________________
ગવિદ્યાને ઉપદેશ.
૩૧૧
મહારાજા પ્રતાપસિંહ ! એ પદસ્થ બેયમાં “છ હૈ' એ પદનું ભાન કરવામાં આવે છે. એ પદ પ્રાણ પ્રતિને સ્પર્શ કરનારું તથા પાપને દહન કરનારું છે. એમાં મસ્તકને વિષે ફટિક જેવા નિર્મળ પરમેષ્ટી અહંતનું ધ્યાન થાય છે. તે વખતે ધ્યાનના આવેશથી “ તો ” એમ વારંવાર ઉચ્ચારતા નિઃશંકપણે પરમાત્માની સાથે આત્માની એકતા થઈ શકે છે. રાગ, દેવ, અને મેહથી રહિત, સવદર્શી દેવતાઓને પૂજનીય એવા પરમાત્મા ધર્મદેશના આપતા હય, તે વખતની સ્થિતિનું ધ્યાન કરવામાં આવતાં તે યોગી કલેશને નાશ કરતાં પરમાત્માપણાને પ્રાપ્ત થાય છે.
રાજેદ્ર ! યેયના ત્રીજા પ્રકારમાં રૂપસ્થ બેય આવે છે. તે રૂપસ્થ ધ્યાનમાં મેક્ષ લક્ષ્મીની સન્મુખ રહેનારા, સર્વ કર્મને નાશ કરનારા, સર્વ જગતને અભય આપનારા, ચાર મુખવાળા, ચંદ્ર મંડળ જેવા ત્રણ છત્રોથી સુશોભિત, ભામંડળથી સૂર્યને અનુસરનારા, દિવ્ય દુદુભિના શબ્દોથી અને સંગીતની સંપત્તિથી વિરાજિત, ભમરાના ઝંકારાથી શબ્દાયમાન એવાં અશોક વૃક્ષથી સુશોભિત સિંહાસન પર બેઠેલા, ચામરેથી વીંજાતા, સુર અસુરના મુગટ રત્નની કાન્તીથી પ્રકાશિત ચરણવાળા, દિવ્ય પુષ્પોના રાશિથી ભરપૂર એવી પરિષદામાં રહેલા, અને મૃગ અને સિંહાદિ પ્રાણીઓ સ્થિર રહી, જેમના મધુર શબ્દને સાં. ભળે છે, એવા શ્રી કેવળ જ્ઞાનથી પ્રકાશિત અહંત પ્રભુને સમવસરણમાં રહેલા ધ્યાન કરવામાં આવે છે. એ ધ્યાનમાં રાગ દ્વેષ તથા મેહ વિકારોથી રહિત, નિષ્કલંક, શાંત, સુંદર, મોહર, સર્વ લક્ષણોથી યુક્ત, યોગમુદ્રાથી સુશોભિત, નેત્રને અત્યંત આનંદ આપતું જિનેંદ્ર પ્રતિમાનું સ્વરૂપ અનિમેષ દ્રષ્ટિએ ચિંતવવામાં આવે છે.
સતત અભ્યાસના યોગથી તન્મય થયેલે રૂપસ્થ ધ્યાની યોગી પોતાના આત્માને સર્વજ્ઞરૂપ જુએ છે. જે સર્વજ્ઞ ભગવાન છે, તે હું પોતેજ છું, એમ માની તન્મયતાને દર્શાવે છે. આ ધ્યાનના પ્રભાવથી યોગીની સ્થિતિ ઉત્તરોત્તર ઉત્તમ પ્રકારની થતી જાય છે. મેક્ષને અવલંબી રહેલી સર્વ જાતની સિદ્ધિઓ તેને સ્વતઃ સિદ્ધ થાય છે, અને તેથી કરીને તે મેક્ષના સુખને પૂર્ણ અધિકારી થઈ ચુકે છે.
રૂપાતીત નામના ધ્યેયને પ્રકાર એ સર્વથી વિલક્ષણ છે. એ ધ્યાનની પરાકાષ્ટા છે. અમૂર્ત, ચિદાનંદ, અને નિરંજન પરમાત્માનું રૂપ રહિત ધ્યાન હેવાથી તે રૂપાતીત કહેવાય છે. તે ધ્યેયને ધ્યાતા ગ્રાહ્ય અને ગ્રાહકના ભેદથી રહિત થઈ, તન્મયપણાને પ્રાપ્ત કરે છે. તે બીજાનું શરણ મેળવ્યા વિના તે ધ્યેયમાં એ લીન થાય છે કે, ધ્યાતા અને ધ્યાન, બન્નેના અભાવથી તે ધ્યેયની સાથે એકતાને પામી જાય છે. આ તે યોગીની સ્થિતિ તેજ સમરસી ભાવ, અને તેજ એકીકરણ કહેવાય છે. આ ધ્યાનના પ્રકારમાં એવી શિક્ષા આપેલી છે કે, લયના સંબંધવાળા સ્થળથી અલક્ષ્ય એવા સૂક્ષ્મનું ચિંતવન કરવું, અને સાલંબનથી નિરાલંબ તત્વનું ચિંતવન કરવું,
આવી રીતે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત, એ ચાર પ્રકારના ધ્યાનરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org