SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ માતૃ મેળાપ, અંતઃપુર તરફથી મુવતીને ભારે માન મળ્યું. હજુ સ્વયંવરની શોભા તેમની તેમ રાખી હતી, પદ્મરાજા પિતાની પુત્રી પદ્મશ્રીને લઈ સ્વયંવર મંડપમાં આવ્યો, અવશિષ્ટ રહેવા સર્વ રાજમંડળમાં શ્રીચંદ્ર પોતાના મિત્રની સાથે દાખલ થયો. શ્રીચંદ્રને જોતાં પેલો પૂવિને હરિ ચારણ નીચેનું કવિતા – છપ. પૂર્વ કુશસ્થળ નયર, પ્રથમ જિનભવને દેખી, સારિકા કરે નિદાન, ચારૂ જિન ધર્મને પેખી; અણસણ કરી થઈ ઇચ્છ, નયર વીણાપુર રાજા, પદ્મ પદ્માવતી કત, પદ્મશ્રી પુત્રી તાજા; પ્રથમા નિજ બુદ્ધ કરી, પછી જાતિસ્મરણથી પેખી; તે શ્રીચંદ્ર જયોચિરં, આજ નયણે મેં નિરખિએ. ૧ આ કવિતા સાંભળી સૂવતીને અતિ આનદ ઉત્પન્ન થયો, તેણીએ તરતજ એક કીમતી હાર તે કવિને ભેટ કર્યો. શ્રી ચંદ્રકુમારને દેખતાં જ પદ્મશ્રીની મુખમુદ્રા પ્રસન્ન થઈ ગઈ, અંગપર રોમગામ થઈ આવ્ય, સાત્વિક ભાવના અંકુર ખુરણયમાન થઇ ગયા, પવિત્ર પ્રેમની છાયા છવાઈ ગઈ, રાજબાળાએ આવી અંતરથી પતિની પ્રેમ પૂજા કરી, કંઠમાં વરમાળા આરોપણ કરી, તે વખતે હર્ષની ગર્જનાથી સ્વયંવર મંડપ ગાજી રહ્યા. વાજીએ મધુર નાદ સાથે અનુમોદન આપ્યું. વીણાપુરનું રાજકુટુંબ હર્ષમાં મગ્ન થઈ ગયું. આ ક્રિયા પૂર્ણ થઈ, ત્યાંજ વિવાહની માંગલ્ય ક્રિયાને આરંભ થયે. બુદ્ધિસાગર મંત્રીની પુત્રી કમળથી મટા ઠાઠમાઠથી ત્યાં આવી, તેણુએ સર્વ સમક્ષ ગુણચંદ્રની કંઠમાં વરમાળા આરોપણ કરી, બંને મિત્રોની લગ્ન ક્રિયા ત્યાં જ કરવામાં આવી. જેન વિવાહ સંસ્કારના પવિત્ર મંત્રોથી લગ્ન મંડપ ગાજી રહ્યા. આ પ્રસંગે પદ્મશ્રીની સખી તારાચના આવેલ, તે પણ શ્રી ચંદ્રને વરી હતી. પુત્રને વિવાત્સવ જોઈ, સૂર્યવતી ઉલ્લાસમાં આવી ગઈ. તેણીએ વર કન્યાનાં ઓવારણું લઈ, હૃદયથી આશીષ આપી. વિવાહિત વર કન્યા માતાનાં ચરણમાં નમી પડયાં. પદ્મ રાજાએ પણ આનંદપૂર્વક લગ્નની ભેટ અર્પણ કરી. વિવાહ ક્રિયા પૂર્ણ થયા પછી શ્રીચંદ્ર ચડી સ્વારીએ રાજબાળાની સાથે ગાજતે વાજતે પિતાના ઉતારામાં આવ્યો ગુણચંદ્ર પણ કમળશીને લઈ સાથેજ આવ્યું. બંને મિત્રોએ વિવાહ વિજય કરી, માતા સૂર્યવતીને હ પમાડી, અને પિતાના વડિલની આજ્ઞાને માન્ય કરી. વાંચનારને અહીં શંકા થઈ હશે કે, શ્રી ચંદ્ર અને પદ્મશ્રીને વેગ પૂર્વ ભવના સંબંધને લઈને જેમ થયો, તેમ ગુણચંદ્ર અને કમળથીને સ બ ધ કેવી રીતે થયો ? તેમાં કાંઈ પણ હેતુ હો જોઇએ. પૂર્વના સંબંધ વિના વિવાહને વેગ થતું નથી, એ આહંત ધર્મને સિદ્ધાંત છે. તે શંકાના સમાધાનમાં કહેવાનું કે, ગુણચંદ્ર અને કમળશ્રોને યોગ પણ પૂર્વના સંબંધથીજ છે. જેને પૂર્વ વૃત્તાંત નીચે પ્રમાણે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy