ભીલ કન્યાને કેમ પરણી શકાય ? એમ કરવાથી અમારું કુળ કલંકિત થઈ જાય પછી ભારતવર્ષમાં પ્રખ્યાતિ પામેલા ક્ષત્રિય વંશને કઈ માન આપે નહીં, માટે આ કાર્ય મારાથી શી રીતે થાય ? તે વખતે લજજ છોડી મેહવતી મહિની બોલી–રાજકુમાર ગમે તે કરો, પણ મારે વિચાર કરવાનો નથી. જે મને પાણીગણ કરી નહીં પરણે, તે તમારું વસ્ત્ર અને પાદુકા આપે, તેની સાથે હું મારો પવિત્ર સંબંધ જોડીશ. તમારા નામથી અંકિત થઈ હું તમારી દાસી થઈને રહીશ, મારો અંગીકાર કરો. તમારા ઘરની બહારનું કામ કરવાને મારો નિયોગ કરજો. તમારી દાસી ભાવે સેવા કરવાને મને અધિકારિણી કરે, એટલે મારું જીવન સફળ થાય. જે મારી તે પ્રાર્થનાને પણ ભંગ કરશે, તે પછી અગ્નિમાં પ્રવેશ કરીશ. મોહિનીનાં આ વચનથી શ્રીચંદ્રનું હૃદય આર્ટ થઈ ગયું, તેની મનોવૃત્તિમાં મહિનીને માટે દયા ઉપજી, વનવાસિની વનિતાનો ઉદ્ધાર કરવા તેના મનમાં આવ્યું. તરતજ પિતાનું વસ્ત્ર અને પાદુકા તેના હાથમાં મુકી, તે જે ભીલપતિ ખુશી થયો, તરતજ તેણે ભલેને બોલાવી, તેમનો વિવાહોત્સવ કર્યો. વિવાહને પ્રસંગે રથ, ઘોડા, હાથી, બેલ, મોતી, માણેક અને બીજી વસ્ત્રાદિ સામગ્રી શ્રીચંદ્રને ભેટ કરી. શ્રીચંદ્ર તેને સ્વીકારી ઘણેજ ખુશી થશે.
આ પ્રસંગે એક ચમત્કાર બન્યું. ભીલપતિએ આપેલા દાયજામાંથી એક રથ આવી શ્રી ચંદ્રની પાસે ઉભા રહ્યા. રથના ઘડાઓ પગના પુંછડાના અને મસ્તકના ચાળાથી ઘણો હર્ષ દવવા લાગ્યા. તેમનાં નેત્રમાંથી હર્ષના અશ્રુની ધારાઓ ચાલી, પિતાનાં મસ્તક નમાવી, એ પ્રબુદ્ધ પ્રાણીએ શ્રીચંદ્રની આગળ પિતાને પ્રેમ દર્શાવ્યું. તેમને આ દેખાવ જોઈ સર્વ ભીલે ચકિત થઈ ગયા, માત્ર શ્રીચંદ્ર તે વાત સમજી ગયો. શ્રીચંદ્ર ઉભા થઈ પિતાને હાથ તે અશ્વના પૃષ્ટ ઉપર ફેર. દિવ્ય અલ્પાએ ઉત્તમ ચેષ્ટાથી સામે પ્રેમ દર્શાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org