________________
નિમિત્તિયાનું બીજું પરાક્રમ. ૩૧૯ તે સત્વર આપને મળવા ઇચ્છે છે. રાજાએ પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી, એટલે દ્વારપાળ તેને અંદર લઈ ગયો. આ પુરૂષ ઉપર નિમિત્તિયાની દ્રષ્ટિ પડી, તુરત તેણે તેને ઓળખી લીધે. આવનાર પુરૂષ જેવીના મૂળ સ્વરૂપને ઓળખી શક્યો નહીં.
તે પુરૂષે આવી પ્રણામ કરી પ્રતાપના હાથમાં એક પત્ર આપે. રાજાએ પત્ર હાથમાં લઈ તેને પુછ્યું, કયાંથી આવે છે ? તે આનંદપૂર્વક બેલ્ય-મહારાજા ! આપના પુત્ર શ્રીચંદ્ર રાજાને હું બુદ્ધિસાગર નામે મંત્રી છું, તેઓ મારી ઉપર સારી કૃપા રાખે છે, આપને ખબર આપવાને મને મોકલ્યો છે. રાણી સૂર્યવતી તેમની સાથે છે. માતા અને પુત્ર ક્ષેમકુશળ છે, તેમના મિત્ર ગુણચંદ્ર પણ તેમની સાથે છે. ગિરિનિવાસમાં તેમનું નીતિ રાજ્ય પ્રવર્તે છે, તેમના ગુણો તે સ્થળમાં બધે પ્રસરી ગયા છે, તેથી કરીને તેમની ચંદ્રના જેવી ઉજવળ કીર્તિ તરફ પ્રવર્તે છેતેમના યશોગાનને વિદ્વાન કવિઓ ઉચે સ્વરે ગાય છે. મહારાજા ! તે તમારા પુત્રની પ્રેરણાથી હું ત્યાંથી અહીં આવ્યો છું. એ શ્રીચંદ્ર રાજાના તાબામાં કનકપુર નામે એક બીજું નગર છે, તે નગરમાં શ્રીચંદ્ર રાજાની આજ્ઞાથી લક્ષ્મણ નામે એક મંત્રી રહે છે, તેને મળવાની મને તેમના તરફથી ભળામણ થઈ હતી, તેથી તેને મળીને આજે હું અહિ આવ્યો છું. પછી તે કનકપુરના રાજ્યને શ્રીચંદ્ર કેવી રીતે મેળવ્યું, અને ત્યાં બે કન્યાનું શ્રીચંદ્ર, અને એક કન્યાનું ગુણચંદ્ર કેવી રીતે પાણિગ્રહણ કર્યું, એ બધે વૃત્તાંત બુદ્ધિસાગરે પ્રતાપસિંહને સવિસ્તર જણાવ્યો. તે પછી પ્રતાપસિંહે શ્રી ચંદ્રને પત્ર વાં. આ ખબર કુશસ્થળીમાં પ્રસરી ગઈ. સર્વ પ્રજા આનંદ મગ્ન થઈ ગઈ. મહારાજા પ્રતાપે તે ખુશાલીમાં યાચકને અગણિત દાન આપ્યાં, જૈન મંદિરમાં પૂજા ભણાવવામાં આવી, વિદ્વાન મુનિઓને પ્રતિલાભિત કરવા પ્રયત્ન કરવા માંડયા, મોટા મોટા આડંબરથી ધાર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યાં, દિન તથા દુઃખી જનને ઉદ્ધાર કરવા માંડે. કારાગૃહમાંથી બંદીવાનને છોડી મુક્યા, અવાચક પ્રાણીઓને છુટાં મુકી તૃપ્ત કરાવવા માંડ્યાં, કુશસ્થળીમાં ઘેર ઘેર આનંદ મંગળ વર્તાઈ રહ્યા. લેકેએ મોટો ઉત્સાહ દર્શાવી, અનેક જાતના ઉત્સવ કર્યો. મહારાજાના દરબારમાં ઉપરાઉપર વધામણુઓ આવવા લાગી. ચારણ, ભાટ, રસાલંકારવાળાં કવિત બેલી, મોટાં મોટાં ઇનામો મેળવવા લાગ્યા. પ્રત્યેક ચકલે અને શેરીએ લોકોનાં વંદ એકઠાં થઈ, મહારાજાની આગળ હર્ષ બતાવવા લાગ્યાં. કુશસ્થળીમાં આ બનાવ અદૂભુત હતો. મહારાજાના પુનજિવનથી પણ તે વધારે હતે. ઘણા કાળ થયાં શ્રી ચંદ્રરૂ૫ ચંદ્રનાં દર્શન કરવાને ચકેરની ચેષ્ટા કરતી, કુશસ્થળીની પ્રજાને એવો આનંદ થાય, તેમાં શું આશ્ચર્ય ? શ્રીચંદ્ર જેવા રાજકુમારને કઈ પ્રજા ન ચાહે ? કોણ તેના દર્શનથી તૃપ્ત ન થાય કે તે મહાનુભાવ કુમારે બાલ્ય વયથી જ સારા ગુણો ધારણ કરેલા છે, તેનામાં ધાર્મિકતા ઉત્તમ પ્રકારની છે, અને તે ખરેખર દયા ધર્મને ઉપાસક છે, આથી તેનું શુદ્ધ પ્રવર્તન સર્વને વશીકરણરૂપ થાય, તેમાં શું આશ્ચર્ય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org