________________
૩૧૨
આનંદ મંદિર. * અમૃતમાં જે મુનીનું મન મગ્ન થાય, તે મહાશય આ વિશ્વ તત્વને સાક્ષાત કરી, આત્મ
શુદ્ધિ ધારણ કરે છે. મહારાજા ! તે પ્રમાણે આજ્ઞા અપાય વિપાક અને સંસ્થાન, એ ચાર પ્રકારના બીજા પણ ધ્યેય કહેવાય છે, અને તે પ્રમાણે ચતુર્વિધ ધર્મનું ધ્યાન થઈ શકે છે. સર્વજ્ઞ પ્રભુનાં આશા વચનને માન્ય કરી, તત્વથી જે અર્થ ચિંતવન કરવું, તે આજ્ઞાધ્યાન કહેવાય છે. આ આજ્ઞા ધ્યાનમાં એ નિશ્ચય કરવામાં આવે કે, સર્વાનું સુક્ષ્મ વચન હેતુઓથી અબાધિત છે. કારણ કે, શ્રી જિનેશ્વર મૃષાવાદી દેતા નથી. રાગ, દેષ, અને કષાય વિગેરેથી ઉત્પન્ન થતા અપાયોનું જ્યાં ચિંતવન થાય, તે અપાયધ્યાન કહેવાય છે. આ ધ્યાનમાં આલેક અને પરલેક સંબંધી અપાયો દૂર કરવામાં તત્પર થઈ,
તરફના પાપમાંથી પાછા હઠવાનું મુખ્ય કર્તવ્ય છે. ક્ષણે ક્ષણે કર્મના ફળને વિચિત્ર ઉ. દય જેમાં ચિંતવવામાં આવે, તે વિપાકધ્યાન કહેવાય છે. એ ધ્યાનમાં એમ ચિંતવાય છે કે, અરિહંત પદની સમૃદ્ધિ તે પુણ્યનું પ્રબળ, અને નારકીની વિપત્તિ, તે પાપનું પ્રબળ છે. અનાદિ, અનંત, સ્થિતિ, ઉત્પત્તિ, અને નાશના સ્વભાવવાળા લેકની આકૃતિ જેમાં ચિંતવાય, તે સંસ્થાન ધ્યાન કહેવાય છે. એ ધ્યાનથી વિવિધ જાતનાં દ્રવ્યની અંદર રહેલા અનંતા પર્યાય ફર્યા કરે છે, એવું જ્ઞાન થવાથી તેમાં રક્ત થએલું મન રાગાદિકથી આકુળવ્યાકુળ થતું નથી. આ ધર્મધ્યાન કરવાથી ક્ષયોપથમિક વિગેરે ભાવ થાય છે, અને તે પછી અનુક્રમે પીત, પ, અને શિત એવી લેયાઓ પણ પ્રાપ્ત થાય છે, અને તે સિવાય જ્યારે તે ધર્મધ્યાન વૈરાગ્યની સાથે તરંગિત થાય, ત્યારે ધ્યાતા પ્રાણીને, ઈદ્રિને અગોચર એવું આત્મસંવેદ્ય સુખ પ્રાપ્ત થાય છે.
તે ધર્મધ્યાનને માટે અનુભવી મહાત્માઓ એમ પણ લખે છે કે, નિઃસંગ યોગીઓ ધર્મ ધ્યાનથી ગ્રેવેયક વિગેરે દેવલોકમાં દેવતા થાય છે. તે દેવપણામાં મોટા મહિમાવાળું, શરદ ઋતુના ચંદ્ર જેવું, તેજસ્વી અને અલંકાર તથા દિવ્ય વચ્ચેથી સુશોભિત એવા શરીરને સંપાદન કરે છે, તે પછી તેઓ વિશેષ વીર્ય તથા ધ મેળવી કામ પીડાથી રહિત થઈ અંતરાય રહિત એવા અનુપમ સુખને સેવે છે. પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ અર્થથી મનહર એવા તે સુખરૂપ અમૃતને નિધિને ભેગવતા, તેઓ પિતાના ગત જન્મને જાણતા નથી. તે દિવ્ય સુખને ભેગા કર્યા પછી તેઓ દેવલોકમાંથી ચવીને ઉત્તમ શરીરમાં જન્મ લઈ, પૃથ્વી ઉપર અવતરે છે, ત્યાં દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ, અ. ખંડીત મનોરથવાળા થઈ વિવિધ ભેગને ભોગવે છે. પછી વિવેકને આશ્રય કરી, બધા ભોગથી વિરક્ત થઈ ધ્યાનરૂપ અગ્નિથી કર્મને દહન કરી, અવ્યયપદને પ્રાપ્ત થાય છે.
મહારાજા ! એ ધર્મ ધ્યાનનું સ્વરૂપ આપના જાણવામાં આવ્યું. હવે શુકલ ધ્યાનનું સ્વરૂપ ધ્યાનમાં લે. જેવું ધર્મધ્યાન સ્વર્ગ ને મોક્ષનું કારણ છે, તેવું જ શુકલ ધ્યાન મોક્ષનું જ કારણ છે. વજઋષભ નારાની સંધયણવાળા પૂર્વધારીઓ આ ધ્યાનના અધિકારી થાય છે. અલ્પ સત્વવાળા તેના અધિકારી થતા નથી. આ મહા ધ્યાન વર્તમાનકાળે થઈ શકતું નથી. નાના મૃત વિચાર, ઐક્ય શ્રત વિચાર, સુહમકિય, અને ઉસનક્રિય એવા શુક્લ ધ્યાનના ચાર ભેદ છે. તે અનુક્રમે એકત્ર યોગી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org