________________
૨૯૬
આનંદ મંદિર.
જૈન મહર્ષિઓએજ માહુ ઉપર વિજય મેળવ્યો છે. પચમહાવ્રતરૂપ વા પાંજરમાં એસી, તે મહાશયા એ મહુ'ન્ ચાહ્યાને પરાભવ કરી શકયા છે, તથાપિ તે ક્ષણે ક્ષણે કેશરીસિહુની જેમ તેનાથી ડરતા રહેલા છે, એ મેહ રાજા સ’સારરૂપ છાવણી નાખીને આ જગતમાં પડયા છે. પ્રત્યેક સ્થળે અને પ્રત્યેક પદાર્થે એ ક્રૂર ચાદ્દાથી સર્વને ચેતતા રહેવાનું છે. આ વિશ્વરૂપ અરણ્યમાં મેહરૂપ કેશરી જ્યાં સુધી ગર્જના કરી રહ્યા છે, ત્યાં સુધી પ્રત્યેક સ ંસારી પ્રાણીને સાવધાન રહેવાનું છે, તે પ્રચંડ કેશરી રિણની જેમ ધર્મ રહિત એવા પામર પ્રાણીઓના ક્ષણમાં શીકાર કરી શકે છે.
વસ શ્રીચંદ્ર ! એવા સમયે અને દુષ્ટ માડુના પ્રભાવથી આપણે આ મેટી ભુલ કરી છે. હવે બન્યું તે ખરૂં, તેને વિશેષ અસેાસ નહીં કરતાં જે કર્ત્તવ્ય છે, તેમાં પરાચણુ થા. તારા દુ:ખી પિતાને સત્વર આપણા શુભ સમાચાર પહેાંચે તેવા ઉપાય કર. એ શુભ સમાચાર સાંભળી તારા પિતાને ધણું આશ્વાસન મળશે. એટલુંજ નહીં પણ તેમના હૃદયમાં પ્રગટેલી ચિંતારૂપ મહા જ્વાળા તરત નિર્વાણ પામી જશે. માતા સૂર્યવતીનાં આવાં વચન સાંભળી શ્રીયંત્રે સત્વર બુદ્ધિસાગર મંત્રીને ખેલાવી, આ પ્રમાણે કહ્યું, મત્રી ! તમે મારા વિશ્વાસી મંત્રી છે, એક વેગવાળી સાંદ્ર ઉપર બેસીને કુશસ્થળીમાં જાઓ. માર્ગમાં કનકપુર આવે, ત્યારે ત્યાં લક્ષ્મણ નામના મંત્રીને મારા ખબર આપી, કુશસ્થળીમાં જજો. મારા પિતાશ્રી પ્રતાપસિંહને અમારા શુભ સમાચાર આપજો. તેમને મારા પ્રણામ કહી જણાવજો કે, તમારા સ્વાર્થી પુત્ર થોડા સમયમાં આવી તમને મળશે, તેની માતા સૂર્યવતી કુશળ છે, અને તે તેમની સાથે શ્રીગિરિમાં ચંદ્રપુર નગરે રહે છે. આ પ્રમાણે પિતાજીને ખબર આપી તેમના હૃદયની ચિંતા દૂર કરાવો. તમે અમારી જે સ્થિતિ -- ત્યક્ષ જુદા છે, તે તેમને સત્ય રીતે જણાવજો.
શ્રીચંદ્રની આજ્ઞા થતાંજ મંત્રિ બુદ્ધિસાગર તૈયાર થયેા. તેણે ઉષ્ટ શાળામાંથી એક પવનવેગી સાંઢ મગાવી. મુસાીમાં ઘટે તેવે। સામાન લઇ, બુદ્ધિસાગર શ્રીચંદ્રને પ્રણામ કરી ચાલી નીકળ્યા. બુદ્ધિસાગર ચાલતી વખતે કેટલાએક શુભ શુકન થયાં હતાં. પોતાના સ્વામીની આજ્ઞા સંપાદન કરી તેને સફળ થવાની આશા રાખી; તે ઉમગમાં રહી ચાલતા હતા.
બુદ્ધિસાગર મંત્રિ ગયા પછી શ્રીચદ્ર માતાની આજ્ઞા લઇ, રાજમહેલમાં આવ્યા. તે વખતે ગુણચંદ્ર મંત્રિની સાથે તે રાજધાનીમાં કરવા નીકળ્યા. અનેક સ્થળે કરતાં તે પોતે સ્થાપેલી દાનશાળામાં આવી ચડયા. દાનશાળામાં વિદેશી યાત્રાળુઓ અને મુસાને માટે ઉત્તમ પ્રકારની ગાઠવણુ કરવામાં આવી હતી. સર્વ પ્રકારની સામગ્રીવડે ત્યાં ઉત્તમ પ્રકારનું આતિથ્ય થતું હતુ. એ પવિત્ર ભૂમિ સામેં બધુઓની સેવાનું એક સ્થળ થઇ પડી હતી. વિદેશમાંથી આવતા મુસાફરોના સત્કાર માટે તેમાં ઉત્તમ યોજના કરવામાં આવી હતી. તે સ્થળે ખાસ એક આસ્તિક અધિકારીને નિમ્યા હતાં. દાનશાળાને વિહવટ કરવામાં બીજા પણ કેટલાએક સહાયકારી સેવકે નિમવામાં આવ્યા હતા, આવી ઉત્તમ પ્રકારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org