SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રપુર નગર, ૨૯૫ પરાક્રમ અને તારી ધાર્મિકતા જોઈ મને પૂર્ણ સંતોષ થાય છે, તે સાથે તારી અપ્રતિમ માતૃભક્તિએ મને વશ કરી લીધી છે, જે ભક્તિથી તું આટલા સમયમાં જ માતાના ઋણમાંથી મુક્ત થવા પામ્યો છું. પુત્ર ! હવે તે વિશે તારી કૃતાર્થતા પૂર્ણ થઈ છે; પણ હવે તારી જન્મભૂમિ, તારા ઉપકારી પિતા, અને પાળક માતા પિતા તરફ દૃષ્ટિ કર. કુશસ્થલીની જન્મભૂમિને સ્મરણમાં લાવ, તારા દુ:ખી પિતાને શાંતિ આપવા તત્પર થા. આપણે અહીં સર્વ પ્રકારના સુખમાં મગ્ન છીએ, પણ તારા પિતાની શી સ્થિતિ હશે ? તે તું વિચારી જો. હું અચાનક ભાર પક્ષીને ભોગ થઈ છું, મારા વિયેગથી તારા પિતા પૂર્ણ દુઃખી છે. પુત્ર અને પત્ની બંનેના વિયેગથી કુશસ્થલી પતિ પૂર્ણ રીતે પીડિત હશે. વત્સ તારા હદયમાં રહેલી પાતૃભક્તિને જાગ્રત કર, પિતા તરફની તારી પવિત્ર ભાવના હૃદય ઉપર આરૂઢ કર, તારા જે સપુત્ર પિતાની પિડાને સહન કરી શકે નહિ; પિતાને દુ:ખે દુઃખી થનારા કુલીન પુત્રથી જ આ ભારતભૂમિ ભૂષિત છે. સૂર્યવતીનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્રના હદય પર ઘણી અસર થઈ આવી. પિતૃભક્તિરૂપ કલ્પલતા તેના હૃદયરૂપ કયારામાં તત્કાળ અંકુરિત થઈ ગઈ. શરીર ઉપર રોમાંચ થઈ આવ્યાં, નયનમાંથી પ્રેમાબુની ધારા ચાલવા લાગી, પ્રેમી હૃદયમાં પશ્ચાતાપ થઈ આવ્ય, ક્ષણવાર વિચાર કરી શ્રીચંદ્ર અંજલિ જોડી માતા પ્રત્યે બોલે, માતા ! આપે તેનું સ્મરણ આપી મને પાપમાંથી બચાવ્યો છે. મારા પિતાની સ્થિતિનું ભાન આજ સુધી મારા હૃદયમાં આવ્યું નહીં, તેને માટે અતિ ખેદ ઉત્પન્ન થાય છે. મારા જેવા અ૯પમતિ પુત્રે આ જગતને કલંક્તિ કરે છે. માજી ! મારે અપરાધ ક્ષમા કરો. આ સ્વાર્થી પિતાને જે દુઃખ આપ્યું છે, જે કષ્ટ ભગવાવ્યું છે, તે મહા પાપમાંથી હું કયારે મુકત થઇશ? માતા ! તમારો મેળાપ થયો, ત્યારે જ મેં પિતાની સ્થિતિ જાણી હતી, તે છતાં આટલો વિલંબ કર્યો, તેને માટે મને અતિ પશ્ચાતાપ થાય છે. શ્રીચંદ્રનાં આવાં પશ્ચાતાપ ભરેલાં વચન સાંભળી સૂર્યવતીને સંતોષ થયો. પુત્રની પિતૃભક્તિ માટે તેણીને હૃદયમાં સારું લાગ્યું. તે બેલી-વત્સ ! હવે વિશેષ પશ્ચાતાપ કરીશ નહીં, જે બનવાનું હતું તે બન્યું છે. મોહ એ અતિ નિંદવા યોગ્ય પદાર્થ છે, નેહરૂપ ભયંકર રાક્ષસ સર્વને પરાભવ કરી શકે છે. મને પુત્ર મેહ થયો, અને તેને માતૃમેહ થયો, એ મેહનું જ આ પરિણામ છે, દુષ્ટ મેહનાં પરિણામ ઘણું વિપરીત હોય છે. જેના હૃદય ઉપર મેહરાજાની સત્તા પ્રવર્તી, તે પુરૂષ જીવતાં છતાં શબ જે થઈ જાય છે, તેની સ્મરણશક્તિ અને વિચારશક્તિ વિમૂઢ થઈ જાય છે. મેહરૂપ મહા વિષ જેના અંગમાં વ્યાપ્ત થાય, તે પુરૂષના હૃદયમાંથી તીવ્ર દુઃખરૂપ જવાળાઓ નીકળે છે. મેહરૂપ મહા શત્ર એ પ્રચંડ છે કે, જે ક્ષણમાં પરાભવ કરી પ્રાણીને પાતાળમાં નાખી દે છે, મોહ એ વિપરીત શિક્ષા કરેલે અશ્વ છે, તે પિતાના સ્વારને દુર્ગ સ્થાનમાં લઈ જઈ અથડાવી પાડે છે. મેહ ખરેખર મારણ તથા ઉચ્ચાટનને મહામંત્ર છે. એ મહામંત્રના જાપથી પ્રાણી મારણ અને ઉચ્ચાટનની સ્થિતિ પામે છે. તેવા દુષ્ટ મોહને પરાભવ કરવા માટે જ શ્રી તીર્થકરોએ ધર્મરૂપ મહા શાસ્ત્ર રચ્યું છે. એ અપ્રતિહત શાસ્ત્રને હાથમાં લઈ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy