SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ આનંદ મંદિર, રૂણી અને ભૂ, એ પાંચ ધારણાઓ પિંડભ્ય ધ્યેયમાં ઉપયોગી થાય છે. તે એય આત્મા ના સ્વરૂપને જ્યારે પાર્થિવી ધારણાથી ધ્યાવું હોય, ત્યારે તિર્લોકના પ્રમાણ જેવડા ક્ષીર સમુદ્રમાં જંબુદ્વીપ સમાન સહસ્ત્રપત્ર કમળનું ધ્યાન કરવું; તે કમળની અંદર પીળાં વ ની મેરૂ સમાન કર્ણિકા પર રહેલા વેત સિંહાસન ઉપર બેઠેલા કર્મનાશક આત્માનું ચિંતવન કરવામાં આવે છે. અગ્નેયી ધારણાથી નાભિને વિષે રહેલા સેળ પત્રવાળા કમળમાં “બ” એ મહા મંત્રનું ધ્યાન કરાય છે, તે કમળનાં દરેક પત્રે સ્વરોની પંક્તિ છે, તે મહા મંત્રમાં રેફ, બિંદુ અને કળાથી આક્રાંત એ દૃ એ જે અક્ષર છે, તેના રકમાંથી નીકળતી ધૂમરેખાનું સ્મરણ કરવામાં આવે છે, અને તે સ્મરણ પૂર્વક ધ્યાનમાં અગ્નિના તણખા અને જવાળાઓની શ્રેણીવડે હૃદયસ્થ કમળને બાળી નાખતાં જેમાં આઠ ક બળીને ભસ્મ થાય, એવી ધારણ કરવામાં આવે છે. અગ્નિ ધારણાના પ્રભાવથી મંત્રની શિખા અને અંતર અગ્નિની સમીપ દેહ અને પદ્મને બહાર કઢાડીને ભસ્મ કર્યા પછી શાંત થઈ જવાનું છે. વાયવી ધારણાથી ત્રણ જગતને પુરી પર્વત તથા સમુદ્રને ચલાયમાન કરે, વા પવનનું ધ્યાતાએ ધ્યાન કરવું; તે પછી ઉપરની ભસ્મને વાયુથી ઉડાડી, દ્રઢ અભ્યાસી આ ત્માને શાંત કરે. વારૂણી ધારણાથી અમૃત વૃષ્ટિ કરનારી મેઘમાળાથી પરિપૂર્ણ એવા આકાશનું સ્મરણ કરવું. તે પછી અર્ધ ચંદ્રવડે આક્રાંત અને વારૂણીથી અંકિત એવા મંડળનું ચિંતવન કરવું. ત્યારબાદ તે નભસ્તલને અમૃત સમાન પાણીથી સ્નાવિત કરી, તે એકઠી થયેલી રજને ધોઈ નાખવી. ભૂધારણાથી સાત ધાતુ રહિત, પૂર્ણ ચંદ્રના જેવું ઉજ્વલ, સર્વજ્ઞ સમાન આત્મસ્વરૂપનું સ્મરણ કરવું. પછી સિંહાસન પર આરૂઢ, સર્વ અતિશયથી સુશોભિત, સમગ્ર કર્મને નાશકારક, કલ્યાણ મહિમાથી વિરાજિત એવા આત્માને પોતાના અંગને ગર્ભમાં નિરાકારપણે ચિંતવવા.. આ પ્રમાણે પાંચ ધારણાથી પિંડસ્થ ધ્યેયના ધ્યાનમાં અભ્યાસી એ મેગી, મેક્ષ સુખને પ્રાપ્ત કરી શકે છે. તે યોગીને પિંડસ્થ ધ્યાનના પ્રભાવથી ઉચ્ચાટન, મારણ, સ્તંભન વિગેરે વિદ્યાઓ તથા મંત્ર, મંડળ, શક્તિ વિગેરે તેને પરાભવ કરી શકતાં નથી. તે સિવાય ભૂત, પ્રેત, પિશાચ, ડાકણી તથા દુષ્ટ એવા હાથી, સિંહ, અષ્ટાપદ, અને સર્પ વિગેરે ઘાતકી પ્રાણીઓ પણ તેનાથી દુર રહે છે. મહારાજ ! તે પછીનું પદસ્થ ધ્યેય કહેવાય છે. મંત્રના પવિત્ર પદનું આલંબન લઇને જે કરવામાં આવે છે, તેથી તે પદસ્થ ધ્યાન કહેવાય છે. તે ધ્યાનમાં નાભિકમળની અંદર સ્વરોની શ્રેણીનું ધ્યાન થાય છે. તે પછી હૃદયસ્થ કમળ, તેની વીશ પાંખડિઓ અને કર્ણકા ઉપર પચીશ વ્યંજને, બીજા આઠ પત્રવાળાં મુખકમળ ઉપર આઠ વ્યંજનેનું ધ્યાન થાય છે. આ માતૃકાના સ્મરણથી યોગીને ત્રિકાળ જ્ઞાન થાય છે. આ પદસ્થ ધ્યેયમાં વ્યંજનાક્ષરના ધ્યાનથી નષ્ટાદિકનું જ્ઞાન છે, એટલે જેને જન્મતિથિ અને મુ ળાનું જ્ઞાન ન હોય, તેવાઓની જન્મતિથિ તથા મુહૂર્તવેળાને તે જાણી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy