SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આનંદ મદિર. ગુરૂન પ્રશ ́સા આવી રીતે તેના મુખ આગળ કરીશ નહિ. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે, “ જનનાં વખાણુ પ્રત્યક્ષ કરવાં, મિત્ર અને એને પરક્ષ રીતે વખાણવા, સેવાને કામ કર્યા પછી વખાણવા, પુત્ર અને સ્ત્રીનાં વખાણ મૃત્યુ પછી કરવાં. ” માટે તું આવી પ્રશંસા તેની આગળ કરીશ નહિ. તારી સ્ત્રી તને ઉત્તમ લાગે છે, પણ તે ઉત્તમ સ્ત્રી નથી, તેનામાં કુલટા સ્ત્રીનાં જેવાં વાણુ છે. તું એ કુલટા સ્ત્રીથી ચેતતા રહેજે. એ ભામિની તને ભરમાવે છે. જો તુ તેણીને અતિ વશ થા તે!, તે છેવટે તારી સાથે છ કરશે, અધમ સ્ત્રીઓના દોષ એકી સાથે જોવામાં આવતા નથી; જળની જેમ નીચ તરફ્ હાય છે, કુલટા કામિની અન્યને ચિતવે, અન્યની સાથે રાગ કરે છે. મિત્ર ! તારે સારી રીતે ચેતવાનું છે, એ ચપળા તારે ઘેર પણ રહેશે નહિ. જો તારે તેની પરીક્ષા કરવી હેય તે, તું પરગામ જવાને મિષ કરી બાહેર જા, અને પછી છાનેા ઘરમાં રહી તેની ચેષ્ટા જો, એટલે તને તેનાં કુચરિત્રનું બરાબર જ્ઞાન થશે. હું તને પ્રત્યક્ષ ખતાવી આપું. તે સ્ત્રી તારી નથી, સેામદેવનાં આ વચન સાંભળી હું ચમકી ગયો, મારા મુગ્ધ હૃદયમાં સ કર્લ્સ વિકલ્પ થવા લાગ્યા. મને વિચાર થયો કે, આ મારા મિત્ર છે, પણ તે ખળતા કરે છે. અમારા દંપતિ સ્નેહ ઉપર તેને ઋષ્યા આવી લાગે છે. જો હું તે પ્રત્યક્ષ જોઉં, તેાજ કબુલ કરૂં. આવું વિચારતાં વળી મારા મનમાં આવ્યું કે, ઉમા સર્વ રીતે શુદ્ધ છે, તથાપિ આ સામદેવને વીલખા કરી દેવા તેની પરીક્ષા કરી જેવી. પછી હું ઘેર ગયા, મેં સ્ત્રીને કહ્યું કે, પ્રિયા ! આજે એક જરૂરી કામ માટે પરગામ જવાનું છે, હું ત્યાથી પાછે સત્વર આવીશ. મારી સ્ત્રીએ મને કહ્યું—પ્રાણેશ ! તમારા વિના મારાથી કેમ રહી શકાય ? પછી તેને સમજાવી હું માંડમાંડ ઘરની બહાર નીકળ્યેા. ત્યાંથી આખા દિવસ સોમદેવને ઘેર ગુપ્ત રàા. જ્યારે રાત્રીના અંધકાર પ્રસર્યો, એટલે અમે બંને મિત્રા મારા ઘરમાં તસ્કરની જેમ પેશી એક તરણ્ સંતાઇ રહ્ય. નીચ નારીઓની ગતિ અને ભાગલે અને ક્ષણવાર પછી ક્રાઇ જાર પુરૂષ મારા ધરમાં આવ્યા, તેને ઉમાએ પલંગ ઉપર બેસાર્યા. પ્રેમથી સ્નાન ભોજન કરાવી તેની સેવા કરી, અને તે પછી તે દુષ્ટ જારે મારી સ્ત્રીની સાથે ભાગ કર્યાં. તે જોતાંજ મને ધણા ક્રેધ ચડયા, પણ સ્ત્રી હત્યાના ભયથી હું તે નજરે જોઇ બેશી રહ્યા. છેવટે ક્રેાધાધીન થયેલા મેં વિચાર્યું કે, સ્ત્રી હતા તે ન કરવી, પણ આ જાર પુરૂષનું વૈર લેવું. આ જાર જાતે ક્ષત્રિય છે, તેથી તેને મારવામાં કાંઈપણ અન્યાય નહીં થાય. પછી ભાગવિલાસ કરી સુઇ ગયેલાં તે બન્નેમાંથી મે ખડ્ગવડે તે જારને નિદ્રામાંજ મારી નાખ્યા. પછી હું પાછે ગુપ્ત રીતે તે ઘરમાં છુપાઇ રહ્યા. ક્ષણવારમાં તેના રૂધિરથી શય્યા ભીની થઇ, એટલે તે સ્ત્રી જાગી ઉડી. શય્યામાં રૂધિર જોઈ આ શું થયું ? · એમ વિચારવા લાગી. તે વખતે ધરનું દ્વાર ઉધાડુ હતું, તે જોઇ તેણે વિચાર્યું કે, કૈાઇ તેના વૈરીએ આ કાર્ય કર્યું હશે, પણ ત્યાં કાઇ તેના જોવામાં આવ્યું નહીં. પછી તે હિમ્મતવાળી સ્ત્રીએ તે જારના શબની પોટલી બાંધી બહેરના કુવામાં નાંખી દીધી. તેની આવી હિમ્મત જોઇ મને વિચાર થયા કે, જુઓ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy