SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ માતૃ મેળાપ, ૨૮૭ તેણે આવી અને વિનયથી જણાવ્યું, ઉપકારી મહાશય ! મારી ઝૂંપડીમાં પધારી મારું આતિથ્ય અંગીકાર કરે. તમે મને જીવતદાન આપ્યું છે. તેના નિર્મલ આગ્રહથી અમે તે ભી. લને ઘેર ગયા; દાખ, આમ્રફળ, નારંગી, ફણસ, અને બીજાં મધુર ફળ આપી, તે ભલે મારું ઉત્તમ પ્રકારે આતિથ્ય કર્યું. તે વખતે હેમંતઋતુ ચાલતી હતી, તે છતાં વસંત વિગેરે ઋતુઓનાં મધુર ફળ , અમને આશ્ચર્ય થયું. રાજકુમારે તે કિરાતને પુછયું, ભદ્ર ! આ હેમંતઋતુમાં બીજી ઋતુઓનાં ફળ ક્યાંથી ? તેનું શું કારણ છે ? તે કહે. કિરાત બેલ્યો--મહાનુભાવ ! આ ઉંચા પર્વતને પાંચ મોટા શિખરો છે, તેમાં એક શિપર ઘણું જ ઉંચું છે, તે ઉપર ઇશાન ખૂણે વિજયા નામે તેની અધિષ્ઠાત્રી દેવી રહે છે, એ દેવીની આ પર્વતને ઘણી સહાય છે. તે મહાદેવના મંદિર આગળ એક વૃક્ષ છે, તેમાં સર્વ ઋતુઓનાં સર્વદા ફળ થાય છે. એ મહામાયા શક્તિના પ્રતાપથી કોઈ દુષ્ટ જન અહીં રહી શકતો નથી, ગિરિવનના વાસીઓ તે દેવીને પરમેશ્વરી, શબરી, શંકરી, ભગવતી, ભવાની, ભાસુરી, જગદંબા, અને મહામાયા કહી સ્તવે છે. પુના હારથી, ચંદનથી, અને વિવિધ જાતનાં નળિદાનથી તે મહાદેવની મહા પૂજા કરે છે. વનની ગોપીકાઓ એ ગરીનાં ગીત ગાય છે. જો આપની ઈચ્છા હોય, તો તે દેવીનું મંદિર જેવા પધારે, એ સ્થળ ઘણું રમણીય છે. • માતા ! તે ભીલના કહેવાથી અમે તે ઉંચા શિખર ઉપર ચડયા, ત્યાં વનની રમણીયતા જોઈ અમને ઘણો આનંદ આવ્યો. ઉપર જતાં એક સ્વચ્છ જળનું સુંદર સરોવર આવ્યું, તેમાં અમોએ સ્નેહથી સ્નાન કર્યું, પછી આગળ ચાલ્યા, ત્યાં એ અધિષ્ઠાત્રીનું મનોહર સ્થાન જોવામાં આવ્યું, તેની આગળ વિવિધ જાતનાં વૃક્ષોની શ્રેણી આવેલી હતી, ગોસ્તની, આંબા, કદંબ, કદલી, નાળીએર, ખજુર, રાયણ, જાંબુ, જે બીર, લીંબુ, બીજોરા, જામ, નારંગી, દાડમ, ફણસ, ચારોલી, આંબળાં, આંબલી, પીલુ, કરણ, વાણા, ગુદા, બેરડી, ટીમણું, ચીભડી, દ્રાખ, લવીંગ, એલાઈચી, નાગરવેલ, જુઈ, કેવડો, જાણે, ડે.લર. ચંપર્ક, કેતકી અને માલતી વિગેરે ઘણુ મનહર વૃક્ષે પલ્લવિત થઈ ઉભાં હતાં, તે જોઈ અમને અત્યંત આહલાદ થયો. તે ઉત્તમ સ્થળ જોઇ, રાજકુમારે ત્યાં ઘણા દિવસ પડાવ નાંખે. તે અધિષ્ઠાત્રીને પ્રસન્ન કરી, તે સ્થળે એક ગિરિનગર વસાવી, સુંદર વિમાનના જેવું જિનાલય કરાવ્યું. તેની પ્રતિષ્ઠા કરી, ચયના નિર્વાહ માટે ગોઠવણ કરી, તે ભીલને ઉત્તમ પ્રકારની શિક્ષા આપી, પછી અમે ત્યાંથી નીચે ઉતર્યા. માતુશ્રી ! ત્યાંથી અમે આગળ ચાલ્યા, ત્યાં કોઈ એક તરૂણ પુરૂષ બે પોપટનાં પાંજરાં સાથે અમને સામો મળે. તેને અમોએ પુછયું કે, તમે ક્યાંથી આવે છે ? અને આ પક્ષીઓ કેવાં છે ? તે વખતે તે શુક પક્ષીઓએ અમારી સાથે ભાષણ કરવા માંડ્યું. ભાષણ ઉપરથી તે પક્ષીઓનું શાસ્ત્રજ્ઞાન જાણવામાં આવ્યું તે સાંભળી રાજકુમાર ઘણું ખુશી થયા. તેમણે તે મુસાફરને પુછ્યું કે, આ પક્ષી ક્યાંથી લાવે છો ? આવાં પહેલાં પણ તમને ક્યાંથી મળ્યાં ? તે કોઇનાથી પ્રાપ્ત થયાં છે, કે વેચાતાં લીધાં છે ? તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy