SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ આનંદ મંદિર. પ્રથમના ખડમાં ધરણ નામના એક જેવીને વૃત્તાંત આવ્યો હતો. ધરણ પિતાને લાગેલ સ્ત્રીહત્યાના પાપને દૂર કરવા શત્રુંજય તીર્થે ગયો હતો, ત્યાં એ મહાનુભાવ જપ, તપ, અને ધ્યાન કરી, હત્યા પાપમાંથી મુક્ત થયા. ધરણને સ્ત્રીહત્યાનું પાપ લાયું હતું, પતાની પહેલી સ્ત્રી શ્રીદેવીને તેણે જીવથી મારી નાખી હતી, શ્રીદેવી આહંત ધર્મની ભક્ત હતી, તેથી તે સમાધિ મરણથી મૃત્યુ પામી, પુનઃ માનુષ ભવને પ્રાપ્ત થઈ, નંદપુરમાં સુંદર શેઠને ઘેર જિનદત્તા નામે તે પુત્રી થઈને અવતરી હતી. પૂર્વનાં સુકૃતથી જિનદત્તા પરમ શ્રાવિકા થઈ હતી. તે વનવયને પ્રાપ્ત થઈ, તથાપિ તેનામાં પતિની ઇચ્છા થતી નહતી. એક વખતે જિનદત્તા પિતાના સંધ સાથે શત્રુંજય તીર્થની યાત્રાએ આવી હતી, તીર્થમાં પિતાના પૂર્વ પતિ ધરણને તપસ્યા કરતો જોઈ, પૂર્વ ભવના સંબંધને લઇ, તેના હદયમાં પ્રેમ ઉત્પન્ન થઈ આવ્યું. તેણીનું હૃદય અત્યંત પ્રસન્ન થઈ ગયું, તરતજ તેણીને જાતિસ્મરણ થઈ આવ્યું. ધરણને પણ જિનદત્તાને જે પ્રેમ ઉત્પન્ન થયે, અને જાતિસ્મરણ થઈ આવ્યું. પરસ્પર ખમતખામણાં કર્યા પછી તેણે નિયાણુ કરી, અનશન લઈ, પિતાના દેહને છોડી દીધું. તીર્થ ભકિતના મહિમાથી ત્યાંથી મૃત્યુ પામીને તે ધરણ આ ગુણચંદ્ર થઈ અવતર્યો છે, અને જિનદત્તા પણ બ્રહ્મચર્યને ધારણ કરી, ચિત્તની સમાધિથી મૃત્યુ પામી કમલી થઈ છે. એ પૂર્વના સંબંધથી ગુણચંદ્ર અને કમલશ્રીનો વિવાહ થયેલું છે. એ પ્રેમી દંપતિ પૂર્વના પવિત્ર પ્રેમનાં પાત્ર થયાં છે. આહંત સિદ્ધાંતમાં પ્રેમને પ્રવાહ પૂર્વના સંબંધથી છુટે છે.” એ કથન તેમણે સાર્થક કર્યું છે. રાજમાતા સૂર્યવતી, પુત્રવધૂ પદ્મશ્રીને જોઈ અતિ પ્રસન્ન થયાં છે, કેટલેક સમયે પિતાને પુત્ર તથા પુત્રવધૂ પ્રાપ્ત થવાને મહા ભાગ્યને ભોગવવાને પિતે પૂર્ણ ભાગ્યશાળી થયાં છે. આ ઉત્તમ સુખનું પાત્ર મહારાજા પ્રતાપસિંહ ઠક્યારે થાય ? એ વિચાર રાવતીના હૃદયમાં આવ્યા કરે છે, પિતે સ્વામીથી વિખૂટાં પડી એકાકી સુખી થયાં, પણ પિતાના પતિ હજુ દુઃખી છે, તેને માટે તેઓ હૃદયમાં પરિતાપ કરતાં હતાં. પોતાની રાજધાની કુશસ્થલપુરીમાં પુત્રવધુ સાથે પ્રવેશ કરવાના મનોરથ સૂર્યવતીના હદયસાગરમાં તરંગની જેમ ઉછળી રહેતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy