________________
માતૃ મેળાપ
૨૮૯ રાજાને આપેલું દાન સન્માન અપાવે છે, અને સેવકને આપેલું દાન અતિશે ભક્તિ કરાવે છે. હે શ્રીચંદ્ર ! તમારું આપેલું દાન ક્યાંઈ પણ નિષ્ફળ થતું નથી. તે કાવ્ય બેલ્યા પછી તે નીચેને છંદ બે –
જે પરનારી સહોદર સુંદર, દુઃસ્થિત જન આધાર; જે કાયર નર જરણાગત વર, વજેપંજર અનુકાર. ૧ જે નિષ્કારણ મેઘ તણીપરે, કરતા બહુ ઉપકાર;
તે શ્રીચંદ્ર સદા જયવંત, અર્થિત સુર સહકાર. ૨
આ કાવ્યો સાંભળી રાજકુમારે તે હરિ ચારણને ગુપ્ત રીતે ઇનામ આપ્યું, પછી કુમારે મને કહ્યું કે, મિત્ર ગુણચંદ્ર ! આ ચારણ આપણને છતા કરશે, માટે ચાલે અને હીથી ચાલ્યા જઈએ. પછી અમે એકમત કરી ત્યાંથી ચાલી નીકળ્યા. અનુક્રમે આ અરણ્યમાં આવી યક્ષમંદિરમાં રાત્રી રહ્યા. પ્રાતઃકાળે આપ પરમ પવિત્ર માતુશ્રીનાં અને દર્શન થયાં; જેને અતુલ આનંદ અત્યારે અનુભવીએ છીએ. માતા ! શ્રી ચંદ્રકુમારની પુણ્યસમૃદ્ધિ ઘણી બળવાન છે; જેમાં અમે વિઘની શંકા કરતા, તેમાંથી અમને લાભ થતો હતો. તમારા પ્રતાપી પુત્રે સર્વ સ્થળે અત્યાર સુધીમાં વિજયજ મેળવ્યો છે, તેમના ધાર્મિક વિચારો, શ્રાવક ધર્મપર દઢતા, અને પવિત્ર ભાવનાએ સર્વ સ્થળે તેમનું યશોગાન કરાવે છે.
આ પ્રમાણે શ્રીચંદ્ર. ગુણચંદ્ર અને સૂર્યવતી વાર્તાલાપ કરતાં હતાં, ત્યાં એક પુરૂષ અશ્વ ઉપર બેરી, પગલાં તો ત્યાં આવ્યો. તે પુરૂષની આકૃતિ વીરનરના જેવી હતી, તેના હાથમાં ચળકતું ભાલું રહેલું હતું, મુખમુદ્રા ઉપર વિચારમાળાનાં ચિન્હ દેખાતાં હતાં, પિશાક સાદો હતો, તથાપિ તેને દેખાવ રાજકીય પુરૂષના જેવો લાગતો હતો. તે શ્રીચંદ્રને જોતાં જ અશ્વ ઉપરથી ઉતરી પડશે; તેના હૃદયમાં શ્રીચંદ્રની ઓળખાણ આવી ગઈ. પાસે આવી તેણે શ્રીચ દ્રને પ્રણામ કર્યો. શ્રીચ ક્રે તેને પ્રણામ સ્વીકારી પુછયું, તમે કોણ છે ? તે વિનયથી બે, રાજકુમાર ! હું વિણાપુરના રાજા પદ્મનાભને બુદ્ધિસાગર નામે માં ત્રી છું, આપને મળવાને માટે ખાસ અહીં આવ્યો છું. અમારા રાજકુમારી પશ્રીએ આપને જોયા છે, ત્યારથી તે તમારી પર અનુરાગી થયાં છે. તેમની સાથે રહેનારી મારી પુત્રી તમારા મિત્ર આ ગુણચંદ્ર ઉપર રાગી થયેલી છે. આ વૃત્તાંત જાણું અમારા મહા રાજાએ મને તમારી શોધને માટે મોકલ્યો હતો. હું ઘણે સ્થળે ઉર્યો, પણ કોઈ ઠેકાણે અને તમારો પત્તે મળ્યો નહીં. છેવટે આ તરફ જોઈને મારે પાછા જેવું હતું, ત્યાં અહીં તમારાં દર્શન થયાં, તેથી મારા મનને ઘણો આનંદ થયો છે. હવે કૃપા કરીને મારી સાથે વીણાપુરમાં પધારે. ત્યાં મહારાજાએ પદ્મશ્રીને સ્વયંવર રો હતા, ઘણું રાજકુમારોએ તેમાં ભાગ લીધે હતો, પણ પદ્મશ્રીએ કોઈ રાજકુમારને પસંદ કર્યો નહીં. આશાભરેલા રાજકુમાર પાબીના અનાદરથી નિરાશ થઈ ચાલતા થયા. પિતે કરેલ સ્વયંવર વ્યર્થ થવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org