________________
એક નિમિત્તિઓને વૃત્તાંત.
२३ આ વખતે દૈવયોગે કોઇ વૈદ્ય આવી ચડ્યો. તેણે મંત્ર વિદ્યાના પ્રભાવથી શ્રીદે. વિના શરીર ઉપર જળ છાંટયું, તત્કાળ શ્રીદેવી સચેતન થઇ, સર્વ પરિવાર હર્ષ પામે. ક્ષણવારે વૈધે કહ્યું કે, આ સ્ત્રી મારા માત્ર પ્રભાવથી સચેત થઈ છે, પણ તેની આયુષ્યનો અંત આવ્યો છે, હવે તેને ધર્મરૂપ ઔષધનું સેવન કરાવે, કે જેથી તેને અંતકાળ સુધરે, અને દુષ્કર્મને લય થાય. વૈદ્યના ઉપદેશથી તેને દેવગુરૂનું સ્મરણ કરાવી ચાર શરણ સંભળાવ્યાં. તેના ભાવિક હૃદયમાં શુભ ભાવના ભાવવામાં આવી, ચોરાશી લાખ છવાયોનીને ખમાવ્યા, અઢાર પાપસ્થાનને સરાવ્યા, સુકૃતની અનુમોદના કરી, અને દુષ્કતની નિંદા કરી છેવટે નવકાર મંત્રને સંભળાવતાં મારી સ્ત્રી શ્રીદેવીએ પોતાના પ્રાણને ત્યાગ કર્યો.
શ્રીદેવીના મૃત્યુથી આખા સિંહપુરમાં હાહાકાર થઈ રહ્યા, તેનાં માતા પિતાએ અનેક પ્રકારે કલ્પાંત કર્યું, પુત્રીના મેહથી તેમને ઘણું લાગી આવ્યું, અનુક્રમે તેની ઉ ત્તરક્રિયા કરવામાં આવી, નગરના છે કે મારી માતા નાગલાને ફીટકાર દેવા લાગ્યાં. આ બનાવથી મારા પિતા શ્રીધર ગણુક લેકેને મુખ બતાવી શકતા ન હતા, ત્યાંથી બીજે ગામ જઈ, તેણે કેટલાક દિવસ નિવાસ કર્યો.
કેટલાક માસ ગયા પછી મારા પિતા શ્રીધરે કોઇ બીજ જોશીની ઉમા નામે પુત્રીની સાથે મને પરણાવ્યું. એ સ્ત્રી દુર્ગણી, શંખિણી, ક્ષણે ક્ષણે રીસ કરનારી, મર્મ વચન બેલનારી, કર હૃદયવાળી, હઠીલા, વાદિલી, વૈર કરનારી અને મારકણી હતી. પ્રાય કરીને પાત્ર ગયા પછી ઠીંકરૂં જ મળે છે. એ સ્ત્રી કુડ-કપટની કોથળી હતી, તેણીમાં. જરા પણ દયા નહતી, તે સાસુને બકરી કરી રાખતી હતી, અને ઘરમાં વાઘેણની જેમ રહેતી હતી. આવી ખરાબ સ્ત્રી ઘરમાં આવવાથી મારાં માતા પિતા ચિંતવવા લાગ્યાં કે, આ પાપ ક્યાંથી મળ્યું ? એના દુશ્ચરિત્રથી તેઓ કંટાળી ગયાં હતાં.
રાજકુમારે ! એમ કેટલાક દિવસ ગયા પછી મારાં માતા પિતા મૃત્યુ પામી ગયાં. સાસુ સસરાના મરણ પછી ઉમા તદ્દન સ્વતંત્ર થઈ, તે નિઃશંકપણે ચાલવા લાગી. તે સમર્થ સ્ત્રીએ પોતાની ભુડાઈથી મને તાબે કરી દીધે, હું તેને વશ થઈ રહ્યા, બાહેર અને અંદર તેના વિના રહી શકતે નહતો, તે સાથે મને તેણમાં અતિ મેહ પણ ઉત્પન્ન થયે હતે; એ મેહનાએ મારા મનને મર્કટ બનાવી દીધું. મંત્રથી જાણે વશ કર્યો હોય, તેમ હું તેની આગળ બકરી જે બની ગયે, તેના અવગુણોને પણ હું ગુણ કરી માનવા લાગ્યા, અને તેના સહવાસથી મારા અવતારને ધન્ય ગણવા લાગે. જ્યાં ત્યાં તે સ્ત્રીના ગુણની હું પ્રશંસા કરતો, અને સર્વ જગતમાં ઉમા જેવી કોઈપણ સ્ત્રી નથી, એમ હું કહેતે હતો.
એક વખતે એમદેવ નામના મિત્રની સાથે વાતચિત કરતાં મેં મારી સ્ત્રી ઉમાની પ્રશંસા કરવા માંડી–મિત્ર સેમદેવ ! મારા જેવી લક્ષણવંતી અને ગુણવંતી સ્ત્રી જગતમાં કોઈ નથી, તે રમણીના જેવા ગુણ કઈ પણ બીજી રામામાં હશે જ નહીં. મારી આ પ્રશંસા સાંભળી, સોમદેવ બે –મિત્ર ! હું તને સત્ય કહું છું કે, તારી સ્ત્રીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org