________________
મોહિનીનો મેળાપ.
३२१ મેટી દેટ કરી સર્વને નસાડી મુકે છે, તેની આગળ જવાને કોઈની પણ હિમ્મત ચાલતી નથી, આ ભયંકર ઉત્પાતથી બધી કુશસ્થલીની પ્રજા કંપી ચાલી છે. સર્વને જીવિતને માટે સંશય થઈ પડયો છે, આપ સહાય કરી સર્વનું રક્ષણ કરો.
આ પ્રમાણે તે સેવકે ખબર આપ્યા, ત્યાં કોઈ બીજો સેવક દોડતો આવ્યો. સ્વામી ! સાવધાન રહો, તે ઉન્મત્ત હાથી આપણા દરબારમાં આવે છે. તે સાંભળતાંજ પ્રતાપસિંહ બેઠે થયું. તેણે મહેલના દ્વાર આગળ જોયું, ત્યાં મદથી ભરેલે, પિતાની સુંદને આમતેમ ઉછાળ, ઘુરી કરી ઉછળતો, પિતાના જંતુશળથી પૃથ્વીને ખેદતો, રાતાં નેત્રોથી ચારે તરફ અવલકતો અને પિતાના પગને ઉંચા કરી કુદતે, તે ગજેન્દ્ર રાજાના જોવામાં આવ્યો. તેની ભયંકર મૂર્તિ જોઈ, પ્રતાપના હૃદયમાં જરા ભય ઉત્પન્ન થયે, તેવામાં તે તે હાથી રાજાની નજીક આવી પહોંચ્યો. તેનો ઉગ્ર દેખાવ જોઈ, રાજા પિતાના જીવિતની શંકા રાખવા લાગ્યો. તેના હૃદયમાં વિચાર થયું કે, “આ ભયંકર ગજેંદ્ર અને વશ્ય મારો સંહાર કરશે. તેની પ્રચંડ શક્તિ અત્યારે વિશ્વને પ્રલય કરે તેવી છે, તેના દાંતનો આઘાત જ્યારે પૃથ્વી ઉપર થાય છે, ત્યારે પૃથ્વી કંપાયમાન થાય છે. ” આ પ્રમાણે રાજા ભય સહિત મૃત્યુની ચિંતા કરતા હતા, ત્યાં અકસ્માત તે પરાક્રમી નિમિત્તિ ગજેની સામે ચાલ્યો. સિંહની જેમ તલપ મારી, તે હાથીના સ્કંધ ઉપર ચડી ગયો. રાજા તેને દુરથી અટકાવતા રહ્યા. ગશિક્ષામાં ચતુર એવો શ્રીચંદ્ર પિતાના પરાક્રમથી અને બળના પ્રભાવથી ગજેંદ્રને ખૂબ દમન કરવા લાગ્યો, દમન કરવાની ચતુરાઈથી તે હાથીને નગરની બહાર લાવ્યો. ઉન્મત્ત અને પ્રબળતાથી વધેલે ગજું તેની પ્રેરણાને વશ થઈ ગયો. ક્ષણવાર ગજેન્દ્ર પિતાનું પ્રઢ બળ દર્શાવવા જત, પણ જેપીરૂ૫ રાજકુ મારની સામર્થ ભરેલી કળા આગળ તેનું કાંઈ પણ ચાલતું નહીં. નગરની બહાર નીકળી ગજેને રાજકુમાર દૂર ખેંચી ગયો. કેટલેક દૂર જતાં તે મદેન્મત્ત હાથી તદ્દન શિથિળ થઈ ગયે, તેનાં સર્વ અંગ અતિ નમ્ર થઈ ગયાં, તેની ઉપર શ્રી ચંદ્રની સર્વ સત્તા પ્રવર્તિવા લાગી, આગળ જતાં એક ઘાટાં વૃક્ષોથી ભરપૂર અને શિકારી પ્રાણીઓના નિવાસથી ભયંકર એવી અટવી આવી, તેમાં એક ઉચો પર્વત અને તેની તળેટીમાં એક સરોવર જોવામાં આવ્યું. સરોવરની અંદર ભ્રમરાઓના ગુંજારવથી શબ્દાયમાન કમળવન આવેલું હતું, બને તટ ઉપર શ્વેત હંસોની શ્રેણી જાણે રૂપાની કટીમેખળા હોય, તેમ ચાલતી હતી. આ સુંદર દેખાવ જોઈ, જેપીએ તે સ્થળે વશીભૂત થયેલા ગજેંદ્રને ઉભો રાખે. પિતે તેના અંધ ઉપરથી ઉતરી પડે. પછી નિમિત્તિયાને વેષ ફેરવી, પોતે સ્વાભાવિક વેષે થઈ ગયો; ખરેખર શ્રીચંદ્ર બની ગયો. તે સુંદર સરોવરમાં સ્નાનપાન કરી, કુમારે ગજેંદ્રને તેના નામથી બોલાવ્યો. ગજેકે પિતાના પૂર્વ પરિચિત રાજકુમારને ઓળખી લીધે. વાઘ અને વાહક ભાવથી પવિત્ર એ સ્વામી-સેવક ભાવ પ્રગટ થયે. ગજેંદ્ર જાણે પોતાના અપરાધની ક્ષમા માગતા હોય, તેમ સુંઠ નમાવી, તેની આગળ વિનયથી ઉભો રહ્યો.
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org