________________
ગવિદ્યાને ઉપદેશ.
૩૦૯ નામ ધારણ કહેવાય છે. મહારાજા ! આ ધારણું ઉત્તમ ફળને આપનારી છે. પગના અંગુઠા વિગેરેમાં ધારણ કરેલ વાયુ શીધ્ર ગતિ અને બળને માટે ગુણકારી છે, ના ભિમાં રહેલો વરાદિ રોગ શમાવે છે, જઠરમાં રહેલે કાયાની શુદ્ધિ કરે છે, હૃદયમાં રહેલે જ્ઞાન આપે છે, કુર્મ નાડીમાં રહેલ રોગ તથા વરને દુર કરે છે, કંઠમાં સુધા તૃપાને શમાવે છે, જીહાને અગ્ર ભાગે રસનું જ્ઞાન અપે છે, નાસિકાના અગ્રભાગે ગધનું જ્ઞાન વધારે છે, ચક્ષુમાં રહેલો રૂપનું જ્ઞાન દશાવે છે, કપાળમાં ત્યાંના રોગને નાશ, અને ક્રોધરૂપ કષાયને શમાવે છે. અને બ્રહ્મઠારમાં રહેલે વાયુ સાક્ષાત સિદ્ધાનાં દર્શન કરાવે છે. તે વાયુના ચાર ગમન અને સ્થાનના જ્ઞાનથી અભ્યાસને યોગે શુભ અશુભ ફળના ઉદયવાળા કાળ અને આયુષ્ય જાણી શકાય છે. આ પ્રમાણે પ્રાણાયામ અને ધારણાથી ગીએ પવનની સાથે મનને ખેંચી, હૃદયકમળની અંદર સ્થાપિત કરી કબજે કરવું. જ્યારે મનને નિગ્રહ થયો, એટલે અવિદ્યાઓ લય પામે છે, વિષયની ઇચ્છા નાશ પામી જાય છે, વિકલ્પો નિવૃત્ત થાય છે, અને અંદર જ્ઞાનનું જ્યોતિ પ્રગટ થાય છે. જ્યારે હદયકમળમાં મન સ્થિર થયું, એટલે “વાયુની ગતિ કયા મંડળમાં છે ? વાયુનું સં. કમણ અને વિક્રમણ ક્યાં થાય છે ? તથા નાડી કઈ ચાલે છે ? એ સઘળું જાણવામાં આવે છે. રોગવિદ્યાને અંગે એ ચમત્કારી સ્વરોદય જ્ઞાન પૂર્ણ રીતે પ્રકાશે છે. નાસિકાના છિદ્રોમાં અનુક્રમે ભૂમિ, વરૂણ, વાયુ અને અગ્નિ સંબંધી ચાર મંડળો કહેલાં છે, તે ચારે મંડળમાં સંચાર કરતો વાયુ, ચાર પ્રકારને થાય છે, તે વાયુ જુદાં જુદાં શુભાશુભ ફળ સૂચવે છે, એ સર્વ જ્ઞાનનું મૂળ મનને નિગ્રહજ છે. આ વિદ્યાને અગે કેટલીક સિદ્ધિ-લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, જે કર્મની ઉત્પાદક થઈ, મેક્ષમાં વિઘરૂપે થઈ પડે છે.
- રાજે ! એ ધ્યાન કરવામાં ઘણું સાવચેતી રાખવી પડે છે. ધ્યાન ધરનાર કે જોઈએ ? તે પણ અવશ્ય મનન કરવા જેવું છે. પ્રાણ જાય, પણ જે સંયમનું અગ્રેસરપણું ત્યજે નહીં, પોતાના આત્મસ્વરૂપથી જુદો થયા વિના જે બીજાને પણ પોતાની મેળે જ જુએ છે, જે શીત, પવન અને તડકાથી પણ પરિતાપને પામતો નથી, જે મેલદાયક અમૃતને પીવાની ઈચ્છા કરે છે, જે પિતાના મનને રાગાક્રાંત, ક્રોધાદિકથી દૂષિત અને આત્મારામરૂપ બનાવે છે, તે સર્વ કર્મમાં નિર્લેપ રહે છે; કામ ભેગથી વિરત થાય છે. પિતાના શરીરમાં પણ નિસ્પૃહ રહે છે, સર્વત્ર શમતાને આશ્રય કરી, સંવેગના ધ્રોમાં મગ્ન રહે છે, રાજા અને રંકનું સરખી રીતે કલ્યાણ ઈચ્છે છે, તેના હૃદયમાં કરણને ભરપૂર સાગર ઉછળ્યા કરે છે, સંસારનાં કોઈ પણ જાતનાં સુખની તે દરકાર રાખત નથી, મેરૂની જેમ નિષ્કપ, ચંદ્રની જેમ આનંદદાયક, અને પવનની જેમ નિઃસંગ થઈ પ્રવર્તે છે; આવે સદ્બુદ્ધિમાનું ધ્યાતા સર્વ રીતે પ્રશંસનીય છે.
એવા ઉત્તમ ધ્યાતા ને ધ્યેય કે હેય, તે પ્રથમ વિચારવાનું છે. ધ્યાનના આલંબનરૂપ ગેયના ચાર પ્રકાર કહેલા છે. પિંડસ્થ, પદસ્થ, રૂપ, અને રૂપવત (રૂપાતીત) એ ચાર પ્રકારના ધ્યેયને જુદી જુદી ધારણાઓ હેય છે. પાવી, અગ્ની, મારૂતી, વા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org