________________
૨૮૬
આનંદ મદિર.
આભાર માન્યા, અને પાતાનાથી તેને બદલે વાળી શકાય તેમ નથી, તેને માટે અ સાસ કર્યો.
માયાળુ માતા ! ત્યાંથી અમે બન્ને ચાલીને વીણાપુર નગરમાં આવ્યા. તે પ્રખ્યાત નગરના ગઢની તથા મદિરની શોભા જોઇ અમને અતિ આનંદ થયો ઘણી વાર ફરીને ને રમણીય નગરની રચના અમે જોવા નીકળ્યા, પછી શાંત થઇ એક રાજમાર્ગની વચમાં ખેડા, તેવામાં એક અદ્ભુત બનાવ બન્યા વીણાપુરના રાજા પદ્મનાભને ધર પદ્મશ્રી નામે એક પુત્ર છે, તે પેલી સારિકાને જીવ હતા સારિકા મૃત્યુ પામીને પદ્માણ રાજાને ઘેર જન્મી હતી, તે પદ્મશ્રીને તે રાજાના મંત્રીની પુત્રી કમળશ્રીની સાથે મૈત્રી હતી. કમળથી સર્વદા પદ્મશ્રીની સાથેજ રહેતી હતી, બંને સખીએ ક્રીડા કરીને આવતી હતી. જે માર્ગે અમે શાંત થઇ બેઠા હતા, ત્યાંથી પદ્મશ્રી સખી સાથે પ્રસાર થઇ. તત્કાળ પદ્મશ્રીની દૃષ્ટિ શ્રીયદ્ર ઉપર પડી, પૂર્વ ભવના સંબંધને લઇ તેણીના હૃદયમાં તત્કાળ રાગ ઉત્પન્ન થયા. પવિત્ર પ્રેમનું ખીજ તેણીના હૃદય ક્ષેત્રમાં અંકુરિત થઇ ગયું. તે રાજબાળાએ' ખાવના ચંદનથી શિખા સુધી ભરેલું એક કચાળુ પોતાની સખીની સાથે શ્રીચંદ્રકુમારની આગળ માકલ્યું. સુખીએ નમ્ર થઇ રાજકુમારને કહ્યું, મહાનુભાવ ! આ નગરના રાજા પદ્મનાભની કુંવરી પદ્મશ્રીએ આ ચંદનપત્ર આપને ભેટ મેકલ્યું છે. ચતુર કુમારે તે કચાળું શ્રેષ્ઠ વિચાર્યું કે, આ વસ્તુ ભાગની છે, પણુ તે ભાગને માટે મેાકલ્યુ નથી, મારે આરાય જાણવાને મેકલ્યું છે. આવું ચિ ંતવી રાજકુમારે તે કચેાળામાં પેાતાની મુદ્રિકા મુકી, અને સખીને વિદાય કરી, સખીએ પદ્મશ્રીને તે આપ્યું, એટલે રાજકુમારી ખુશી થઇ, અને પેાતાનું કાર્ય સિદ્ધ થયુ, એમ તેણીને નિશ્ચય થયે. પછી રાજપુત્રીએ કેટલાંએક છુટાં પુષ્પ મેકલ્યાં. ચતુર શ્રીઅે તેની માળા ગુંથીને સામી માકલી. આ સમસ્યા જોઇ મને આશ્ચર્ય થયું. મેં તે વિષે સ્પષ્ટ જાણવા રાજકુમારને વિનંતિ કરી, એટલે રાજકુમારે મને જણાવ્યું, મિત્ર ! આ સમસ્યાના ભાવાર્થ એવા છે કે, ચતુરાએ ચંદનનું ભરેલ પાત્ર મોકલી એમ જ ણાવ્યું કે, આ ચંદન પાત્રની જેમ મારામાં ઉત્તમ પ્રેમ ભર્યા છે, આપ રવીકારે. મે મુદ્રિકા મુકી એમ જણુાવ્યું કે, આ મારા મુદ્રારત્નની જેમ મારૂં પણ તેમાં સ્થાન છે, આથી સંતુષ્ટ થઈ રાજબાળાએ છુટાં પુષ્પ માકલી જણવ્યું કે, હું આ છુટાં પુષ્પની જેમ નિર્ગુણ અને સહાય વગરની છું, મેં તેની માળા ગુંથી જણાવ્યું કે, પુષ્પરૂપ ગુણની સગતથી આ માળા મસ્તકપર ધારણ કરવાને યોગ્ય છે. આ ભાવાર્થ જાણી મને ધા આનદ થયા, પછી પરસ્પર દ્રષ્ટિરાગ દર્શાવી, રાજકુમારી તેની સખી સાથે પોતાને સ્થાને ચાલી ગઇ. પૂર્વ ભવના સંબંધને લઇ તે પ્રેમ વૃક્ષ પવિત થવાને યોગ્ય થયુ. પદ્મશ્રીએ સખીદ્વારા તે વિચાર પેાતાના પિતાને જણાવ્યો, રાજા પદ્મનાભે પણ તેને હૃદયથી અનુ· મેદન આપ્યું.
માતા ! તે દરમીયાન પેલા વનના ભીલ અમારી પાછળ શેવતે શેાધતા આવ્યા,
૧ આ સારિકા સૂયૅવતીની પાસે રહેતી હતી, જેનો સબંધ આગળ કહેવામાં આવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org