SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રપુર નગર, २८७ યોજના કર્યા છતાં શ્રીચંદ્ર પોતાની જાતે ઘણી વાર દાનશાળાની ભેટ લેતો હતો. પોતે સ્થાપેલાં શુભ ખાતાંની વ્યવસ્થા કેવી થાય છે, તેને માટે તે સૂક્ષ્મ રીતે અવલોકન કરતે હતે. આ વખતે શ્રીચંદ્ર દાનશાળામાં આવ્યો, આવીને તેણે પ્રત્યેક સ્થાનનું નિરીક્ષણ કર્યું, ત્યાં કેવા અતિથિ આવેલા છે ? અને તેઓ કેવી વાર્તા કરે છે ? ઇત્યાદિ તપાસ કરતે તે આસપાસ ફરતો હતો. તેવામાં એક યુવાન પુરૂષ જોવામાં આવ્યો, તેની આકૃતિ શાંત હતી, તીર્થયાત્રાની પવિત્ર ભાવના તેના દેખાવ ઉપરથી જણાઈ આવતી હતી, લલાટ ઉપર જેન તેજ પ્રકાશનું હતું, શ્રાવક વ્રતનાં ભવ્ય કિરણો તેની મુખમુદ્રા ઉપર ચળતાં હતાં; સત્ય, શુદ્ધ હૃદય, નિર્મળતા, પ્રમાણિક્તા, વિનય, નમ્રતા, ધૈર્ય, ધાર્મિકતા, આસ્તા, અને બીજા ઉત્તમ ગુણો તેનામાં વાસ કરી રહ્યા હોય, તેમ તે દેખાતે હતો. તેને જોઇ શ્રીચંદ્ર પ્રસન્ન થયે, આવા પવિત્ર શ્રાવક અતિથિ દાનશાળાને ઉપયોગ કરે છે, તેને માટે તે આત્માને કૃતાર્થ માનતા હતા. પોતે હમેશાં સાધર્મ બંધુઓની સેવાનું મહાફળ મેળવે છે, તેને માટે જીવનને ચરિતાર્થ ગણવા લાગ્યો. શ્રીચંદે તે યુવાનને પુછ્યું, તમે કોણ છો ? અને કયાંથી આવો છો? તે તરૂણ પુરૂષ – યાત્રાળુ શ્રાવક છું, કલ્યાણપુરમાંથી નીકળેલ છું; આજે કનકપુરને ચાલે અહીં વેગથી આવ્યો છું. શ્રીચંદ્ર—બે દિવસનો માર્ગ એક દિવસમાં 'આટોપીને આવવાનું શું કારણ હતું ? તેની ઉતાવળ શા માટે કરવી પડી ? તરૂણ પુરૂષ બોલ્યો–મહાનુભાવ ! કનકપુરમાં આજે એક તોફાન જાગ્યું છે, તે નગરને રાજા પિતાના લક્ષ્મણ નામના મ ત્રીને રાજ્ય સોંપી, કોઈ કાર્ય માટે બહાર ગયેલ છે, મંત્રી સાવધાન થઈ રા જ્યનું કાર્ય કરતા હતા, ત્યાં ગુણવિરામ નામે કઈ બળવાન રાજા મોટું સૈન્ય લઈ ચડી આવ્યો છે, તે સમર્થ રાજાએ પોતાના મોટા સૈન્યથી કનપુરને ઘેરી લીધું છે. આ બનાવ જોઈ હું ત્યાંથી વેગે નાશી છુટયે, અને ઉતાવળો ઉતાવળા અહીં આવી પહોંચ્યો છું. આ ખબર સાંભળી શ્રીચંદ્ર ચમકી ગયો; કનકપુરપત પિતાનો સંબંધી છે, તેથી તેને સત્વર સહાય કરવાની તેની ઈચ્છા થઈ. તત્કાળ શ્રીચંદ્ર ગુણચંદ્રને કહ્યું, મિત્ર ! ચાલે આપણે આપણું હી કનકપુરના રાજાની મદદે જઈએ. સ્નેહને સહાય કરવી એ સ્નેહીને ધર્મ છે, કનકપુરના રાજા મારે માટે જ બહાર ગયા હશે, તે સમયનો લાભ લેવા ગુણવિભ્રમ રાજા ચડાઈ કરીને આવ્યો હશે. શ્રીચંદ્રનાં વચન સાંભળી ગુણચંદ્ર બે –રાજમિત્ર! તમારું કહેવું યોગ્ય છે, તે કાર્ય સત્વરે કરવું જોઈએ; પણ રાજમાતા સૂર્યવતીને અહીં એકલાં મુક્યાં, તે મને યોગ્ય લાગતું નથી. તે પુત્રવત્સલા માતા પછવાડે ચિંતાતુર રહેશે, માટે મને એકને જ ત્યાં જવાની આજ્ઞા આપે, અને તમે માતાની આગળ હાજર રહો. શ્રીચ કે મિત્રના તે વિચારને સાબાશી સાથે અનમેદન આપ્યું; પછી તેઓ પેલા તરૂણ અતિથિને ધન્યવાદ આપી મહેલમાં આવ્યા. ત્યાં પદ્મરાજાને તે વાત જણાવી, એટલે પદ્મરાજ ગુણચંદ્રની સાથે સૈન્ય સહિત જવાને તૈયાર થયું. શ્રીચંદ્ર તે વાર્તા સ્વીકારી, અને પિતાનું ચંદ્રહાસ નામનું દિવ્ય ખ ગુણચંદ્રને યુદ્ધ કાર્યને માટે આપ્યું. પઘરાજા અને ગુણચંદ્ર શ્રી ચંદ્રની આજ્ઞા લઈ, મોટી સેના સાથે કનકપુરને માર્ગે ચાલ્યા. વીણાપુ ૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy