________________
૩૦૨
આનંદ મંદિર. તે વખતે એ જેપીએ મને કહ્યું કે, આ નવે કન્યાને એકજ પતિ થશે. બીજા દ્વીપમાં થી કઇ મહારાજા આવીને તેમને પરણશે. તે મહારાજાનું નામ કહેને મારામાં જ્ઞાન નથી, પણ એટલું તે કહું છું કે, આવતી દશમીની મધ્યરાત્રે તે આવીને તમને મળશે તે દિવસ લગ્નને છે, માટે લગ્નની તૈયારી કરી રાખો. તે પછી અમેએ લગ્ન મંડપ ક. રાવીને આ સિંહાસન તૈયાર રાખ્યું હતું તેજ પ્રમાણે આજે તમે અકસ્માત આવ્યા છે. અમારી ધારણ સફળ થઈ છે. અત્યારનું નિર્દોષ લગ્ન છે, માટે જેમ ચંદ્ર રોહિણીનું પાણિગ્રહણ કરે, તેમ તમે આ કન્યાનું પાણિગ્રહણ કરશે.
રાજા રવિપ્રભનાં આવાં વચન સાંભળી, શ્રીચંદ્ર હર્ષથી તેનું પાણી ગ્રહણ કર્યું. આ વખતે નગરના લોકોની સાથે પહેલા સુધન શેઠની પુત્રવધુઓ ત્યાં જેવાને આવી હતી; તેમને જેઈ કુમારે ચિંતવ્યું કે, આ સ્ત્રીઓ જે ચાલી જશે, તો મારે પછી અહીંજ રહે વું પડશે, માટે અહીંથી આજજ રાત્રે યુક્તિ કરી ચાલ્યા જવું જોઈએ. મારા વિના મારી માતા સહિત શ્રીગિરિને દેશ શુન્ય છે. આવું ચિંતવી કુમારે એક રાજકન્યાના પાનેતર ઉ. પર કુંકુમના અક્ષરે લખ્યું કે, હું પ્રતાપસિંહને પુત્ર શ્રીચંદ્ર છું, કુશસ્થળીમાં કુશળ ક્ષેમ રહેવાને છું. ” પછી તે શરીર ચિંતાનું બહાનું કરી, વષ ધરીને ચાલ્યો ગયો. તે પેલી પુત્રવધુઓના શમી વૃક્ષની પાસે આવી ઉભો રહ્યો, તેવામાં ખપેરા અને ઉમા નામે
ગિણિઓ પરસ્પર વાર્તાલાપ કરતી ત્યાં આવી. ખર્પરાએ ઉમા યેગિણીને કહ્યું કે, બહેન ઉમા ! આ શેઠની ચારે પુત્રવધૂને મેં પ્રસન્ન થઈને વિદ્યા આપેલી છે. ઉમાએ પુછ્યું, તું શા માટે પ્રસન્ન થઈ હતી ? ખર્પરા બેલી, એક વખતે હું અતિ સુધાતુર હતી, તે સુધન શેઠને ઘેર ભિક્ષા લેવા ગઈ, તે સમયે આ પુત્રવધુઓએ મને ભોજન કરાવી અતિ તૃપ્ત કરી. તે પછી મેં તેમની ઉપર પ્રસન્ન થઈને આ વિદ્યા આપી છે. યોગિનીનો આ વાર્તા લાપ સાંભળી તે પુત્રવધુઓ ત્યાં આવી, અને તેમના ચરણમાં નમી પડી. તેઓ બેલી, માતા ! અહીં ક્યાંથી પધાર્યા, અને કયાં જાઓ છે? યોગિનીએ કહ્યું, ભદ્રે ! અમે આજે કુશસ્થલી નગરીમાં જવાનાં છીએ. વધુઓ બેલી, ત્યાં આજે શું કાંઈ કૌતુક છે? ખર્પરા બેલી, કુશસ્થલીને રાજા પ્રતાપસિંહ, તેને સૂર્યવતી નામે રાણું છે, તે સગર્ભા થતાં તેને રૂધિરવડે સ્નાન કરવાને દેહદ થયે; તે પૂરવાને મંત્રીની બુદ્ધિથી રાજાએ ગોઠવણ કરી.
જ્યારે તે રૂધિર જેવા રંગના જળમાં સ્નાન કરતી હતી, તેવામાં ભારડ પક્ષી તેને રૂધિરને પિંડ જાણી ઉપાડી ઉડી ગયું. આથી રાજા પ્રતાપસિહ ઘણે શોક કરવા લાગ્યું. કેટલાક વખત રાણીની શોધમાં નિર્ગમન કરી, છેવટે એ રાજા આજે ચિતાગ્નિમાં પ્રવેશ કરી, આત્મઘાત કરવા તૈયાર થયા છે. તેનું રાજકુટુંબ, મંત્રીઓ અને પ્રજાજન શોકા વર્ષાવે છે; આ કૌતુક જેવાને અમારે આજે કુશસ્થલી જવાનું છે.
ગિનીનાં આ વચન સાંભળી સુધશેઠની પુત્રવધુઓએ વિનતિ કરી કે, તે કેતુક જેવાને અમને પણ સાથે . આ બધે વૃત્તાંત સાંભળી શ્રીચંદ્રકુમાર ચિંતાતુર થયો હતો. તે પિતાના પિતાના પ્રાણની રક્ષા કરવાને તે વધઓની સાથે શમીક્ષને અવલંબી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org