SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ આનંદ મંદિર, આ વખતે એક બીજો બનાવ બન્યો. તે અટવીમાં ભીલ લેકેન મેટો સમૂહ રહેતું હતું. તે ભીલ અટવીનાં ફળખુલથી અને લુંટના દ્રવ્યથી જીવન નિર્વાહ કરતા હતા. તેઓની ઉત્તમમાં ઉત્તમ સમૃદ્ધિ વનભૂમિ હતી, વનની રમણીયતામાં જ તેઓ વિલાસ સુખ ભોગવતા હતા, અરણ્યની અવનીમાં તેમનું સામ્રાજ્ય હતું, વનના કુદરતી ભેગના તેઓ ઉત્તમ ભોગી હતા, તે ભીલના રાજાએ આ ગાઁને સરોવરના તીર ઉપર ફરતો જે. ગજેને દેખાવ, તેનાં લક્ષણો અને તેનું સાંદર્ય જે, શબરપતિને મહ . પિતાના વનરાજ્યમાં આવું પ્રાણી સંપાદિત થાય, તેને માટે તેને પ્રબળ ઈચ્છા થઈ. તત્કાળ તે ભીલ લેકેનું મોટું સૈન્ય લઈ, તે ગજેને લેવા આવ્યો. ગજેન્દ્ર ચમત્કારી હતો, તેનામાં હેય ઉપાદેવનું જ્ઞાન હતું, આથી તે ભીલની સામે થયે સર્વ ભીલો એકઠા થઈ ગજે. કની ઉપર ધસી આવ્યા, એટલે રાજકુમાર યુદ્ધ કરવાને સજ્જ થયે. ભીલ લોકેના સૈનિકે તેના ઉપર તુટી પડ્યા, પણ મોટા પરાક્રમથી શ્રીકે તેમને પરાભવ કરવા માંડ્યો. તે બાહુબળી કુમાર એકલાએ ભીલના પ્રચંડ સૈન્યને ક્ષણમાં પરાસ્ત કરી દીધું. સિંહની આગળ જેમ શિયાળીયાં નાશી જાય, તેમ તેની આગળ ભીલ લેકે નાશી ગયા. તેના અદ્દભૂત પરાક્રમે સર્વ વનવાસીઓને ચકિત કરી દીધા. પરાજિત થયેલા ભીલડા તેના વીર્યને વખાણુતા પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. કુમાર શ્રીચંદ્ર ભીલ લોકોને હરાવી, વિશ્રામ લેવાને એક વૃક્ષ નીચે જરા વાર બેઠે, ત્યાં ભીલડીઓનું એક છંદ તેની પાસે આવ્યું. કિરાત સ્ત્રીઓએ વિચાર્યું હતું કે, “ આપણુ બળવાન ભીલોને ક્ષણમાં હરાવનાર કોણ વીર છે? તે દર્શનીય વીરનું આપણે અવલોકન કરીએ.” આવી ધારણાથી સર્વ કિરાતીઓ જ્યાં શ્રીચંદ્ર વૃક્ષ નીચે બેઠો હતો, ત્યાં આવી હતી. આ કિરાતીઓના છંદમાં ભીલના રાજાની મોહિની નામે એક કન્યા આવી હતી, તે ભલકન્યા છતાં તેનામાં વિનવયના વકાશથી સારું સાંદર્ય દેખાતું હતું, વનવાસિની છતાં તે નાગરી નવવધના ચાતુર્યને ધારણ કરતી હતી. આ કિરાત કન્યા શ્રીચંદ્રને જોઈ મેહિત થઈ ગઈ. તે પ્રભાવિક વીરની સુંદર આકૃતિએ કિરાતબાળા કામને વશ થઈ ગઈ શ્રી ચંદ્રના એલાકિક સાંદ તેને દઢ રીતે આકર્ષી, અને પરાધીન કરી દીધી. તેના અંતરંગમાં શ્રીચંદ્રને તેણે સ્થાપિત કર્યો, અને તેની સાથે પવિત્ર પ્રેમનું બંધન કરવાનો સંકલ્પ કર્યો. કિરાતીઓ રાજકુમારને નિરખી સાનંદાશ્ચર્ય થઈ પાછી ફરી. બીજી કિરાતીઓ માનસરૂપ આસન ઉપર શ્રી ચંદ્રને અવકાશ આપી, પિતપોતાના કાર્યમાં પ્રવર્તી, પણ એકલી માહિતી શ્રીચંદ્રની મોહિની થઈ ગઈ, અને તે શ્રી ચંદ્રને પ્રેમાલયને મનથી પતિ બનાવી મનમગ્ન થતી પિતાના પિતાની પાસે આવી. ભીલબાળા જરા લજજા ધરતી પિતા પ્રત્યે બોલી–પિતાજી ! તમને અને તમારા સૈન્યને પરાભવ કરનાર તે વીર પુરૂષને હું હૃદયથી વરી ચુકી છું, આ ભવમાં એ કુમારજ મારા પતિ છે, બીજા પુરૂષને હું પતિપદ આપવાને ની નથી. મેદનીમાં આમાં મેટિત ન મrી, કિરાત પતિ વિચારમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy