________________
૩૦૦
આનંદ મંદિર.
પ્રતાપસિંહ છે. પિતાના પુત્ર શ્રી ચંદ્રકુમારનું અને રાણી સૂર્યવતીનું ગુમ થવું, તેને ઘણું દુઃસહ થઈ પડયું હતું. રાણી અને રાજકુમારના વિયોગ દુ:ખથી કંટાળી મહારાજા પ્રતાપ આત્મહત્યા કરવા તૈયાર થયા હતા. તેના રાજકુટુંબે, મંત્રીઓ અને પ્રજાએ ઘણી વિનંતિ કરી, તથાપિ એ દ્રઢ સંકલ્પી રાજાએ પોતાના વિચાર ફેરવ્યો નહીં, આવા ભણીને વખતે જે આ બીજો પુરૂષ નિમિત્તિઓને રૂપે આવી ચડે, તે તેને પુત્ર શ્રીચંદકુમાર છે. શ્રીચ કે આ વાર્તા માંથી સાંભળી અને તે શ્રીંગરિમાં રહેલ પિતાની માતાની પાસેથી અહીં શી રીતે આવ્યો, તે વૃત્તાંત જાણવા જેવું છે, તે નીચે પ્રમાણે આપીએ છીએ.
પદ્મનાભ રાજા અને ગુણચંદ્રને કનકપુરના રાજાની સહાયમાં મોકલી, શ્રીચંદ્ર પિતાની માતા સૂર્યવતીની સાથે શ્રીગિરિમાં રહ્યો હતો. એક વખતે રાત્રિચર્યા જેવાને શ્રીચંદ્ર રાત્રે બહાર ફરવા નીકળે, એક પથિકશાળા કે જ્યાં વિદેશી મુસાફરો આવી ઉતરતા હતા, ત્યાં તે આવી ચ શ્રીચંદ્ર ત્યાં ગુપ્ત રીતે ફરતે હતેતેવામાં કઈ મુસાફરો જુદી જુદી વાતો કરતા હતા. તેઓમાં એક મુસાફર બેલ્યો, મિત્ર ! મારો એક વૃત્તાંત સાંભળવા જેવો છે, તે સાંભળે. ગત દિવસે હું કુંતલ નામના નગરમાં રાત રહ્યો હતો, તે ગામમાં સુધન નામના એક શેઠને ચાર પુત્રવધુ છે, તે હમેશાં મધ્ય રાત્રે ઉઠીને સ્નાન શ્રૃંગાર કરી કઈ વાડીમાં જાય છે. ત્યાં એક ખીજડાના વૃક્ષ ઉપર ચડીને કયાંઇ ઉડી જાય છે. દેવ યોગે હું તે સ્થળે જતો હતો, અને તે દેખાવ જોઈને ઘણો ભય લાગ્યો. તે ગામ અહીંથી વીશ ગાઉ દૂર આવેલું છે.
આ વાર્તા શ્રીચંદ્ર ગુપ્ત રીતે સાંભળી લીધી, પછી બીજે દિવસે પિતે તે સુધન શેઠને ઘેર સાયંકાળે ગયે, અંજન ગુટિકાના વેગથી ગુપ્ત રીતે ઘરમાં રહ્યા. બરાબર મધ્ય રાત્રિ થઈ, એટલે તે પેલી વધૂઓની સાથે વાડીમાં ગયે, અને ખીજડાના વૃક્ષ પાસે ઉભો રહ્યા. તે વધુએ પરસ્પર કહેવા માંડ્યું કે, બહેને ! આજે કયાં જવું છે ? તેઓમાંથી એક બેલી–ગઈ કાલે આપણે જે વાત સાંભળી છે, તે આશ્ચર્ય જેવાને આજે કટક દ્વીપમાં જઈએ. પછી તેમણે યોગિનીને મંત્ર જપ, એટલે શમીવૃક્ષ આકાશ તરફ ઉડ્યું. શ્રીચંદ્ર તેના થડને વળગી રહ્યા. તત્કાળ તેઓ કટક દ્વીપમાં આવીને ઉતર્યા. પછી વૃક્ષને બાહેર મુકી તેઓ નગરમાં પિઠાં. શ્રીચંદ્રકુમાર પણ તેમની પાછળ ચાલ્યો. તે વનિતાએ તે નગરના રાજકારમાં આવી, તેમણે અંદર પ્રવેશ કર્યો. રાજમહેલમાં એક સુશોભિત મંડપની મધ્ય ભાગે રત્નજડિત સિંહાસન મુક્યું હતું, પ્રજવલિત દીવાઓની કાન્તીથી વિવિધ જાતના ચંદ્રની ભ્રાંતિ થતી હતી, તે સિંહાસન આગળ રહેલું પાદપીઠ મુકતાફનથી વિરાજિત હતું. જાતજાતની કારીગરીવાળા તેના પાયા સુશોભિત લાગતા હતા, જાણે વિમાન હોય, તેવું તે સિંહાસન જઈ શ્રી ચંદ્રને વિચાર થયો અહા ! કેવું સુંદર સિંહાસન છે ? આવું મનહર આસન શૂન્ય હોવાથી શોભતું નથી, આ કઈ વીરનરને ભોગ્ય છે. શયન, આસન, વાહન, શસ્ત્ર, શાસ્ત્ર, ભજન, અને પાન એ સવને સાધારણ છે, પણ પુણ્યનિધાન પુરૂષોને તે ઉત્તમ રીતે ભોગ્ય છે. આવું વિચારી ધર્મવીર શ્રીચંદ્ર મુખમાંથી અંજનગુટિકા બાહર કાઢી પ્રત્યક્ષ થઈ, તે સિંહાસન ઉપર નિર્ભય થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org