SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ગવિધાને ઉપદેશ. ૩૦૭ હોઈ શકે, અને ઘણું અને જે સંક્રમ હેય, તે લાંબા કાળ સુધી પણ ધ્યાનની પરં. પરા થઈ શકે છે. ધર્મ ધ્યાનની પુષ્ટિને માટે યોગીએ મત્રી, પ્રમોદ, કારૂય, અને મધ્યસ્થપણારૂપ ભાવનાની એજના કરવી જોઇએ. મિત્રી ભાવનામાં સર્વ જગતને મેક્ષ મેળવવાની બુદ્ધિ કરવાની, અને સર્વ પ્રાણીઓને સુખી જોવાની ઇચ્છા રહેલી છે. અમેદ ભાવનામાં નિર્દોષ અને જ્ઞાન તથા ક્રિયાએ યુક્ત એવા મુનિઓના ગુણમાં પક્ષપાત રાખવાની એજના છે. કરૂણ ભાવનામાં દીન, પીડિત, ભયભીત અને જીવિતની યાચના કરનારાં પ્રાણીઓ તરફ પ્રતિકાર કરવાની બુદ્ધિની ઘટના છે, અને મધ્યસ્થ ભાવનામાં ફૂર કર્મ કરનારા, નિઃશંકપણે દેવગુરૂની નિંદા કરનારા અને આત્માની પ્રશંસા કરનારા પ્રાણી તરફ ઉપેક્ષા રાખવાનું છે. આ ઉત્તમ ભાવનાથી મેગી જ્યારે આત્માને વિષે ભાવ ધરે છે, ત્યારે તેની તુટી ગયેલી શુદ્ધ ધ્યાનની પરંપરા પાછી સંધાય છે. આ ઉત્તમ ધ્યાન કોઈ તીર્થ અથવા પોતે સ્વસ્થ રહી શકે, તેવા સ્થાનમાં કરવાનું છે. તે પેગ ધ્યાન કરવાને માટે કેટલાં આસનોને અ ભ્યાસ કરે જોઈએ. જેમાં પર્યકાસન, વીરાસન, વજાસન, કમળાસન, ભદ્રાસન, દંડસન, ઉલટિકસન, ગેહિકાસન અને કાર્યોત્સર્ગ એ મુખ્ય આસને છે. જે આસનથી મન સ્થિર થઈ શકે તેમ લાગે, તે આસન ઉપર યોગીએ આરૂઢ થવું જોઈએ. મહારાજા ! સમાધિ સુખની ઇચ્છા રાખનારા યોગીએ તે આસન ઉપર બેસી, કેવી સ્થિતિ રાખવી જોઈએ ? તે વિષે સાંભળો. પ્રથમ સુખાસને બેસી, શરીરની અને મનની સ્વસ્થતા સંપાદન કરવી, બંને હઠ જોડી દેવા, નાસિકાના અગ્ર ભાગ ઉપર દૃષ્ટિ રાખવી, ઉપલા અને નીચલા દાંત જુદા રાખવા, મુખ પ્રસન્ન રાખવું, પૂર્વ અને ઉત્તરાભિમુખે બેસવું. આવી સ્થિતિ સંપાદન કર્યા પછી મન અને પવનને જય કરવાને પ્રાણાયામ કરે. મન અને વાયુ દુધ જળની જેમ જોડાઈ રહે છે, જ્યાં મને ત્યાં વાયુ, અને જ્યાં વાયું ત્યાં મન હમેશાં હોય છે. એ બંનેમાંથી જે એકનો નાશ થાય, તે બીજાનો પણ નાશ થાય છે. જે એક વિદ્યમાન હેય, તે બીજો પણ વિદ્યમાન હોય, અને જ્યારે બંનેને નાશ થાય, એટલે ઈદ્રિય અને મતિને નાશ થાય છે, તે વખતે પરમાનંદ મોક્ષનો મહા માર્ગ પ્રકાશિત થાય છે. જ્યારે શ્વાસ અને ઉસની ગતિ રોકવામાં આવે, ત્યારે પ્રાણાયામ થાય છે. તે રેચક, પૂરક અને કુંભક, એવા ત્રણ ભેદથી પ્રખ્યાત છે. વળી પ્રત્યાહાર, શાંત, ઉત્તર અને અધર, એ ચાર ભેદ વધારે ગણુતાં તેના સાત ભેદ થઈ શકે છે. ઉદરમાંથી યતનાપૂર્વક વાયુને નાસિકા, બ્રહ્મરંધ્ર અને મુખથી જે બહાર ફેંક, તે રેચક પ્રાણાયામ કહેવાય છે. બહારના વાયુને આકર્ષણ કરી, છેક અપાન સુધી ઉદરને ભરવું, તે પૂરક પ્રાણાયામ કહેવાય છે, અને તે વાયુને નાભિ કમળમાં સ્થિર કરી રોક, તે કુંભક પ્રાણાયામ કહેવાય છે. નાભિ વિગેરે સ્થાનથી વાયુને હૃદયાદિ સ્થાનમાં ખેંચ, તે પ્રત્યાહાર કહેવાય છે. તાળુ, નાસિકા અને મુખદ્વારથી વાયુને નિરોધ કરે, તે શાંત પ્રાણાયામ કહેવાય છે, બહારના પવનને લઈ, તેને ઉંચે ચડાવી, હૃદય વિગેરેમાં જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy