________________
૩૧૬
આનંદ મંદિર, નારી માતાઓનાં જીવિત કલંક્તિ છે, તેવાં સંતાનથી માતા પિતાને અધમુખ થવાનું છે. એટલું જ નહીં, પણ તેના જીવને માટે પશ્ચાતાપના પાત્ર થવાનું છે.
- લાક્ષામહેલ બળી ગયા, અને તેમાં રાજા અને નિમિત્તિઓ પણ સાથે બળી ગયા, આ વાતની લેટેમાં જાણ થવાથી કુશસ્થલીમાં હાહાકાર થઈ રહ્યા, બાળકથી તે વૃદ્ધ સુધી સર્વ પ્રજાવર્ગ અપાર શોક કરવા લાગ્યો, સર્વના નેત્રમાંથી અશ્રુધારા ચાલવા લાગી, લેકનાં ટોળેટોળાં રાજદ્વાર આગળ એકઠાં થવા લાગ્યાં. મંત્રીઓ, સામતે અને બીજા હજુરનાં માણસે આઝદ કરી રૂદન કરવા લાગ્યાં, પ્રત પસિંહના સદગુણોનું સ્મરણ કરી, તેઓના હૃદયને વધારે આઘાત થતું હતું. કપટી હૃદયના જય વિગેરે કુમારો પણ ઉપરથી શેક બતાવતા હતા.
હવે આ તરફ જે રાજા પ્રતાપસિંહ સુરંગ દ્વારથી બીજે સ્થાને કુશળ ક્ષેમ નીકળ્યું હતું, તેના હૃદયમાં “ આ શું થયું ? આ સુર ગા કોણે કરી ? આવા ભયંકર અગ્નિ કયાંથી જાગે ?” ઈત્યાદિ અનેક તર્ક વિતર્ક થતા હતા. રાજાને ચિંતાતુર જે, નિમિત્તિઓ બે, મહારાજ ! ચિંતા કરશો નહીં. શુભ કર્મના પરિણામથી આપણે બચી ગયા છીએ. આ બનાવની હકીકત તમારા જાણવામાં છે ? લિમિત્તિયાનાં આવાં વચન સાંભળી રાજા પ્રતાપસિંહ સંભ્રમથી બોલી ઉઠયો, ઉપકારી મહાશય ! કહો, આ શું થયું ? નિમિત્તિયાએ અંજલી જોડી જણાવ્યું, મહારાજા ! તમારા હૃદયમાં જેમને માટે શંકા પણ ન આવે, જેને તમે સર્વથા હિતકારી જાણે છે, જેમના તમે પરમ ઉપકારી છે, અને જેઓને ઉદય, વૈભવ અને સર્વ જાતનાં સુખ તમારાથી જ પ્રાપ્ત થાય છે, તેવા તમારા જય, વિજય, જયંત અને અપરાજિત એ ચાર કુમારનું આ ચરિત્ર છે. તેમણે રાયેલોભને લઈને જ આ વિપરીત કામ કરેલું છે. તેને લેબાંધ થઈ તમારા મહાન ઉ. પકારને ભુલી ગયા છે. રાજેદ્ર ! તમારો નાશ કરવાને માટે તેમણે તે લાખનો મહેલ કરાવ્યો હતો, તે મહેલમાં તમને મારવાને માટેજ બનાવ્યા હતા. આ તેમને કુવિચાર પ્રથમથી જ મારા જાણવામાં આવ્યું હતું. મેં તમને ચિતગ્નિમાંથી બળતા બચાવ્યા, તેથી તેઓને મારી ઉપર પણ ઈર્ષ્યા થઈ હતી. તમારી સાથે મારે પણ ઘાત કરવાની તેમની ધારણ હતી.
જોષીનાં આવાં વચન સાંભળી પ્રતાપસિંહને રોષ ઉત્પન્ન થયો. તેના હૃદયમાં આશ્ચર્ય સાથે અનેક વિચાર થવા લાગ્યા. તે ક્રોધાવેશથી બે, જેવી મહારાજ ! આ કે જુલમ ? જેમને હું પૂર્ણ વાત્સલ્ય ભાવથી રાખું છું, તે છતાં તેઓ મારી સાથે વૈર બુદ્ધિથી વે, તે કેવી વાત ? આવા પિતૃવાતી પુત્રોને સહસ્ત્રવાર ધિક્કાર છે, આવા પુત્ર ખરેખર શિક્ષાને પાત્ર છે. મહાશય ! હું એ દુષ્ટ પુત્રને પૂર્ણ શિક્ષા કરીશ, તેમને મારા રાજ્યની હદપાર કરીશ, અથવા તેમને શારીરિક શિક્ષા કરી મહાન દંડ આપીશ. આવા દુર્ણહિ પુત્રની પ્રત્યે પિતાએ પુત્રવાત્સલ્ય રાખવું, તે અનુચિત છે. કદિ આવા કુમતિ પુનું દષ્ટાંત લઈ, બીજા પુત્રો પણ આવાં દુરાચરણ કરવા શીખે, તેથી આ પુત્રને ખરેખરી શિક્ષા આપવી જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org