________________
પિતાને જીવિતદાન.
૩૦૧ ચડી બેઠે. હાથમાં ચકચકિત ખ ધારણ કર્યું હતું, પર્વતના શિખર ઉપર જેમ કેશરી શોભે તેમ તે શોભવા લાગે, તેની પાસે નાગરવેલના પત્રને એક ભરેલો થાળ પડે હતો, તેમાંથી એક તાંબલને સ્વાદ કરી, રાજકુમાર દર્પણમાં મુખાવકન કરવા લાગ્યા. આ અવસરે પડદામાં બેઠેલા કેટલાક ચતુર પુરૂષે જયજય શબ્દ કરતા બાહેર આવ્યા. તેમણે આવીને કહ્યું, તો પ્રત્યક્ષ થયા, તે ઘણું સારું થયું. એમ કહી તેઓમાંથી કઈ વાજીંત્રો વગાડવા લાગ્યા, કોઈ સંગીત કરવા લાગ્યા અને કોઈ પિતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. તેવામાં સુભટોથી વીંટાએલે તે નગરને અધીશ ત્યાં આવ્યું, તેણે શ્રીચંદ્રકુમારને ઉસંગમાં લીધે, તેની તેજસ્વી મૂર્તિ જોઈ તે જનપતિને અતિશય આનંદ થયો. તે ઉમંગમાંથી બે –રાજકુમાર ! અમારા ભાગ્યથી તમારું આગમન વાદળ અને ગાજવીજ વિના જેમ વરસાદ થાય તેમ થયું છે. હું આ કર્ક ટક દ્વીપનો રવિપ્રભ નામે રાજા છું, મારે નવ પુત્રીઓ છે, તેમનાં ૧ કનકસેના, ૨ કનકપ્રભા, ૩ કનકમંજરી, ૪ કનકાભા, ધ કનકસુંદરી, ૬ કનકમાળા, ૭ કનકરમા, ૮ મનેરમા, અને ૯ સુવર્ણા એવાં નામ છે. એ નવ પુત્રીઓ વનવતી થઈ, એટલે તેની ચિંતાથી હું ચિંતાતુર રહેતો હતો, વિનવતી પુત્રીના પિતા સર્વદા ચિંતાતુરજ રહે છે. તેને માટે શાસ્ત્રકાર નીચેને બ્લેક લખે છે –
जातेति पूर्व महतीव चिंता कस्मै प्रदेयोति ततः प्रवृद्धा । दत्ता सुखं स्थास्यति वा नवेति
कन्यापितृत्वं किल हंत कष्टम् ॥ १ ॥ જ્યારથી પુત્રીને જન્મ થાય, ત્યારથી જ મોટી ચિંતા થાય છે. જ્યારે તે મોટી થઈ, એટલે કે આ પુત્રી કોને આપવી ? એવી ચિંતા વધે છે, અને કદિ તે કોઈને આપી, તે પછી તેને સુખ મળશે કે નહીં ? એમ ચિંતા થાય છે; તેથી કન્યાના પિતાને ઘણું
વળી કહ્યું છે કે – निजघर सोसा परघर मंडणी कुल कलंक कलि भवणं । जेहिं न जाया धृया ते मोहेया जीवलोग मि ॥ १ ॥
પિતાના ઘરને શેષનારી, બીજાના ઘરને માંડનારી, કુળમાં કલંકરૂપ, અને કલહનું ઘર, એવી પુત્રી જેને થઈ નથી, તે પુરૂષ આ જીવલેકમાં સુખી છે.
રાજપુત્ર ! એક વખતે મેં કોઈ નિમિત્તિયાને સભામાં બોલાવી પુછ્યું કે, આ નવ કન્યાને સ્વામી કોણ થશે ? તે સર્વને એકજ પતિ થશે, કે જુદા જુદા પતિ થશે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org