SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ આનંદ મંદિર, ધારી રાખવે, તે ઉત્તર પ્રાણાયામ કહેવાય છે, અને તેથી જે વિપરીત તે અધર પ્રાણાયામ કહેવાય છે, અર્થાત તેમાં વાયુને ઉચેથી નીચે લાવવામાં આવે છે. રાજેદ્ર ! આ પ્રાણાયામની ક્રિયા શારીરિક સંપત્તિમાં વધારો કરે છે, શારીરિક બળને અર્પણ કરી ઉત્તમ પ્રકારની દિવ્ય સ્મૃર્તિ આવે છે, રેચક પ્રાણાયામ ઉદરની પીડા તથા કફનો નાશ કરે છે, પૂરક વ્યાધિઓનો નાશ કરી પુષ્ટિ બક્ષે છે, કુંભક હૃદય કમળને વિકસ્વર કરી, અંદરની ગ્રંથિ તેડી બળની સ્થિરતામાં વધારો કરે છે, પ્રત્યાહાર બળ અને કાંતિ વધારે છે, શાંત પ્રાણાયામ સર્વ જાતના દેવને દૂર કરે છે, અને ઉત્તર તથા અધર કુંભકને સ્થિર કરવાનું સામર્થ્ય અર્પે છે. એવી રીતે પ્રાણાયામના જુદાજુદા પ્રકારથી જુદાજુદા ગુણ થાય છે. જે યોગી પ્રાણ પ્રમુખનાં સ્થાન, વર્ણ, ક્રિયા અર્થ અને બીજને જાણે છે, તો તે પ્રાણાયામની ક્રિયાથી પ્રાણવાયુને, વિષ્ટાદિકને દુર કરનારા આ પાનવાયુને, રસ પ્રમુખને ઉંચે લઈ જનારા ઉદાનવાયુ, અને શરીરમાં બે વ્યાપનારા વ્યાનવાયુને જીતી શકાય છે. પ્રાણવાયુ નાસિકાના અગ્રમાં, હૃદયમાં, નાભિમાં એ પગના અંગુઠાના અગ્ર ભાગમાં રહે છે, તેને રંગ લીલે છે, ગમનાગમનના પ્રયોગથી અથવા ધારણ કરવાથી તેનો જય થાય છે. અપાન વાયુ ગળાની પાછળની નાડીઓમાં, ગુદામાં, અને પગના પાછલા ભાગમાં રહે છે, તેને રંગ કાળો છે, તે વારંવાર રેચન અને પૂરણથી જીતી શકાય છે. સમાન વાયુ હૃદય, નાભિ અને સર્વ સાંધાઓમાં રહે છે, તેને રંગ શ્વેત છે, અને તે વારંવાર રેચન અથવા પૂરણથી જીતી શકાય છે. ઉદાન વાયુ હૃદય, કંઠ, તાળુ અને ભ્રકુટીના મધ્ય ભાગમાં તથા મસ્તકમાં રહે છે, તેને રંગ રાતે છે, તે ગમનાગમનના નિયોગથી થતી શકાય છે. નાસિકાને ખેંચી ઉદાન વાયુને હૃદયાદિકમાં સ્થાપક અને બળથી ઉચે ચડતા એવા, તેને રોકીને વશ કરો. ધ્યાન વાયુ ત્વચામાં રહે છે, તેનો રંગ દ ધનુષ્યના જે છે, તેને સંકોચ અને પ્રસરે કરીને કુંભકના અભ્યાસથી જીતી લેવાનો છે. મહારાજા ! એ વાયુનું સ્વરૂપ પૂર્ણ રીતે જાણી પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન વાયુમાં અનુક્રમે “જૈ જૈ ? એ બીજેનું ધ્યાન કરવું. અને જે સ્થાને પ્રાણીને પીડા કરનાર રોગ થયો હોય, તે રોગની શાંતિને માટે તે તે સ્થાને પ્રાદિક વાયુઓને ધારણ કરવા. એવી રીતે પ્રાણાયામ કર્યા પછી મનની સ્થિરતાને માટે ધારણા વિગેરેનો અભ્યાસ કરવો જોઈએ. ધારણાને પ્રગ આ રીતે છે કે, વાયુને ધીરે ધીરે રેચકથી રેચી ડાબી નાડીથી મનની સાથે પગના અંગુઠાથી માંડીને છેક બ્રહ્મકાર સુધી લાવી, તેવડે શરીરને પુરવું. તેમાં પહેલા પગના અંગુઠામાં, પછી પગના તળીયામાં, પછી પાછલ્લા ભાગમાં,પછી શુંટીમાં, પછી જંઘામાં, પછી છું ટણમાં, સાથળમાં, ગુદામાં, લિગમાં, નાભિમાં, ઉદરમાં, હૃદયમાં, કંઠમાં, જિહામાં, તાળુમાં, નાસિકાના અગ્ર ભાગમાં નેત્રમાં, ભ્રકુટીમાં, કપાળમાં અને મસ્તકમાં, એમ અનુક્રમે વાયુની સાથે મનને તે ને છેક બ્રહ્મકાર સુધી તેને ભરો. પછી અનુક્રમે તેવીજ રીતે છેક ઉતારી ઉતારીને . અંગુઠા સુધી લાવ, અને નાભિ કમળમાં લાવીને પવનનું વિરેચન કરવું, આનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy