SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તિયાનું બીજું પરાક્રમ. ૩૧૭ પ્રતાપસિંહનાં આવાં વચન સાંભળી ચતુર જેવી બેલ્યા–મહારાજા ! આપનાં વયન યથાર્થ છે, તેવા પુત્રો શિક્ષાને લાયક છે, પણ હવે આપણે શું કરવું? તેને આપ વિચાર કરો મારી ઈચછા એવી છે કે, આપ સત્વર નગરમાં પધારો, કુશસ્થલીમાં હાહાકાર થઈ રહ્યા હશે, આપના મૃત્યુના ખબર જાણી, મંત્રી, સામંત, અને બીજા રાજસેવકે અતિ શોકમાં આવી પડ્યા હશે, કપટી રાજપુત્રો અને તેનાં માણસો રાજ્યના પદાર્થોને હાની કરવા માંડશે, તેઓ લુંટારાની જેમ રાજ્યની રીયાસત લુંટી જશે, રાજ્યના મોટા ભંડાર અને ખજાનાની ખુવારી કરશે, માટે હવે આપને સત્વર ત્યાં જવું જોઇએ. જોષીના કહેવે ઉપરથી રાજાએ પોતાના અંગરક્ષકોને બોલાવ્યા. અંગરક્ષક રાજાને જોઈ આશ્ચર્ય પામી ગયા, પિતાને સ્વામી જીવતો છે, એ ખબર જાણી બીજા પણ હજુરી માણસે આવી એકઠા થઈ ગયા, પરસ્પર એ વાર્તા ચચાણ અને તમામ મંત્રીવર્ગને તથા પ્રજાવઃ | ને પણ જાણ થઈ ગઈ જેમ મૃત્યુ પામેલ પુનઃ સજીવન થઈ આવે, તેમ રાજાને જોઈ સર્વના મનમાં અતિ આનંદ ઉત્પન્ન થયો. કુશસ્થલીની પ્રજા અતિ આનંદમાં આવી ગઈ; તે આશ્ચર્ય ' પામી પિતાના મહારાજાનાં દર્શન કરવાને ઉમંગથી ચાલી નીકળી, આખા નગરમાં એ વાતની જ ચર્ચા થઈ પડી. આ પ્રસંગનો હર્ષ બતાવવાને જય વિગેરે કપટી કુમારે રાજાની સામે આવવા તૈયાર થયા. પિતાની ધારણું સફળ ન થઈ, તેને માટે તેઓને હૃદયમાં અપાર શેક થયો. સર્વ સમાજ મહારાજાને સામે મળ્યો, અને તેઓ તેમને જોઈ નેત્રમાં પરમ તૃપ્તિ પાપ્ત કરી, ચરણમાં નમી પડ્યા. પ્રજાની ઉત્તમ ભક્તિ જેમાં મહારાજાની મનોવૃત્તિમાં પરમ આનંદ ઉત્પન્ન થયે. પ્રજાવર્ગ, મંત્રિવર્ગ, અને સામતવર્ગના મોટા સમાજ સાથે પ્રતાપસિંહ પોતાના દરબારમાં આવ્યો. સભામંડપમાં આવી, તેણે સર્વની વચ્ચે પિતાના ચાર કુમારને બેલાગ્યા. તે વખતે રાજાની મુખમુદ્રા ઉપર ક્રોધના અંકુરો સ્પરતા હતા, ને રક્તતાને ધારણ કરતાં હતાં, અને હઠ કંપતા હતા. આ ક્રોધ દર્શાવી, પ્રતાપે ગજેનાથી કહ્યું દૂછ પુત્ર ! તમને ધિક્કાર છે, તમે મારી તરફ જે વર્તણુક ચલાવી છે. તે મારા જાણવામાં આવી છે. મારે ઘાત કરવાને માટેજ તમે લાક્ષામહેલ કર્યો હતો. આ ઉપકારી જોષી મહારાજ ન હોત તે, અગ્નિની ભયંકર જ્વાલામાં મારું અપમૃત્યુ થાત. દુષ્ટો ! હું મૃત્યુથી ડરતે નથી, પણ તમારાં આવાં દૂષ્ટ કાર્યને માટે જ મને તમારી તરફ તિરસ્કાર આવ્યો છે. તમારા જેવા કુળાંગાર અને પિતૃઘાતી પુત્રોને મેટી શિક્ષા થવી જે ઇએ; તમારા જેવા દુરાચારી પુત્રનું જીવન જગતમાં નકામું છે, તમને દેહાંત શિક્ષા આપવી જોઈએ, પણ આ જોષીરાજનાં વચનથી અને દયા ધર્મના અવલંબનથી હું તમને ભયંકર શિક્ષા કરતા નથી, પણ જાઓ મારાથી વિમુખ થાઓ, અને કાષ્ટ્રના પાંજરામાં મારી બીજી આજ્ઞા થાય, ત્યાં સુધી પડ્યા રહે. આ પ્રમાણે કહી રાજાએ સેનાપતિને આજ્ઞા કરી, એટલે તે ચારેને કાષ્ટના પાંજરામાં પુરી દીધા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy