________________
ચોગવિદ્યાનો ઉપદેશ.
૩૧૩ એક યોગી, તનુ વેગી, અને નિગીને પ્રાપ્ત થાય છે. આ શુકલ ધ્યાનરૂપ અગ્નિ જ્યારે તીવ્ર રીતે પ્રજવલિત થાય, ત્યારે યોગીંદ્રનાં ઘાતી કમીને તે દહન કરી નાંખે છે. ઘાતી કર્મને નાશ થયા પછી તે યોગી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને, આ લેકાલકને યથાર્થ રીતે જાણી શકે છે, અને જોઈ શકે છે. તીર્થકર, કેવળી વિગેરેના અતિશય તથા ચમત્કારી પ્રભાવના મહિમાનું કારણ એજ ધ્યાન હોઈ શકે છે. રાજેદ્ર ! એવી રીતે અનુક્રમે અભ્યાસના આદેશથી નિરાલંબ ધ્યાનને ભજનારો અને સમતા રસના સ્વાદને પ્રાપ્ત કરનાર મહા યોગી છેવટે દુર્લભ એવા પરમ આનંદને અનુભવે છે. બાહ્ય આત્માનો ત્યાગ કરી, પ્રસન ભાવે અંતરાત્માથી તે યોગીં તન્મય થઈને પરમાત્માનું ચિંતવન કરી શકે છે. આમ બુદ્ધિથી ગ્રહણ કરેલ કાયાદિ તે બહિરાત્મા, અને કાયાદિ પ્રત્યે અધિષ્ઠાયક તે અંતરાત્મા એવા ભેદનું તેને યથાર્થ ભાન થાય છે. ચિદ્રુપ, આનંદમય, નિરૂપાધિ, શુદ્ધ, દ્રષ્ટિને અગોચર, અને અનંતગુણી પરમાત્માનું સ્વરૂપ તે સૂક્ષ્મ રીતે જાણી શકે છે. તે પરિપકવ યોગી કાયાથી આત્માને અને આત્માથી કાયાને પૃથક્ જાણી આત્માના નિશ્ચયમાં વિરામ પામે છે. જ્યારે તે યોગી આત્માને વિષે આત્મજ્ઞાનની ઇચ્છા કરે, ત્યારે જ્ઞાની પુરૂષ તે અયત્ન પ્રાપ્ય એવું મોક્ષપદ સંપાદન કરે છે.
મહારાજ ! આવી ગવિદ્યા મોક્ષ સાધવાની સર્વોત્તમ કળા છે, તેને પ્રાપ્ત થાય, તો માનવ જીવન કૃતાર્થ થાય છે. મહારાજા ! આપ આહત છે, દયા ધર્મના રાગી છે, તમારા હૃદયમાં શુદ્ધ સમ્યક સર્વદા વાસ કર્યો છે, તેથી આ મહા વિદ્યાની ઉપાસના કરજે. પ્રત્યેક ક્ષણે નિરંજન પ્રભુનું ધ્યાન ધરવા તત્પર થજે. હું હમેશાં એ યોગવિદ્યાના પ્રભાવથી ત્રિકાળી જ્ઞાન ધારણ કરું છું. મારા અંતરંગમાં એ મહા વિદ્યાએ પિતાનો દિવ્ય પ્રભાવ દર્શાવ્યો છે.
તે નિમિત્તયાનો આ ઉપદેશ સાંભળી પ્રતાપસિંહ ઘણો આનંદ પામે, યોગ સમાધિના તત્વજ્ઞાનરૂપ અમૃતથી તેને નિરવધિ તૃપ્તિ પ્રાપ્ત થઈ. હૃદયમાં આનંદ સાગર ઉછળી જો, શરીરપર રોમેગમ થઈ આવ્યો, તેણે બેઠા થઈ તે નિમિતિયાને ભક્તિથી વંદવા કરી કહ્યું, મહાનુભાવ ! તમે મારી ઉપર અપાર ઉપકાર કર્યો છે; મૃત્યુના મુખમાંથી બચાવી મને જીવિતદાન આપ્યું, અને છેવટે આ યોગવિદ્યાના ઉપદે શથી મારા જીવનને કૃતાર્થ કરાવ્યું. આપના સમાગમથી મને જે લાભ થયો છે, તે અવર્ય છે. તેને મારાથી અલ્ય પ્રતીકાર પણ થઈ શકે તેમ નથી. આહંત શાસ્ત્રોમાં સસંગને મહિમા જે વર્ણવ્યા છે, તે તમે યથાર્થ કરી બતાવ્યો છે. તમારા સંત્સગથીજ મને અંતરંગ બળ પ્રાપ્ત થયું છે, મારા આત્મામાં અતુલિત મનોબળ સંપાદિત થયું છે. આજ સુધી માત્ર યોગવિદ્યાનું નામ જ હું સાંભળતો હતો, તે આપના મુખથી સવિસ્તર સાંભળી મને તેનું પૂર્ણ ભાન થયું છે, આજે મને આપના તરફથી અપૂર્વ લાભ મળે છે.
આ પ્રમાણે કહી પ્રતાપસિંહ પોતાના મેહેલમાં ગં, અને તે
પી ૫ શ્રી ચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org