SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આનંદ મંદિર. માન કરતો હતો. હમેશાં વિવિધ જાતને શાસ્ત્રીય વિનદ લઇ, તેની સાથે દિવસ નિગેમન કરતો હતો કમની વિચિત્રતા કેવી ચમત્કારી છે ? કુશસ્થલીને યુવરાજ પિતાની રાજધાનીમાં પિતાનો ઉપકારી થઈ, એક જેલીરૂપે પૂજાય છે. પિતા પુત્રને ઓળખી શકતો નથી, અને પુત્ર પિતાને ઓળખતાં છતાં ગુપ્ત રીતે રહી, પિતાનું શુભ ચિંતન ચિંતવે છે. પ્રકરણ ૫૮ મું. ગવિદ્યાને ઉપદેશ. - - - = n D SSS ધ્યાન્હને સમય હતો, શરીરના નિર્વાહ માટે જનસમૂહ આહારની ક્રિ યામાં પ્રવર્તી રહ્યા હતા, ઉદ્યોગની પ્રવૃત્તિમાં વિશ્રાંતિ લેવાને એ વખત ઝી હતા, આસ્તિક ધર્મક્રિયામાંથી, ઉગી ઉદ્યોગમાંથી અને અભ્યાસીઓ છેઅભ્યાસમાંથી નિવૃત્ત થઈ ભોજનની ક્રિયામાં પ્રવર્તતા હતા. આ સમયે મહારાજા પ્રતાપસિંહ ભેજન લઈ, તે નવીન નિમિત્તિયાને ઉતારામાં આવ્યું. કાંઈ પણ ધર્મચર્ચા કરવાની તેની ઇચ્છા હતી. તેને આવતા જોઈ સેવકએ ખબર આપ્યા કે, આજે જોષીજી પ્રાતઃકાળથી ધ્યાન લગાવી બેઠા છે, તેમની મનોવૃત્તિમાં આજે સમાધિ કરવાની ઈચ્છા થઈ છે. તેમણે અમોને પ્રથમથી જણાવ્યું છે કે, હું મધ્યાહ સુધી ધ્યાન કરીશ. જે કઈ આવે, તેને સૂચના આપજે. સેવકનાં વચન સાંભળી મહારાજ પૂજાગ્રહમાં ગયા, ત્યાં તેની ધ્યાનમૂર્તિ જોવામાં આવી. જેથી દઢ આસન ઉપર બેઠા હતા, તેમણે યોગમુદ્રા ધરી હતી, શરીર કાષ્ટ્રવત થઈ સ્થિરભાવે રહ્યું હતું, લલાટ ઉપર ધ્યેય વસ્તુની એકતાનું તેજ ચળકતું હતું. આવી ધ્યાનાવસ્થા જોઈ પ્રતાપસિંહને આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું કે, આ કોઈ મહાયોગી લાગે છે, તેના ત્રિકાળ જ્ઞાનને હેતુ આ યોગવિદ્યા જ હશે. આ મહ. વિદ્યાને માટે ઘણું જાણવા ગ્ય હોય છે. ઉત્તમ ધ્યાનના પ્રકાર એ વિદ્યાથીજ જાણી શકાય છે. સિદ્ધ પરમાત્માના સ્વરૂપને પ્રત્યક્ષ ઓળખવાનું મહા સાધન સમાધિવિધા એકજ છે, માટે આ પુરૂષની પાસેથી તે યોગવિદ્યાનું શ્રવણ કર્યું હોય, તે ઘણો લાભ થાય. રાજા આમ ચિંતવતા હતા, ત્યાં તે જોષીજી ધ્યાનમાંથી જાગ્રત થયા. તત્કાળ તેની દૃષ્ટિ મહારાજાની ઉપર પડી. સસ્મિત વદને બેઠા થઇ, તે ચતુર જેવી પૂજાલયમાંથી બાહેર નીકળી પ્રતાપસિંહની પાસે આવ્યા પ્રતાપસિહે પ્રણામ કરી કહ્યું–મહાશય ! તમે ગવિઘા જાણે છે, એ આજેજ જાણ્યું. તમારી ધ્યાનાવસ્થા જોઈ, મને ઘણો આનંદ થયો છે. આહંત ગ્રંથોમાં યોગ વિષે મેં ઘણી વાર સાંભળ્યું છે, પણ તે વિષય બરાબર સાંભળવામાં આવ્યો નથી, તેથી તે જાણવાની મારી ઘણી ઈચ્છા છે. જો કૃપા કરી અને તે વિષે વિવેચન કરી સમજાવે, તે આપને આભાર માનીશ. મારા ચૈતન્ય જીવનને તમે જીવન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy