SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ . પિતાને જીવિતદાન. ૨૯૯ હું પવિત્ર દેવી ! મારા કુમારામાં જે રાજ્યને લાયક કુમાર છે, તેની તમે રક્ષા કરજો. મારા રાજ્યની પ્રજાનું પાલન કરવાને એ કુમારને પ્રેરણા કરી મોકલજો, જય વિ ગેરે કુમારીમાં સદ્ગુદ્ધિને આરેાપજો, આ રાજ્ય વૈભવની ઉન્નત થાય, તેવી યેાજના કરવા સદા તત્પર થજો. મહાદેવી ! તમે અમારા કુળનાં ત્રાતા છે, અમારા વશપરંપરાનાં રક્ષક છે, તમારા પ્રભાવથી અમારા વરશે પ્રકાશિત છે, અમારૂં ઐશ્વર્યરૂપ રાતેજ, તમારા ભુજાબળને આશ્રીને ટકે છે, મારા રાજમહેલની ઉપર તમારા પવિત્ર નામના નિશાનરૂપ ચઢેલી ધ્વજા તરફ્ તમે સર્વદા ષ્ટિ રાખો, ભારતવર્ષમાં પ્રસરેલી મારી નીતિમય રાજ્યની ત્તિને તેવી ને તેવી આબાદ રાખજો. આ પ્રમાણે કહી તેણે પાસે ઉભેલા મત્રિવર્ગ અને પ્રજાવર્ગને જણાવ્યું, મહારા વાદાર મંત્રિએ ! મારી દચ્છા પ્રમાણે રાજ્યની ઉપર મે` મારા યોગ્ય કુમારને નિમવા જણાવ્યું છે, તે પ્રમાણે બરાબર કરો, અને તેની આજ્ઞામાં પ્રવર્ત્તો; તે રાજકુમારને ઉત્તમ પ્રકારની સલાહ આપો, રાજા અને પ્રાની ઐક્યતા કરવાનાજ સદા ઉપદેશ આપજો, રાજનીતિના પવિત્ર માર્ગે પ્રવત્તાવવા સર્વદા પ્રયત્ન કરજો, નવીન રાજાને ઉત્સાહ વધે, તેવાં કામ કરવાને હમેશાં પ્રેરણા કર્યા કરો. દુરાચાર, વ્યસન, અને અ. નીતિથી તેને દુર રાખજો. સદાચારની શિક્ષા સંપાદન થાય, તેવાં સાધને તેની પાસે ગેવજો, દુર્ગુણી માણસાના પ્રસંગમાં તે ન આવે, તેવું ધ્યાન રાખજો, જગમાં સર્વ. માન્ય થએલા જૈન ધર્મની ઉપાસના કરવાને તેને હુમેશાં ઉપદેશ મળે, તેવી ગાઢવણુ કરો. આર્હત ધર્મનાં તા અને આચારેાથી તે કદિ પણ વિમુખ ન થાય, અને તે ધમને પૂર્ણ રાગી થાય, તેવી ચેાજના કરવાના ઉપાય સર્વદા સજ્જ રાખો. પ્રિય મ ત્રિએ ! મારા થએલા અપરાધ ક્ષમા કરજો, કાઇ પણ રાજકીય કામને લઇ, મેં કાંઇ પણ તમારે માટે અયેાગ્ય કર્યું હોય, તેને ક્ષમા કરી, મારા રાજ્યને અને મારી પ્રજાને એકનિષ્ઠાથી જાળવજો, હવે હું તમને છેલ્લા પ્રણામ કરૂ છું. આ પ્રમાણે કહી, તે પુરૂષ ચિતામાં પડવા જતા હતા, ત્યાં એકાએક પછવાડેથી બુદ્ધિમાન મહારાજા ! સાહસ કરી નહીં. આપને શુભ સમાચાર આપવા tr રાબ્દ થયા. આવ્યેા છેં. આ વચન સાંભળી, રાજાએ વિસ્મય પામી, પછવાડે જોયું. બીજા પ્રેક્ષકા ચકિત થઇ જોવા લાગ્યા, ત્યાં એક પુરૂષ નિમિત્તિઆને વેષે આવ્યા, તેના એક હાથમાં જ્યોતિષપત્ર હતું, ખીજો હાથ રાજાને અટકાવવાને ઉંચા કર્યા હતા, લલાટ ઉપર તિલક કર્યું હતું, તેના શરીરની આસપાસ બ્રહ્મતેજ પ્રકાશી રહ્યું હતું, તેને જોતાંજ સર્વ ખુશી થયા. મરણાન્મુખ થએલા રાજાએ તેને પ્રણામ કર્યાં, ખીજા મંત્રી વિગેરે પણ તેના ચરણમાં નમી પડયા. તે પ ંડિત શિશમણિ સર્વને આશીર્વાદ કહી ઉભા રહ્યા. તેના મુખમાંથી શું વચન નીકળશે, તે સાંભળવાની રાહ જોઇ, સર્વ કહુદ્રિયને સાવધાન કરી ઉભા રહ્યા. પ્રિય વાચકવૃંદ ! આ સમયનું સ્પષ્ટીકરણ હવે કરીએ છીએ. હૃદયમાં જરા પણ અધૈર્ય રાખશે નહીં. જે ચિતાગ્નિમાં મરવાને તૈયાર થયા છે, તે કુશસ્થળીને મહારાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy