SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ આનંદ મંદિર, રાજા પ્રતાપસિંહ શાંત થશે, એટલે મંત્રીઓએ આવી તેમને તખ્ત ઉપર બે સારી પુનઃ માંગલ્ય કર્યું, તેની બન્ને બાજુ ચામર વીંજાવા લાગ્યાં, અને પૂર્ણચંદ્રના જેવું ઉજ્વલ છત્ર મસ્તકપર ધારણ કરવામાં આવ્યું. તે વખતે હૃદયમાં પ્રસન્ન થએલા પ્રતાપસિંહે પિતાના ઉપકારી નિમિત્તિયાને પિતાના તખ્તની પાસે અતિ આગ્રહ કરી બેસા. લકોએ હર્ષના નાદ કર્યો, સર્વત્ર આનંદ મંગળ વર્તાઈ રા. સર્વ સમાજ શાંત પડ્યા પછી પ્રતાપસિહ આજ્ઞા કરી, અમૂલ્ય રત્નો અને મહા મૂલ્ય વસ્ત્રોથી ભરેલા થાળ મંગાવ્યા, તરતજ તે હાજર કરવામાં આવ્યા. મહારાજાએ ઉભા થઈ, તે થાળ જોષી મહારાજની આગળ છે. જેના હદયમાં દ્રવ્યની સ્પૃહા નથી, એવા નિમિતિઓએ ઉભા થઈને કહ્યું, મહારાજ ! આ શું કરો છો ? આ વિવેક કરવાનું કાંઈ કારણ નથી. મેં આપને પ્રથમથી જ કહ્યું છે કે, મારે કોઈ જાતની લાલસા નથી. બીજાને ઉપકાર કરી તેને બદલે લે, એવી અધમ પદ્ધતિ મને પસંદ નથી, તેને માટે નીચેની કહેવત મેં યાદ રાખી છે – “ કરિ ઉપકારને ઇચ્છે, તસ ઉપકારડો; તે તે ન સંત કહય, હેય લેભીજડે, વળી કરી યોગને દંભ, હાય જે લોભીઓ; તે તે ધર્મ પિશાચ, મેહાદિકે થેભિયો ” ૧ મહારાજા ! આ કહેવત મારા હૃદયમાં સતત રહ્યા કરે છે. કોઈ જાતની સ્પૃહા રાખ્યા વિના પરોપકાર કરે, એજ ખરો પરોપકાર છે, અને મારા જીવનમાં એજ પરોપકાર કરવાની મેં પ્રતિજ્ઞા કરી છે. જેવીનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહ હદય યમાં આનંદ પામે, તેણે આનંદના આવેશમાં જણાવ્યું, મહાનુભાવ! તમારા વિચાર પવિત્ર છે, મહાત્માઓની એ સુંદર પ્રકૃતિ છે. પ્રત્યુપકારની આશા રાખ્યા વિનાજ મહાત્માઓ ઉપકાર કરે છે, તથાપિ મને સંતોષ આપવાને મારા તરફથી કાંઈક ભેટ સ્વિકાર, તે વધારે સારૂં. આપને મારી ઉપર મહાન ઉપકાર છે, આપે બે બે વાર મને જીવિતદાન આપ્યું છે, ધર્મ સાધનમાં ઉપયોગી એવા મારા માનવ જીવનને મોટા ઘાતમાંથી બચાવ્યું છે, તેને બદલે ગમે તેટલો આપું, પણ મારાથી વળે તેમ નથી. હવે કૃપા કરી જે કાંઈ હું આવું છું તે સ્વીકારો, અને મારા અર્ધી રાજ્યના સ્વામી થાઓ, મને કાંઈ પણ આપના ઋણમાંથી મુક્ત કરે. મહા પુરૂષોનો પ્રત્યુપકાર કેઇનાથી થઈ શકતો નથી. આ પના જેવા પરોપકારી પુરૂષાથી જ આ પૃથ્વી બહુરત્ના છે. સ્વાર્થી અને દુષ્ટ પ્રાણીઓને વહન કરી, ભારવતી થયેલી ભારતભૂમિ આપ જેવા મહાનુભાવને વહન કરવાથી આશ્વાસન મેળવે છે. આ પ્રમાણે રાજા પ્રતાપ, અને જેથી વચ્ચે વાર્તાલાપ થતું હતું, ત્યાં અકસ્માત છડીદારે આવી ખબર આપ્યા કે, કોઈ પુરૂષ સાંઢ ઉપર બેસીને આવ્યો છે, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy