________________
પિતાને જીવિતદાન.
૩૦૩
કુશસ્થલીમાં આવ્યા હતા, અને તેણે નિમિત્તિઅને વેશ લઇ, પોતાના પિતાને ચિતાગ્નિમાં પડતા અટકાવ્યા, જે વૃત્તાંત આ વાત્તાના પ્રસગમાં ઉપર કહેવામાં આવ્યું છે.
''
અહીં રાજા પ્રતાપસિંહ અને તેને મત્રોવર્ગ તથા પ્રજાવર્ગ તે નિમિત્તિયાની શુભ વાણી સાંભળવાને ઈંતેજાર થઇ ઉભા હતા. પછી ચતુર નિમિત્તિએ પ્રસન્નતાથી જણાવ્યું, મહારાન ! હું બ્રાહ્મણ છું, નિમિત્તિયાની વિદ્યા જાણું છું, તિથિપત્ર અને સ્વર જ્ઞાનથી ભર્ભાવષ્ય કહી સકુ છું. જે મનમાં ચિંતનું હોય, તે ક્ષણમાં જાણી શકું છું. તમારે માટે મેં જોયું છે, તમારાં રાણી સૂર્યવતી પુત્ર સહિત જીવતાં છે, કૈાઇ સારા સ્થાન ઉપર સુખે રહ્યાં છે, હવે અલ્પ સમયમાં તમારે તેમને મેળાપ થશે. પ્રાયે કરીને આઠ દિવસમાંજ તે આવી પહેાંચશે. તેથી ધૈર્યને ધારણ કરી રાહ જુએ. મારી વાગીમાં કાંઇ પણ શકા રાખશે નહિ. તેનાં આવાં વચન સાંભળી રાજા અને મત્રી વિગેરે ઘણાજ ખુશી થયા. જયાતિષીનાં વચનામૃત સાંભળી, તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો. મ ંત્રીએ પુનઃ પ્રણામ કરી ખેલ્યા, મહાનુભાવ ! તમારી વાણીરૂપ સુધાએ અમને જીવન આપ્યું છે. મહારાજાની ગેાત્રદેવીએ તમારા જેવા પડિતરત્ન મેકલ્યા હોય, તેમ લાગે છે. કુશસ્થલીની પ્રજાની ભાગ્યદેવી આજે અમારી ઉપર પ્રસન્ન થયાં. અમારા શિરછત્ર મહુાસજા પ્રતાપસિહુને આપે ચેાગ્ય અવસરે નવું જીવન આપ્યું છે. આપને આ મહાપકારને બદલે અમારાથી દિપણ અપાય તેમ નથી. કુશસ્થલીના પ્રતાપી ઈંદ્રને આપે બચાવી, અમારા જીવનને સુધાર્યું છે.
આ પ્રમાણે કહી તેઓએ ફરીથી એ નિમિત્તિયાની પૂજા કરી. મહારાજા પ્રતાપે તેના અતિ આભાર માની, સત્કાર કર્યું. પછી મહારાજાએ આનંદ ઉત્સવ સાથે પુરમાં પ્રવેશ કર્યો. જેમ મૃત્યુ પામ્યા પછી સ્મશાનમાંથી સજીવન થઇ ઘેર આવે, અને જેવે આનદેત્સવ થાય, તેવા કુશસ્થલીની પ્રજાએ આનંદ ઉત્સવ પ્રવર્ત્તાવ્યા. સઘળી નગરીમાં ઘેરઘેર મંગળ ગીત ગવાયાં, રાજકુટુંબમાં હર્ષ સાથે જયધ્વનિ થઇ રહ્યા, મહારાજા મોટા સન્માનપૂર્વક નિમિત્તિયાને રાજદ્વારમાં લઇ ગયા. મોટા માન સાથે તેનું આતિથ્ય કરવાની ગોઠવણુ કરવામાં આવી.
તે ચતુર નિમિત્તિયે કે જે શ્રીચંદ્ર પોતેજ છે, તેણે વિચાર્યું કે, જો પેલી ચેાગિ ણીએ ચાલી જરો, તે પછી અહીંજ રહેવું પડશે. શ્રીગિરિમાં એકલાં રહેલાં સૂર્યવતી માતાને ણા સતાપ થશે, માટે આજની રાત્રીમાંજ ત્યાં જવું યોગ્ય છે. આવું ચિતવી તે વીર કુમાર છાની રીતે જ્યાં પેલી ચેકિંગનીનું શમીવૃક્ષ હતું, ત્યાં આવ્યો. કાઇ યાગની કે શમીવૃક્ષ જોવામાં આવ્યું નહીં. તેના હૃદયમાં ચિંતા થઇ, પણુ પિતાના જીવિતને ઉગારવાનું મહા કાર્ય સિદ્ધ થવાથી તે હ્રદયમાં પૂર્ણ સ ંષ માની, પાછે પાતાને સ્થાને આવ્યું.
આવી રીતે ચતુર શ્રીચંદ્ર પોતાના પિતાને વિતદાન આપી, કુશસ્થલીમાં રહ્યા. રાજા પ્રતાપસિંહુ તેને ઓળખી શકયા નહીં. એક વિદ્વાન નિમિત્તજ્ઞ નણીને તેનું બહુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org