SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ આનંદ મંદિર. છે, જે ગવિદ્યાના ગ્રંથોમાં વિસ્તારથી દર્શાવ્યા છે. વાયુ-પ્રાણની સાધના, નિદ્રા, વિકથા તથા આહારને આસનના ભેદથી જય કરી, ધ્યાનારંભને વિચાર કરે જોઈએ, અને તે સર્વથી બ્રહ્મ બીજનું સ્મરણ કરવાનું છે, તેમાં મુખ્યપણે આધાર લિંગ, નાભિ, હૃદય, કરકમલ, કંઠ, તથા લલાટ એ સ્થાનકેમાં રહેલાં પત્ર સહિત કમળ અને ચક્રોનાં સ્થાન જાણવાં જોઈએ. તેનું વર્ણન આ પ્રમાણે છે. ગુદાના મૂળમાં ચાર દળવાળું આધાર ચક્ર છે. તેમાં ૨, ૫, સ, અને મણે ૨ કાર છે. લિંગ મૂળમાં સ્વાધિષ્ઠાન ચક્ર છે, તે પટ. કણાકૃતિ છ દળવાળું છે, નાભિમાં દશ પત્રવાળું મણિચક છે, હદયમાં બાર દળનું અનાહત ચક છે, કંઠમાં સોળ ચક્રવાળું વિશુદ્ધિ ચક્ર છે, અને લલાટમાં બત્રીશ દળવાળું પ્રણવ બીજ ચક્ર છે. એ છ ચક્રોનું સ્વરૂપ યથાર્થ જાણવાથી યોગી યોગવિદ્યાનો પરમ ઉપાસક થઈ શકે છે. એજ ભાવાર્થને દર્શાવનારૂં નીચેનું પદ્ય યોગવિદ્યામાં ગવાય છે. " आधारे लिंगनाभौ इदि करकमले कंठदेशे ललाटे दे पत्रे षोडशारे द्विदश दशदले द्वादशार्दै चतुष्टे । नासांते वालमध्ये डफकठसहिते कंठदेशे स्वराणा मित्येवं ब्रह्मबीजं सकलजनहितं ब्रह्मरूपं नमामि" ॥१॥ આ યોગવિદ્યાની ઉપાસનાથી સર્વ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, યોગવિદ્યાનું મૂળ કર્તવ્ય મનને નિગ્રહ કરે, તે છે. જ્યારે ધર્મવીર યોગારાધક અષ્ટાંગ યોગની ઉપાસના કરવા તત્પર થાય છે, ત્યારે તે મન, વચન અને કાયાના યોગની પરમ શુદ્ધિ પ્રાપ્ત કરે છે. દ્રઢ આસન ઉપર આરૂઢ થઈ બેઠેલે યોગી જે અસાધ્ય હાય, તે પણ સાધવાને સમર્થ થઈ શકે છે. આસનની દ્રઢતાથી તેના મનની દ્રઢતાને પુષ્ટિ મળે છે, યમ નિયમના ઉત્તમ માર્ગમાં પ્રવેશ કરવાથી યોગી મનની શુદ્ધિ પ્રાપ્ત કરી, પરબ્રહ્મનું દર્શન મેળવી શકે છે, આ લેકની ક્ષણિકતા, કે જે સાંસારિક પદાર્થો તરફ વૈરાગ્ય ભાવને પ્રગટ કરનારી છે, તેને સમર્થ યોગસાધક પુરૂષ અલ્પ સમયમાં જાણું લઈ, આત્મ સાધન કરી શકે છે. મહારાજા ! તે યોગવિદ્યાને પ્રભાવ અલૈકિક છે, આત્માનંદના દિવ્ય સુખને આ પનારો છે, આહત ધર્મનું બધિબીજ, કે જેને માટે જૈન સાધકે અનેક પ્રયત્ન કરી, મેળવવાને અતિ કષ્ટ સહન કરે, તે બોધિબીજ વેગ સાધનના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. રાજેદ્ર! તે યોગવિદ્યાનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું, તે આપ ધ્યાન આપીને શ્રવણ કરો. છઘસ્ય યોગિઓ એક મુહૂર્ત સુધી મનને સ્થિરતા આપે, એ ધ્યાન કહેવાય છે. તે ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન એવા બે પ્રકારનું છે. જેઓ સગી કેવળી છે, તેમને તે મન, વચન, અને કાયાના નિરોધને જે કાળ, તેજ ધ્યાન ગણાય છે. કારણ કે, તેઓ એક દેશે હણી એવી પૂર્વ કેટી સુધી મન, વચન અને કાયાના વ્યાપાર સાથે વિહાર કરે છે, અને મોક્ષને વખતે તે વ્યાપારને નિરોધ કરે છે. એક મુર્ત વાર પછી ચિંતા અથવા સ્થાનાંતર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy