________________
માતૃ મેળાપ.
૨૮૫ અને આ મારા મૃત્યુને સ્થાને એક જૈન વિહાર કરજે આ પ્રમાણે કહી તે દ્ધ પિતાને પ્રાણ છોડી દીધું.
માતુશ્રી ! તેની ઉત્તરક્રિયા કરી અમે ત્યાંથી આગળ ચાલ્યા. થોડે દૂર જતાં એક સુંદર બાગ જોવામાં આવ્યો, અમે તેની અંદર દાખલ થયા, ત્યાં એક વાંસનું જાળ જેવામાં આવ્યું. તે વાંસને સે પર્વ હતાં, તે પકવ, સરલ અને ઉન્નત હતે. શાસ્ત્ર પ્રમાણે તેનાં લક્ષણ જોઈ અમે તે વાંસને ચીર્ય, તેમાંથી નર અને માદા એમ બે મણિ નીકળ્યાં. તેનાં લક્ષણ જોઈ શ્રીચકે મને કહ્યું, મિત્ર ! આ ઉત્તમ પ્રકારનાં વંશમણિ છે, જે આ વૃદ્ધ મણિ છે, તે નર છે, અને જે આ લઘુ મણિ છે, તે માદા છે. આ મણિઓમાં એવો ગુણ છે કે જે આ માદા છે, તે દ્રવ્ય લઈને બીજાને આપીએ, તે પછી તે માદા
જ્યાં નર હોય, ત્યાં સ્વતઃ આવે છે, પણ તે દ્રવ્ય ઘણું દુષ્ટ કહેવાય છે. કારણ કે તેથી બીજાને છેતરવાનું થાય છે, માટે ઉત્તમ પુરૂષ એવું કામ કરતા નથી.
જનની ! અમે ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં એક ઉંચો પર્વત જોવામાં આવ્યું, પર્વતની રચના જોઈ અમને જોવાની ઇચ્છા થઈ, તે ઉપર ચડતાં એક ગુફા આવી, તે ગુફાને દેખાવ જેવાને અમે અંદર ગયા, તેમાં ઘણીવાર ફર્યા, તેથી અમને ઘણી તૃષા લાગી, બાહર નીકળી કોઈ જળાશય શોધવા માંડયું. જળાશય શોધતાં એક સ્ત્રીને રૂદન કરતી દીઠી, તેણીને અમે જળને માટે પુછ્યું, એટલે તે સ્ત્રીએ એક લેઢાનો કુંભ અમારી આગળ લાવીને મુક્યો. તે સ્ત્રી કઈ જાતિની છે, તે જાણ્યા વિના અમને તેણીનું જળ પીવું યોગ્ય લાગ્યું નહીં, પછી તેણે બતાવેલા જળાશયમાં જઈ અમે તૃપ્તિથી જળપાન અને સ્નાન કર્યું. પાછા તે દુઃખી સ્ત્રીની પાસે આવી તેના રેવાનું કારણ પુછયું, એટલે તે સ્ત્રીએ નીચે પ્રમાણે પિતાનો વૃત્તાંત કહ્યા.
ભદ્ર ! હું ભીલ જાતિની સ્ત્રી છું, આ પર્વતની નજીક વીણાપુર નામે નગર છે, તે નગરનો પદ્મનાભ નામે રાજા છે, તે રાજાના નગરની નજીક એક બીજું નગર છે, તેમાં એક રાજા છે, તેના દરબારમાં એક સુવર્ણનો કુંભ હતો. એક વખતે કોઈ ચોરે તે રાજાનો સુવર્ણ કુંભ ચોરી લીધે, પગી લેકએ તે ચોરીનું પગીરૂં કાઢ્યું, દૈવયોગે તે પગ અહીં મારા સ્થાન આગળ આવ્યો. તરતજ રાજપુરૂષોએ મારા પતિને કેદ કરી લીધે. અમે નિરપરાધી હતાં, તે લોકોની આગળ ઘણું કાલાવાલા કર્યા, પણ તેઓએ માન્યું નહીં, અને મારા પતિને કારાગૃહમાં લઈ ગયા. રાજાએ એવી આજ્ઞા કરી છે કે, જ્યારે તે ભિલ સોનાનો કુંભ આપે, ત્યારે તેને છેડ. ભદ્ર ! મારા ઘરમાં તે કુંભ કયાંથી હોય ? અને મારા પતિ શી રીતે છૂટે ? આ અફસોસથી હું રૂદન કરું છું.
તે ભીલડીની ઉપર શ્રીચંદ્રને દયા આવી. તત્કાળ તેણે તેણીના ઘરમાંથી પહેલો લેઢાને કુંભ મંગાવ્ય, તેને સ્પર્શ મણીથી સુવર્ણ કરી દીધું. તે કિરાતી આશ્ચર્ય પામી ગઈ, તત્કાળ તે સુવર્ણનો કુંભ રાજાને આપી તેના પતિને છોડાવ્યો. ભીલડીએ પિતાના પતિને ચંદ્ર કુમારના નિષ્કારણ ઉપકારની વાર્તા જણાવી. ભલે રાજકુમારને ઘણો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org