SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ આનંદ મંદિર, મુસાફર બોલ્યા, ભદ્ર ! નંદનગરમાં હરિણ નામે રાજા છે, તે ઘણે ગુણવાન અને કૃતજ્ઞ છે, તેમને તારલોચના નામે એક કુમારી છે, વીણાપુરના રાજાની પધત્રી નામે એક ગુણવાન પુત્રી છે, તેની તે તારાચના પ્રેમપાત્ર સખી છે, તે બાળાએ પિતાની સખી પાશ્રીને માટે આ બે પક્ષીઓ ભેટ મોકલ્યાં છે, અને મારી સાથે તેણએ કહેવરાવ્યું છે કે, સખી ! તે સ્વયંવરમાં જે પતિને પસંદ કરવા ધાર્યા છે, તેજ મારો પતિ છે. આપણુ બંને એક જ પતિને વરી, માવજીવિત સાથે રહેશું. મારો સ્નેહ તારી સાથે સલમ છે, મારું જીવન તારા જીવનની સાથે અભેદપણે રહે, એવી મારી ઇચ્છા છે. આ પ્રમાણે કહી તે મુસાફર અમને પ્રણામ કરી, અને રજા લઈ ચાલ્યા ગયે. તે ગયા પછી મેં રાજકુમારને જણાવ્યું કે, મિત્ર ! વિણાપુરના સ્વયંવરમાં આ પણે જઈએ. એ મહા સ્વયંવર જોવા જેવો થશે. દેશ દેશના રાજાઓ તેમાં સામેલ થશે. અમે આમ વાર્તાલાપ કરતા હતા, તેવામાં કોઈ પુરૂષે આવી જણાવ્યું કે, વીણાપુર રવયંવર જોવા જેવો છે. રાજકુમારી પદ્મશ્રીએ અમુક પુરુષને વરવાની પ્રતિજ્ઞા કરી છે, સ્વયંવરને મંડપ ઘણો સુશોભિત બનાવવામાં આવ્યો છે, રાજા પદ્મનાભે અતિ આદરથી મોટા મોટા મહીપતિઓને લાવ્યા છે, આ સાંભળી અમને ત્યાં જવાની વધારે ઉર્જા થઈ, પછી અમે બંને મિત્ર વેગથી વીણાપુરમાં આવી પહોંચ્યા. માતા ! જ્યારે સ્વયંવરનો દિવસ આપે, તે વખતે રાજકુમારોથી ભરપૂર થયેલા મંડપમાં અમે દાખલ થયા. શ્રી ચંદ્રકુમાર જ્યારે મંડપમાં આવ્યા. એટલે બીજો કોઈ રાજવીર તેમને ઓળખી શકે નહીં, પણ પ્રથમ મળેલા હરિ નામના એક ચારણે તેમને ઓળખી લીધા. તત્કાળ તે ઉભો થઇ, નીચે પ્રમાણે પ્રાકૃત કાવ્ય – दाने कीर्ति वधे घणी, दाने दोलत होय, दान किहांए दीधुं हतुं, अफल न थाये कोय ॥ १ ॥ તે પછી તે નીચેનું સંસ્કૃત પદ્ય – पात्रे पुण्यनिबंधनं तदितरे दीने दयाख्यापकम् मित्रे प्रीति विवर्द्धनं रिपुजन वैरापहार क्षमम् । भट्टादौ च यशस्करं नरपतौ सन्मानसंपादकं । भृत्ये भक्त्यतिशायि दान मफलं श्रीचंद्र न कापिते ॥ १ ॥ પાત્રમાં આપેલું દાન પુણ્યને બાંધનારું થાય છે, બીજા દીન જનને આપેલું દાન દયા જણાવે છે, મિત્રમાં આપેલું હોય તે, પ્રીતિ વધારે છે, શત્રુજનને આપેલું હોય તે, વૈરને નાશ કરવામાં સમર્થ થાય છે, ભાટ, ચારણ વિગેરેને આપેલું દાન યશ વધારે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy