SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. પ્રકરણ ૬૦ મું. મોહિનીને મેળાપ. રે તરફ બુબારવ થઈ રહ્યો છે, તે આમતેમ દોડાદોડ કરી રહ્યા છે, પકડ ” “ મારો ” એવા શબ્દો ચોતરફ સંભળાય છે, પ્રચંડ પવનથી જેમ સમુદ્ર ક્ષેમ પામે, તેમ આખું નગર ક્ષોભ પામી ખળભળી રહ્યું છે, રસ વૃદ્ધ પિતાની અશક્તિની નિંદા કરતા અને ક્ષણે ક્ષણે અથડાઈ પડતાદેખવામાં આવતા હતા, બાળકે વેગથી દોડાદોડ કરી પિતાના આશ્રય તરફ રવાના થતા હતા, માતાઓ પોતાના શિશુઓને સંભાળી લેવા શેરીએ શેરીએ ભયભીત થઈ ભમતી હતી, પતિતાઓ બહાર ગએલા પોતાના પતિઓને માટે ચિંતાતુર થઈ, દ્વાર આગળ ચકિત દષ્ટિએ અવલોકતી હતી, પાઠશાળામાં ગયેલાં બાળકની કુશળતાને માટે માતાપિતાને અપાર ચિંતા થઈ પડી હતી, પિતા પુત્રને અને પુત્ર પિતાને શોધતા હતા, ગૃહકારને બંધ કરવામાં લેકે એકતાને લાગ્યાં હતાં, સર્વને આશ્રય લેવાની અકસ્માત જરૂર પડતી હતી, જે જ્યાં આવી ચડ્યું, તે ત્યાંજ ભરાઈ રહ્યું હતું. જયારે એક તરફ લેકોની દડદડ થતી હતી, ત્યારે બીજી તરફ રાજાના સેવકાની અને સૈનિકોની દેહાદેડ થઈ રહી હતી. કોઈ શ લઈ, કેઈ સકળો લઈ, કઇ રાંઢવાં લઇ, કોઈ ચીપીયા લઈ, કેઈ સાણસા લઈ, કઈ વીંછીના આકાર જેવાં સાધન લઈ, અને કઈ મેટાં ભાલાંઓ લઈ, આમતેમ ભમતા હતા. કોઈ ઘોડેસ્વાર થઈ, અને કોઈ ઉટપર આરૂઢ થઈ હકારા કરતા દોડતા હતા, કોઈ પિતાનું શર્ય દર્શાવવા, કોઈ પિતાની હિમ્મત બતાવવા, કે પિતાનું અતુલ પરાક્રમ દેખાડવા, કોઈ મહાન શક્તિ બતાવવા, કઈ રાજભક્તિ દશાવવા, અને કોઈ પ્રા પ્રેમ પ્રગટ કરવા આગળ પડી દોડતા હતા. તેમની દોડાદોડીથી પૃથ્વી ઉપરની રજ ઉડતી હતી, આકાશમાર્ગ ધુમ્રવર્ણ થઈ ગયા હતા. આ વખતે મહારાજા પ્રતાપસિંહ, કે જે પોતાના કુમાર શ્રીચંદ્રના શુભ સમાચાર જાણી અતિ આનંદમાં હતો, અને એ ખબર લાવનાર મંત્રિ બુદ્ધિસાગરને અમૂલ્ય પોષાક આપી, પિતાની કૃતજ્ઞતા દર્શાવતો હતો; તેની પાસે આવી એક સેવકે પ્રણામ કરી ખબર આપ્યા, મહારાજા ! આપણી ગજશાળામાંથી જયકળશ નામે હાથી તોફાનમાં આવ્યો છે, તે પિતાને બાંધવાને ખોલે ઉખેડી, અને મહાવતોને પાડી, ઉન્મત્ત થઈ ગામમાં ફરવા નીકળે છે. જે કોઈ સામું આવે, તેની ઉપર મારવા ધસી પડે છે; ક્ષણ વારમાં તો તેણે અનેક પ્રકાર ની રંજાડ કરી મુકી છે. કેટલાંક ઘરનાં છાપરાં અને મેહેલાતોને તે ભાંગતે જાય છે, મોટી ભયંકર ગર્જનાથી લેકેને ભયભીત કરી દે છે, આથી કુશસ્થળીમાં હાહાકાર થઈ રહ્યા છે છે, લેકામાં ભારે ત્રાસ વર્તાઈ રહ્યા છે, અનેક સૈનિક, ચતુર મહાવતો, અને ઘોડેસવારના ઉસ્તાદ તેની પેઠે પડ્યા છે, તથાપિ તેને જરા પણ પરાભવ થઈ શકતું નથી. તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy