SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રપુર નગર, પ્રકરણ ૫૬ મું. ચંદ્રપુર નગર. કવિ શ્રી ચંદ્રકુમારે પોતાની માતાને આનંદ પમાડવાનો નિશ્ચય કર્યો. માતા પુ. Bીકરી ની ત્રને વૈભવ જોઈ હદયમાં સંતોષ પામે, એ વિચાર શ્રીચંદ્રને સ્ક્રરવા Eો શું લાગે . માતાના મનોરથ પૂરા કરવાને શ્રીચંદ્ર સાવધાન રહેવા લાગે, છે. માતા જે કહે તે વચન પૂર્ણ કરવાને શ્રીચંદ્ર તત્પર છે. તેણે વીણપુરમાં રહી માતાને પ્રસન્ન કરવા ધાર્મિક ઉત્સવ કરવા માંડયા. અરિહંત પ્રભુની ભક્તિને માટે તે અનેક પ્રકારનાં પર્વ ઉત્સવ કરવા લાગે. પદ્મશ્રી પણ પોતાની સાસુની સેવા કરવાને તત્પર રહેતી હતી, સાસુ ઉપર માતૃભક્તિ રાખી, તે તેમની સાથે વર્તતી હતી, કુલીન શ્રાવિકાને ખરેખરો ધર્મ પદ્મશ્રી દ. શાવતી હતી, સાસુની આજ્ઞા પુષ્પમાળાની જેમ મસ્તક પર ધારણ કરતી હતી, પુત્ર વધુને પવિત્ર પ્રેમ જોઈ, સૂર્યવતી હદયમાં હર્ષ પામતી હતી, તે પણ પુત્રીની દ્રષ્ટિએ પદ્મશ્રીને જેતી હતી, કુલીન પુત્ર વધુને વિનય જોઈ, તેની પવિત્ર ભક્તિ જોઈ, સુવતીના હૃદયને પરમ શાન્તિ મળતી હતી. - ચતુર અને પરાક્રમી શ્રીચંદ્ર શ્રીગિરિની પાડોશમાં ચંદ્રપુર નામે એક નગર વસાવ્યું શ્રીચંદ્રના પૂર્વ ઉપકારનું સ્મરણ કરનાર પેલા ભિલની ઈછા તેમ કરીને તેણે પૂર્ણ કરી હતી. પૂર્વે પિતાને પ્રાપ્ત થયેલ સ્પર્શમણિના વેગથી તેણે એ નગરને સુવર્ણની ખાણ બનાવ્યું હતું. નગરની આસપાસ ઉંચો અને મજબૂત કીલે બાંધવામાં આવ્યા હતો, પ્રત્યેક સ્થળે લોકોનાં નિવાસગૃહ ઘણી સુંદર રચનાથી રચવામાં આવ્યાં હતાં, વિવિધ આકૃતિવાળી વિશાળ શેરીઓને ગોઠવવામાં આવી હતી. શહેરના દરવાજા ઘણું કરણીદાર અને રમણીય બનાવ્યા હતા, સાત સાત માળની હવેલીઓ અને વિમાનનાં જેવાં જિનાલય આકાશની સાથે વાત કરતાં હોય, તેવાં ઉભાં કરવામાં આવ્યાં હતાં, જેવી શહેરની અંદર શોભા કરવામાં આવી હતી, તેવી જ બાહેર પણ શોભા કરવામાં આવી હતી. સરો વર, વાપિકા અને સુંદર બગીચા બનાવવામાં આવ્યા હતા, કુવાઓ, જાહેર સ્થાને, અને મોટાં સ્તૂપે ગોઠવવામાં આવ્યાં હતાં, શ્રીગિરિના મધ્ય શિખર ઉપર એક સુંદર જિનાલય કરવામાં આવ્યું હતું, તેનું નામ ચંદ્રમહદય રાખ્યું હતું. ભિલ લેકેના નિર્વાહ માટે તે નગરમાં અનેક યોજનાઓ કરવામાં આવી હતી. સર્વ યાત્રાળુઓના સુખને માટે દાનશાળા, ધર્મશાળા, અને જ્ઞાનશાળા કરવામાં આવી હતી. શહેરના મધ્ય ભાગે રાજમહેલ અને તેની આસપાસ અંતઃપુરને રહેવા માટે નવીન પ્રાસાદ કરવામાં આવ્યા હતા, કેને ન્યાય આપવાને માટે ત્યાં ન્યાયશાળા કરી, તેની અંદર ફરીયાદીને દાદ મેળવવામાં સાધનરૂપ ઘંટ બાંધવામાં આવ્યો હતો. તે સિવાય પ્રજા વર્ગની સંતતિને જ્ઞાન મેળવવાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy