________________
નિમિત્તઆને વૃત્તાંત્ત. * ૨૫. આ સ્ત્રી કેવી ધીઠ અને હિમ્મતવાળી છે ? કેવાં કુકર્મ કરનારી છે ? આવી અધમ • નારીઓને ધિક્કાર છે. પછી ઉમાએ “ હજુ રાત્રી બાકી છે,” એવું જાણી એક કડાહ લીધે, અને તે વડે વડાં, વેડમી, ખીચડી, પુલા, લાપશી અને તિલવટ બનાવ્યાં. તે પદાર્થ તે કડાહમાં ભરી સાથે લીધા. ઘરને તાળું સાચવી તે સ્ત્રી બાહેર ચાલી. હું પણ ગુમરીતે તેની પાછળ તેની ચેષ્ટા જેવાને ચાલ્યો. તે પૈવાળા ઉમા નગરની બાહેર
જ્યાં રમશાન હતું ત્યાં આવી. સ્મશાનની પાસે એક પર્વતની ગુફા હતી, તેમાં તે પિઠી. ત્યાં એક મંદિર હતું, તેની અંદર એક જોગિણી ઘણું ગિનીના પરિવાર સાથે બેઠેલી જોવામાં આવી.
તે ગિણીનું નામ ખપરા હતું, તે સર્વમાં મુખ્ય હતી; તેને મારી સ્ત્રી ઉમાએ પ્રણામ કર્યો. તેને જોઈ ખર્પરા બેલી–ઉમા ! તું ભલે આવી, તારું કાર્ય સિદ્ધ થયું છે. પછી ઉમાએ તે કડાહ આગળ ધરી કહ્યું, મહા માયા ! તમે જે મંત્ર મને આપ્યો હતો, તે મેં સાથે છે, તેનું આ બલિદાન છે, તે ગ્રહણ કરે. માતા ! જે હવે મને તમે તરૂઉડણની વિદ્યા આપો તે, હું મારા પતિનું બલિદાન દઈશ. ખપરા બેલીઉમા ! તે વિદ્યાનો મંત્ર લેવા કૃષ્ણ ચતુર્દશીની રાત્રે વહેલી આવજે, તે વખતે કાજળ જે વેશ પહેરજે. આ પ્રમાણે કહી, તે યોગિણીએ ઉમાને વશીકરણનું ચૂર્ણ આપ્યું. ઉમે તે ચૂર્ણ લઈ ઘેર આવી, તેની પાછળ હું પણ પાછો ઘેર આવ્યા. ઘરમાં આવ્યા પછી તેનું આ ચરિત્ર જોઈ મારા મનમાં શાંત રસ ઉત્પન્ન થયે. ભયાનક, બીભત્સ, આશ્ચર્ય, અને રૌદ્ર રસ મેં હૈયે રાખી અનુભવ્યા, શંગાર અને હાસ્ય રસને મેં મારા મનમાંથી દૂર કરી નાંખ્યા. શરીરમાં સર્વ સ્થળે શાંત રસ પ્રસરી રહ્યો. પછી તે અધમ નારીને ધિકકાર હું ઘરની બાહર નીક, અને મારા આત્માને ધિકડકારવા લાગ્યો કે, હું આવી નીચ નારીમાં મૂઢ બન્યો. પછી ત્યાંથી મારા મિત્ર સમદેવને ઘેર ગયો, તે હિતકારી મિત્રને આ બધે વૃત્તાંત જણાવ્યું. મેં કહ્યું, હે ઉપકારી મિત્ર ! તું મારે ખરેખર હિતકારી થયો છું, તે મારાં માતા, પિતા અને ભ્રાતાથી પણ અધિક હિત કર્યું છે. પવિત્ર મિત્ર ! તેં મને આ વખતે જીવિતદાન આપ્યું છે. જે તેં મને ચેતાવ્યા ન હોત તે, હું તે કુલટાના પાશમાં આવી જાત, અને મૃત્યુને શરણું થઈ જાત.
સમદેવ બેલ્યો-મિત્ર ! મેં તારે શો ઉપકાર કર્યો છે ? મિત્રને સહાય કરવી, એ મિત્રને પવિત્ર ધર્મ છે. ભાઈ ધરણ! હવેથી ચેતીને ચાલજે. ચંદ્ર, રવિ, ગ્રહ અને તારાઓનું ચરિત્ર બુદ્ધિમાન પુરૂષ જાણી શકે છે, પણ સ્ત્રીચરિત્ર જાણી શકાતું નથી. જળની અગાધતા મચ્છ જાણે છે, અને આકાશની વિશાળતા પક્ષીઓ જાણે છે, પણ કોઈ વિષમ ચરિત્રવાળી વામાઓનું ચરિત્ર જાણી શકાતું નથી. મિત્ર ! તારી સ્ત્રી કેવી અધમ ? તેવી અધમ નારીઓ પતિનું ભક્ષણ કરતાં વિલંબ કરતી નથી. મેં કહ્યું, મિત્રવર્ય! મને તેનું ચરિત્ર બહુ લાગ્યું છે. હવે હું એ નીચ નારીનું મુખ જોઈશ હે, તેમજ આ સંસારમાં પણ રહીશ નહીં. આત્મઘાત કરી મારા આત્માને શાંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org