________________
આનંદ મંદિર, માટે પાઠશાળાઓ સ્થાપવામાં આવી હતી, તેને લગતી પુસ્તકશાળાઓ મોટા પાયા ઉપર રચવામાં આવી હતી. વિવિધ જાતની કળાઓને મેળવવાને જાતજાતની ઉદ્યોગશાળાઓ ઉઘાડવામાં આવી હતી.
આ પ્રમાણે શ્રીગરિની નજીક ચંદ્રપુર વસાવી, તેમાં શ્રીચંદ્ર પવા રાજાની આ જ્ઞાથી નિવાસ કર્યો. રાજમાતા સૂર્યવતીને માટે નવીન મહેલ તૈયાર કરાવ્યો; પિતાના રાજમહેલની પાસે મંત્રી ગુણચંદ્ર અને કમળત્રીને રહેવાને એક ભભકાદાર મહેલ જુદા બંધાવ્યો. મહારાજ શ્રીચંદ્ર આ ચંદ્રપુરના રાજ્યને નીતિથી ચલાવતો હતો. ચંદ્રપુરની રાજભક્ત પ્રજા શ્રી ચંદ્રને દેવની જેમ માનતી હતી. પ્રત્યેક ક્ષણે શ્રીચંદ્ર સાવધાન થઈ પ્રજાની સર્વ પ્રકારની ખબર લેતો હતો. જૈન ધર્મના ઉતને માટે તેણે અનેક ખાતાંઓ સ્થાપ્યાં હતાં, દેવવ્ય, ગુરૂદ્રવ્ય, અને સાધારણ દ્રવ્યની વ્યવસ્થા કરવાને તેણે જુદી જુદી સભાઓ સ્થાપી હતી. પ્રત્યેક ખાતાંઓને આબાદ કરવાનું રાજ્ય તરફથી તે મોટી મદદ આપતા હતા. પર્વના દિવસોમાં આહંત શાસનનો ઉઘાત થાય, તેવા મહત્ન કરવાને તે ઉમંગથી પ્રવર્તતો હતો. એક વખતે સૂર્યવતી રાજમહેલમાં બેઠી હતી, શ્રીચંદ્ર જેવા પુત્રની સમૃદ્ધિ અને માત ભક્તિ જોઈ તે અતિ આનંદમાં મગ્ન થતી હતી, તથાપિ તેના હુંદયમાં પિતાના પ્રાણેશ પ્રતાપસિંહના વિયોગનું દુઃખ તેને શલ્ય જેમ સાલતું હતું.
આ વખતે એકાંતમાં બેઠેલી સૂર્યવતીને કુશસ્થલીનું સ્મરણ થઈ આવ્યું. પોતાના પ્રતાપી પ્રાણનાથનાં દર્શન કરવાની તેને ઇચ્છા થઈ. શ્રી ચંદ્રકુમારની સાથે પોતાના રાજકુટુંબની ભેટ લેવાની તેણીને પ્રબળ વાસના જાગૃત થઈ. રાજરમણીએ વિચાર્યું કે, મારા પ્રતાપી પતિની શી સ્થિતિ હશે ? મારા વિયોગથી એ મહાનુભાવને અતિ દુઃખ થઈ પડયું હશે. તેમને પવિત્ર પ્રેમ મને બહુ યાદ આવે છે, હું આટલે વખત સુધી પુત્રના મોહમાં પતિને ભુલી ગઈ, તે મેં સારું કર્યું નહીં. પુત્ર ગમે તેવા પ્રતાપિ, પંડિત અને માતૃભક્ત હોય, પણ તે પતિથી બીજે દરજે છે. પુત્રરૂપ મનોરથને પૂરનાર, કલ્પવૃક્ષ તે કાન્તાને કાન્તજ છે. દંપતીરૂપ પ્રેમવક્ષનું એ બીજ છે. પુત્રના લાભમાં લુબ્ધ બની લલનાઓ પોતાના પતિથી વિમુખ બની, પુત્ર પ્રેમમાંજ પિતાના સ્વાર્થને સિદ્ધ થયેલ માને, એ કેવી મૂર્ખતા ? હું તેવી મૂર્ણ મહિલા બની છું. આજ દિન સુધી પતિના દુઃખનો ઉપાય મેં કાંઈ પણ નહીં. વનિતાના વિયાગથી વિપત્તિમાં પડેલા પતિને મેં કાંઇ પણ શુભ સંદેશો કહાવ્યો નહીં, તેમજ શ્રી ચંદ્રકુમારને પિતાની સંભાળ લેવાને કાંઈ પણ કહ્યું નહીં, એ મારી કેવી અજ્ઞતા?
આવો પશ્ચાતાપ કરી સૂર્યવતી સત્વર બેઠી થઈ, શ્રીચંદ્રની પાસે આવી. માતાને આવતી જઈ શ્રીચંદ્ર વિનયથી બેઠે થઈ સામે આવ્યો, ઉત્તમ આસન ઉપર માતાને બેસાડી, શ્રીચંદ્ર–શી આજ્ઞા છે ? એમ કહી સન્મુખ ઉભા રહ્યા. સૂર્યવતીએ પુત્રને સામે બેસારી નીચે પ્રમાણે કહ્યું –
વહાલા પુત્ર ! આજે મને મારી અજ્ઞાનતાનું ભાન થયું છે. તારી સમૃદ્ધિ, તારું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org