________________
આનંદ મંદિર, આપીશ. સોમદેવ બોલ્યો–સખા ! આવું વિપરીત કર નહીં, તે વિચાર નિંદિત. ગણાય છે, એ કામ કાયર પુરૂષનું છે, ધીર પુરૂષાનું નથી. ધીર પુરૂષે શત્રુના શિર ઉપર ચરણ મુકી એવું કાર્ય કરવું, કે જેથી સજ્જન પુરૂષ પ્રશંસા કરે. જ્યારે તું આમ કાયર બની કાયા છોડી દે, તે પછી તારી ઉન્મત્ત સ્ત્રી ઉમા તારા દ્રવ્યથી કુકર્મ કરશે. તેવી અધમ સ્ત્રીને દ્રવ્યની સહાય કરવી તે યોગ્ય નથી. મિત્ર ! તું હિમ્મત કરી તારે ઘેર જા. તારા ઘરમાં જે દ્રવ્ય હોય તે સ્વાધીન કરી લે. ત્યાં સાવધાન રહી પાછો તે ગ્રહને કારાગૃહની જેમ છોડી ચાલ્યો આવજે. પછી કઈ જૈન ગુરૂની પાસે આલેયણું લઈ તારા પાપને દૂર કરજે, મનમાં શક રાખીશ નહીં, સાહસથી તારું સર્વ રીતે શ્રેય થશે, તારી પાપી સ્ત્રી તેના પાપથી પચાશે. કહેવત છે કે, “ લાંઘણથી રોગ પચે છે, કાળથી ફળ પચે છે. કુમિત્રોથી રાજા પચે છે, અને પાપથી પાપી પચે છે. ” માટે તું ઘેર જઈ તારું કાર્ય સાધી લે.
- સોમદેવનાં આવાં વચન સાંભળી, હું તરતજ મારે ઘેર ગયે. મને જોતાંજ મારી સ્ત્રી સામી આવી, મધુર વચન બેલી મને ઉમંગથી ભેટી પડી. તે મીઠું બોલતી પણ મને ગમતી નહતી, જે જે હાવભાવ કરતી, તે તરફ મને અભાવ થતા હતા. પ્રાતઃકાળે પેલા જાર પુરૂષની શોધ થવા માંડી, તે નગરના કોટવાળને રણધીર નામે પુત્ર હતે. શોધ કરતાં તે કુવામાંથી તેને પત્તો મળ્યો. તેના મૃત શરીરને કુવામાંથી બહાર કાઢવા માં આવ્યું. આ બનાવથી સિંહપુરમાં હાહાકાર થઈ રહ્યા. કોઈને તે ગુપ્ત વાતની ખબર પડી નહીં, તેને ઘાતક કોણ છે, તે કાંઈ પણ જાણવામાં આવ્યું નહીં. હું મારા ઘરમાંથી કાટેલું દ્રવ્ય લઈ, મારા મિત્રને ઘેર આવ્યો. થોડા દિવસ તેના ઘરમાં રહ્યા, પછી જેમ કહેલી કાંજી અને ખીચડી તજી દે, તેમ હું મારું ઘર અને સ્ત્રીને તછ મિત્રની રજા લઈ, સિંહપુરમાંથી નીકળી ગયા. .
રાજકુમાર ! સિંહપુર છેડયા પછી કાપડીને વેશ લઈ અનેક નગર, ગામ, અને વન પ્રદેશ જોતો જો આગળ ચાલ્યો. મારા હૃદયમાં ધર્મભાવના પ્રગટ થઈ. મને નિશ્ચય થયો કે, ધર્મથી પાપ દુર થાય છે, કુગંતિ તથા કુસંગ ટળી જાય છે, મનવાંછિત ફળે છે, અને સર્વ પ્રાપ્ત થાય છે. આમ વિચાર કરતો હું એક પર્વતની પાસે આવ્યો, ત્યાં એક સિદ્ધ પુરૂષ મારા જેવામાં આવ્યો. મેં વિનયથી તેમના ચરણમાં વંદના કરી અને વિવેકપૂર્વક તેની પાસે બેઠે. મારો વિનય જોઈ, તે સિદ્ધ પુરૂષ મારી ઉપર સંતુષ્ટ થશે. તેણે પૂછ્યું, ભદ્ર ! તું કોણ છું ? અને ક્યાંથી આવે છે ? મેં તેને મારો સર્વ વૃત્તાંત કહ્યા, અને જણાવ્યું કે, મને બે પાપ લાગ્યાં છે, તેને મને વિસ્તાર કહો. સિદ્ધ બે –અરે મુગ્ધ માણસ ! તું ભકિક લાગે છે. હું તેને પાપ શામાટે કહે છે ? મને પણ એક ચિંતા છે. તે વિચારી તું પણ તેનો ઉપાય કહે.' મન સ્થિર રાખવાથી બુદ્ધિ ઉપજે છે, અને ધર્મ સફળ થાય છે, અને મન અસ્થિર રાખવાથી આ લેક અને પરલોકનું કાંઈ પણ ફળ થતું નથી. મેં તે સિદ્ધ પુરૂષને પૂછ્યું, સિદ્ધ પુરૂષ! તમારે શી ચિંતા છે ? તમે મહાભાગ અને વિરાગી છે. સિદ્ધ બે –વિધાધર ગુરૂએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org